August 9, 2024 9:49 AM

જલ શક્તિ અભિયાન

જલ શક્તિ અભિયાન - કેચ ધ રેઈનના સંદર્ભમાં ફિલ્ડ વિઝિટ માટે કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા નિયુક્ત કેન્દ્રીય નોડલ અધિકારી દિવ પહોંચ્યા છે. ત્રણ દિવસની મુલાકાતે આવેલા નોડલ ઓફિસરે દીવ કલેક્ટર સાથે બેઠક યોજી હતી.. આ બેઠકમાં જળશક્તિ અભિયાન હેઠળ જિલ્લા વહીવટીતંત...

August 9, 2024 9:51 AM

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ બાદ રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ બાદ રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. પોરબંદર કલેકટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં તાજેતરમાં પોરબંદર જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદના કારણે થયેલા નુકશાન અને તંત્ર દ્વારા લેવાયેલા પગલાંની સમીક્ષા કરા...

August 9, 2024 9:52 AM

રાજ્યમાં અત્યાર સુધીમાં 68 ટકાથી વધુ વરસાદ વરસ્યો.

રાજ્યમાં અત્યાર સુધીમાં 68 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે.સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 82.67 ટકા જ્યારે સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં 49 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.. રાજ્યના જળશયોની સ્થિતિની જાહેર થયેલી સત્તાવાર માહિતી અનુસાર સરદાર સરોવર ડેમમાં અત્યાર સુધીમાં 66.44 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.જ્યારે અન્...

August 9, 2024 8:42 AM

પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયાએ ગાંધીધામ ખાતે દિનદયાળ પોર્ટ – કંડલા પોર્ટની મુલાકાત લઈને પોર્ટ કામગીરી અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી

પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરિયાએ ગાંધીધામ ખાતે દિનદયાળ પોર્ટ - કંડલા પોર્ટની મુલાકાત લઈને પોર્ટ કામગીરી અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. પોર્ટના ચેરમેન સુશિલકુમાર સિંઘે પોર્ટ ખાતે આયાત નિકાસની પ્રક્રિયા અંગે માહિતી આપી હતી. પ્રભારીમંત્રીએ કંડલા પોર્ટ દ્વારા ગાંધીધામ શહેરના વિકાસ માટે કરવામાં આવી રહેલા...

August 9, 2024 8:25 AM

નાગપંચમી નિમિત્તે રાજ પરિવારમાંથી 20 જેટલા પ્રતિનિધિ પૂજનવિધિ માટે પ્રાગમહેલ-દરબાર ગઢથી ભુજિયા ડુંગર જવા પ્રયાણ કરશે.

વર્ષો જૂની રાજ પરંપરા મુજબ આજે નાગપંચમી નિમિત્તે રાજ પરિવારમાંથી 20 જેટલા પ્રતિનિધિ પૂજનવિધિ માટે પ્રાગમહેલ-દરબાર ગઢથી ભુજિયા ડુંગર જવા પ્રયાણ કરશે. ભુજિયા ડુંગર ઉપર ભુજંગદેવ ખેતરપાળ દાદાના મંદિરે કચ્છ રાજવી પરિવારના મોભી પ્રીતિદેવીની સૂચનાનુસાર પૂજા અર્ચના કુંવર ઇન્દ્રજિતસિંહજી જાડેજાના હસ્તે સવારન...

August 9, 2024 8:22 AM

રાજ્ય સહિત દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનનો ગઈકાલથી આરંભ થયો.

રાજ્ય સહિત દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનનો ગઈકાલથી આરંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના પોતાના નિવાસસ્થાનેથી ત્રિરંગો લહેરાવી “હર ઘર તિરંગા અભિયાન”નો પ્રારંભ કરાવ્યો હતો.. રાજ્યમાં 15 ઓગસ્ટ સુધી આ અભિયાનની ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામા...

August 9, 2024 7:55 AM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે દેવભૂમિદ્વારકા જિલ્લા ખાતે 75મા વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે દેવભૂમિદ્વારકા જિલ્લા ખાતે 75મા વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત મુખ્યમંત્રીએ ગાંધવી ગામે હરસિદ્ધિ વનનું લોકાર્પણ કર્યું હતું. જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ હરસિદ્ધિ મંદિર નજીક આ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. સમુદ્રની નજીક વિશાળ જગ્યામાં બન...

August 8, 2024 8:50 PM

પેરિસ ઓલિમ્પિકમાં ભારતે સ્પેનને 2-1થી હરાવી હોકીમાં કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે

પેરિસ ઓલિમ્પિકમાં ભારતે સ્પેનને 2-1થી હરાવી હોકીમાં કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. ભારતે સતત ચોથી વખત કાંસ્યચંદ્રક જીત્યો છે. આજની મેચ અત્યંત રસાકસીભરી રહી હતી.. મેચની શરૂઆતમાં ભારત પાછળ રહ્યું હતું પરંતુ કેપ્ટન હરમનપ્રિત સિંહે બે પેનલ્ટી કોર્નર પર ગોલ કરતાં ભારતે મેચ જીતી લીધી હતી. પેરિસ ઑલિ...

August 8, 2024 8:47 PM

સંસદમાં સરકારે જણાવ્યું કે, વિદેશમાં રહેતા ભારતીયોની સાથે સાથે ત્યાંની જેલમાં બંધ કેદીઓની સલામતી પણ અમારી પ્રાથમિકતા છે

સંસદમાં સરકારે જણાવ્યું કે, વિદેશમાં રહેતા ભારતીયોની સાથે સાથે ત્યાંની જેલમાં બંધ કેદીઓની સલામતી પણ અમારી પ્રાથમિકતા છે. રાજ્યસભામાં વિદેશ રાજ્યમંત્રી કિર્તીવર્ધન સિંહે લેખિત જવાબમાં કહ્યું, હાલમાં 9 હજાર 728 ભારતીય કેદી વિદેશની જેલમાં બંધ છે. આમાંથી સૌથી વધુ 2 હજાર 594 કેદી સાઉદી અરબમાં છે. જ્યારે ...

August 8, 2024 8:45 PM

જાપાનમાં આજે 7.1 તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા

જાપાનમાં આજે 7.1 તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. જાપાનનાહવામાન વિભાગે દેશના દરિયાકાંઠાના વિસ્તાર માટે ત્સુનામીની ચેતવણી જાહેર કરી છે.જોકે, આ ભૂકંપમાં કોઈ જાનહાની કે નુકસાનના કોઈ સમાચાર નથી.