August 8, 2024 8:43 PM

રેલવેના પ્રવાસીઓની સલામતી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની પ્રાથમિકતા છે. રેલવેની સલામતી પર ધ્યાન વધારવામાં આવ્યું છે

રેલવેના પ્રવાસીઓની સલામતી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની પ્રાથમિકતા છે. રેલવેની સલામતી પર ધ્યાન વધારવામાં આવ્યું છે. સામાન્ય અંદાજપત્રમાં ટ્રેનોની સાથે પ્રવાસીઓની સલામતી પર પણ સૌથી વધારે કુલ અંદાજપત્રને 40 ટકા જેટલો ખર્ચ નક્કી કરાયો છે. હવે 10 હજાર કિલોમીટર રેલવે ટ્રેક પર કવચ લગાવાશે. તેમ જ સં...

August 8, 2024 8:40 PM

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે ઑલિમ્પિક ચંદ્રક વિજેતા અને ભારતીય શૂટર મનુ ભાકર સાથે મુલાકાત કરી શુભેચ્છા પાઠવી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે ઑલિમ્પિક ચંદ્રક વિજેતા અને ભારતીય શૂટર મનુ ભાકર સાથે મુલાકાત કરી શુભેચ્છા પાઠવી. શ્રી સિંહે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે, મનુ ભાકરે પેરિસ ઑલિમ્પિકમાં દેશ માટે બે કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. તેમણે ઉમેર્યું કે, દરેક ભારતીય તેમના આ પ્રદર્શનથી ખૂબ ઉત્સાહિત...

August 8, 2024 8:39 PM

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું આજે 80 વર્ષની વયે કોલકતા ખાતે નિધન થયું છે

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું આજે 80 વર્ષની વયે કોલકતા ખાતે નિધન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયાના સંદેશમાં જણાવ્યું કે, શ્રી ભટ્ટાચાર્યએ રાજ્યની ખૂબ પ્રતિબદ્ધતા સાથે સેવા કરી હતી. શ્રી ભટ્ટાચાર્યજીનું 80 વર્ષ...

August 8, 2024 8:38 PM

ભારતીય ઑલિમ્પિક સંઘે વર્ષ 2036માં ભારતના યજમાનપદે યોજાનારી ઑલિમ્પિક્સ રમત અંગે ફ્યૂચર હૉસ્ટ કમિશન – FHC સાથે સંવાદ પ્રક્રિયા શરૂ કરી છે

ભારતીય ઑલિમ્પિક સંઘે વર્ષ 2036માં ભારતના યજમાનપદે યોજાનારી ઑલિમ્પિક્સ રમત અંગે ફ્યૂચર હૉસ્ટ કમિશન – FHC સાથે સંવાદ પ્રક્રિયા શરૂ કરી છે. રાજ્યસભામાં લેખિત જવાબમાં કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું કે, FHC એ આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિની સાથે યજમાન પસંદગીની પ્રક્રિય...

August 8, 2024 8:36 PM

દેશમાં આવતીકાલથી હરઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થશે

દેશમાં આવતીકાલથી હરઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થશે. નવી દિલ્હીમાં સંવાદદાતા સંમેલનમાં સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે લોકોને અનુરોધ કર્યો કે, દેશવાસીઓ પોતાના ઘરે ત્રિરંગો લહેરાવી તેની સાથેની સેલ્ફી હરઘર તિરંગા વેબસાઈટ પર અપલોડ કરે. તેમણે કહ્યું, આ અભિયાન દરમિયાન દેશભરમાં 200થી વધુ સા...

August 8, 2024 8:33 PM

સરકારે આજે કહ્યું, પરમાણુ ઊર્જામાં આત્મનિર્ભર બનવા માટે દેશ સતત પ્રયાસ કરી રહ્યો છે

સરકારે આજે કહ્યું, પરમાણુ ઊર્જામાં આત્મનિર્ભર બનવા માટે દેશ સતત પ્રયાસ કરી રહ્યો છે. રાજ્યસભામાં લેખિત જવાબમાં પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું કે, ભારતે પરમાણુ અને ઈંધણ તકનીકીમાં વ્યાપક ક્ષમતા હાંસલ કરી છે. તેમણે ઉંમેર્યું કે, નિર્માણાધીન પરિયોજનાઓને યોગ્ય સમયે પૂર્ણ થ...

August 8, 2024 8:32 PM

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, ઢાકામાં ભારતીય હાઈ કમિશન બાંગ્લાદેશથી પરત ફરી રહેલા ભારતીય નાગરિકોના સંપર્કમાં છે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, ઢાકામાં ભારતીય હાઈ કમિશન બાંગ્લાદેશથી પરત ફરી રહેલા ભારતીય નાગરિકોના સંપર્કમાં છે. શ્રી જયસ્વાલે કહ્યું, નવ હજાર વિદ્યાર્થી સહિત 19 હજાર ભારતીય નાગરિક હાલમાં બાંગ્લાદેશમાં છે. ભારતીય નાગરિકોની સલામતી જાળવવા માટે સરકાર હાઈ કમિશનના સતત સંપર્કમાં છે. શ્ર...

August 8, 2024 8:28 PM

રાજ્યમાં અત્યાર સુધીમાં 68 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે

રાજ્યમાં અત્યાર સુધીમાં 68 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે.. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 82.67 ટકા જ્યારે સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં 49 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.. રાજ્યના જળશયોની સ્થિતિની જાહેર થયેલી સત્તાવાર માહિતી અનુસાર સરદાર સરોવર ડેમમાં અત્યાર સુધીમાં 66.44 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.. જ્યારે...

August 8, 2024 8:20 PM

સાતમ- આઠમના તહેવાર નિમિત્તે યોજાતા લોકમેળાઓમાં રાજકોટ ખાતે યોજાતા સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા માટે સરકાર દ્વારા વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી

સાતમ- આઠમના તહેવાર નિમિત્તે યોજાતા લોકમેળાઓમાં રાજકોટ ખાતે યોજાતા સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા માટે સરકાર દ્વારા વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ તંત્ર દ્વારા કડક નિયમોને ધ્યાનમાં લઈ મેળાના રાઇડ્સના સંચાલકો માટે સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ અ...

August 8, 2024 8:19 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર MSME’નું ઉદઘાટન કર્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના 'સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર MSME'નું ઉદઘાટન કર્યુ. નવા કેન્દ્રનું ઉદઘાટન કરતાં મુખ્યમંત્રીએ સૂક્ષ્મ, લઘૂ અને મધ્યમ ઉદ્યોગોને અર્થતંત્રની કરોડરજ્જુ ગણાવી હતી. તેમણે દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે નાના અને મધ...