August 14, 2024 7:52 PM

ન્યૂ ઝિલેન્ડના નવ સભ્યના પ્રતિનિધિમંડળે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી

ન્યૂ ઝિલેન્ડના નવ સભ્યના પ્રતિનિધિમંડળે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી સાથેની આ બેઠકમાં પ્રતિનિધિમંડળને રાજ્ય ખેતી, ડેરી ઉદ્યોગ, સહકાર, પુનઃપ્રાપ્ય ઊર્જા, પ્રવાસન ક્ષેત્રે સહકાર અને બંને દેશના લોકોમાં પરસ્પર લાંબા ગાળા સુધી સૌહાર્દપૂર્ણ રીતે સાંસ્કૃતિક...

August 14, 2024 7:50 PM

ભારત સરકાર ખેડૂતો પાસેથી તુવેર અને અડદનો તમામ જથ્થો ડાયનેમિક પ્રાઈઝથી સીધી જ ખરીદવાનો નિર્ણય કર્યો

ભારત સરકાર ખેડૂતો પાસેથી તુવેર અને અડદનો તમામ જથ્થો ડાયનેમિક પ્રાઈઝથી સીધી જ ખરીદવાનો નિર્ણય કર્યો છે. ખેતી નિયામકની કચેરીએ બંને અનાજનું મહત્તમ વાવેતર કરવા ખેડૂતોને અનુરોધ કર્યો છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મહત્તમ અને આદર્શ બજારભાવ આધારિત આ ડાયનેમિક પ્રાઈઝથી જથ્થાની ખરીદી થતાં ખેડૂતોને તેનો મહત...

August 14, 2024 7:49 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે રાજ્યકક્ષાના 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખેડાના નડિયાદમાં કરાશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે રાજ્યકક્ષાના 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખેડાના નડિયાદમાં કરાશે. જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં બનાસકાંઠા ખાતે સ્વતંત્રતા દિવસ ઉજવાશે. રાજ્યના કેબિનેટ મંત્રી કનુ દેસાઈ સુરત, ઋષિકેશ પટેલ મહેસાણા, રાઘવજી પટેલ જૂનાગ...

August 14, 2024 7:47 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2047 સુધીમાં વિકસિત-ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતની નેમ વ્યક્ત કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2047 સુધીમાં વિકસિત-આત્મનિર્ભર-ઉન્નત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતની નેમ વ્યક્ત કરી છે. ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ કરેલા પ્રજાજોગ સંદેશમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આઝાદીના સાડાસાત દાયકા પૂર્ણ કરીને ભારત દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગેકદમ ભરી રહ્યો છે ...

August 14, 2024 7:44 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે, નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતેથી તિરંગો લહેરાવશે અને રાષ્ટ્રજોગ સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે, નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતેથી તિરંગો લહેરાવશે અને રાષ્ટ્રજોગ સંબોધન કરશે. આ કાર્યક્રમનું આકાશવાણીના વિવિધ કેન્દ્ર અને ઓનલાઇન ચેનલો પર જીવંત પ્રસારણ કરાશે. વિવિધ ભારતી રાષ્ટ્રીય પ્રસારણ સેવા, વિવિધ ભારતી સ્ટેશન, સ્થાનિક રેડિયો સ્ટેશન, સા...

August 14, 2024 7:40 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 78મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આજે સાંજે 7 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 78મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આજે સાંજે 7 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિનું સંબોધન સાંજે સાત વાગ્યાથી આકાશવાણીના તમામ રાષ્ટ્રીય નેટવર્ક પર પ્રસારિત કરાશે. તેમ જ દૂરદર્શનની તમામ ચેનલ પર હિન્દીમાં અને પછી અંગ્રેજી આવૃત્તિનું પ્રસારણ થશે. દૂરદર્શન પર હિન્દી ...

August 14, 2024 7:39 PM

સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં દેશભરમાં ગુજરાત પહેલા ક્રમે – અત્યાર સુધીમાં 6 લાખ 94 હજારથી વધુ મકાનમાં સોલાર પેનલ લગાવાઈ

સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે એમ રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું. શ્રી દેસાઈએ કહ્યું, રૂફટૉપ સૉલારની યોજના અંતર્ગત અત્યાર સુધીમાં આશરે 6 લાખ 94 હજારથી વધુ રહેણાક મકાન પર કુલ 2 હજાર 744 મેગાવૉટ ક્ષમતા ધરાવતી રૂફટૉપ સૉલાર પેનલને સ્થાપિત કરવામાં આવી છે. રાજ્...

August 14, 2024 2:53 PM

ગયા વર્ષે 23 ઓગસ્ટના રોજ, ભારત ચંદ્ર પર ઉતરનાર ચોથો અને દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં પહોંચનાર પ્રથમ દેશ બન્યો હતો

ગયા વર્ષે 23 ઓગસ્ટના રોજ, ભારત ચંદ્ર પર ઉતરનાર ચોથો અને દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં પહોંચનાર પ્રથમ દેશ બન્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિના માનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 23 ઓગસ્ટને "રાષ્ટ્રીય અવકાશ દિવસ" જાહેર કર્યો. દેશ તેના પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી “ટચિંગ લાઇવ્સ વાઇલ ટચિંગ મૂન- ભારત ની અવકા...

August 14, 2024 2:51 PM

જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદાએ કહ્યું કે તેઓ સપ્ટેમ્બરમાં રાજીનામું આપશે

જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદાએ કહ્યું કે તેઓ સપ્ટેમ્બરમાં રાજીનામું આપશે. આજે એક પ્રેસ કોન્ફરન્સમાં ફરીથી ચૂંટણી નહીં લડવાના નિર્ણયની જાહેરાત કરતા શ્રી કિશિદાએ કહ્યું કે શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટીને નવી શરૂઆત કરવાની જરૂર છે. સપ્ટેમ્બરમાં પાર્ટી દ્વારા નવા નેતાની પસંદગી કર્યા પછી 67 વર્ષીય ...

August 14, 2024 2:49 PM

યમનમાં ભારતના નવનિયુક્ત બિન-નિવાસી રાજદૂત ડૉ. સુહેલ એજાઝ ખાને યમનના વિદેશ બાબતોના મંત્રી ડૉ. શયા મોહસિન ઝિંદાનીને તેમના ઓળખપત્રોની નકલ રજૂ કરી છે

યમનમાં ભારતના નવનિયુક્ત બિન-નિવાસી રાજદૂત ડૉ. સુહેલ એજાઝ ખાને યમનના વિદેશ બાબતોના મંત્રી ડૉ. શયા મોહસિન ઝિંદાનીને તેમના ઓળખપત્રોની નકલ રજૂ કરી છે. ગઈકાલે સાંજે યોજાયેલી બેઠક દરમિયાન રાજદૂત ખાન અને વિદેશ મંત્રી ઝિંદાનીએ ભારત-યમન સંબંધો અને પરસ્પર હિતના અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેઓ હાલમાં સાઉદી ...