August 18, 2024 7:59 PM

મંકીપૉક્સ વાઇરસની ભીતિને જોતા બાંગ્લાદેશ, ચીન સહિતના દેશોએ આંતરરાષ્ટ્રીય વિમાન મથકો પર તબીબી તપાસ ફરજિયાત બનાવી

મંકીપૉક્સના વધતા કેસોને જોતા બાંગ્લાદેશની સરકારે પ્રવાસીઓની તબીબી તપાસના દેશ આપ્યા છે. ઢાકા આંતરરાષ્ટ્રીય વિમાનથક ખાતે આવનારા તમામ મુસાફરોની તપાસ કરાશે. મંકીપૉક્સના લક્ષણો જણાય એવા પ્રવાસીઓ વિશેની માહિતી આરોગ્ય મંત્રાલયને મોકલવા માટેના આદેશ અપાયા છે. જો કે, બાંગ્લાદેશમાં હજી સુધી મંકીપૉક્સનો એક પણ ક...

August 18, 2024 7:58 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંસોધન કાયદોને ન્યાય અને સમ્માન આપતો કાયદો ગણાવ્યો, અમદાવાદમાં 188 શરણાર્થીઓને નાગરકતા પ્રમાણપત્ર એનાયાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, નાગરિકતા સંશોધન કાયદો – CAAથી કોઈ પણ ધર્મની નાગરિકતા ખતમ થતી નથી, પરંતું તેનાથી ભારતમાં શરણ લેનારા શરણાર્થીઓને નાગરિકતાની સાથે સાથે સમ્માન અને ન્યાય મળે છે. શ્રી શાહે આજે અમદાવાદમાં 188 વિસ્થાપિતોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા હતા. આ સમારોહમાં બોલતાં શ...

August 18, 2024 7:56 PM

નેપાળના વિદેશ મંત્રી ડૉ. આરજૂ રાણા દેઉચા પાંચ દિવસના ભારત પ્રવાસે

નેપાળના વિદેશ મંત્રી ડૉ. આરજૂ રાણા દેઉચા પાંચ દિવસના ભારત પ્રવાસે છે. આ યાત્રા દરમિયાન તેઓ વિદેશમંત્રી ડૉ. એસ જયશંકર સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ અંગે વાટાઘાટો કરશે. વિદેશ મંત્રાલયે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ડૉ. દેઉચાની આ ભારત યાત્રા બંને દેશો વચ્ચે પરંપરાગત નિયમિત ઉચ્ચસ્તરીય વાટાઘાટોનો ભાગ છે. વ...

August 18, 2024 7:55 PM

કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં સર્વોચ્ચ અદાલત મંગળવારે સુનાવણી કરશે

કોલકાતાની આર.જી કર મેડકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં સર્વોચ્ચ અદાલતે નોંધ લેતા મંગળવારે આ મામલે સુનાવણી કરવાનું નક્કી કર્યું છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાય મૂર્તિ ડી. વાય ચંદ્રચૂડ, ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની ખંડપીઠ આ અંગે સુનાવણી કરશે. ઉલ્લેખનીય...

August 18, 2024 7:33 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી-એક્તા નગર સાથે વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવાની મંજૂરી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી-એક્તા નગર સાથે વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવાની મંજૂરી આપી છે. જેના પરિણામે હાઈસ્પીડ કોરીડોરના ફેઝ-૧ની કામગીરી અન્વયે વડોદરા નેશનલ હાઈવે ૪૮ જંક્શનથી વુડા હદ સુધી છ-માર્ગીય રોડ તથા બંને બાજુ...

August 18, 2024 7:31 PM

કેન્દ્રીય શ્રમ અને રોજગારમંત્રી મનસુખ માંડવીયાએ અમરેલીના ખજૂરી ગામે દાતાઓ અને ગ્રામજનોના સહયોગથી તૈયાર થનાર નવનિર્મિત તળાવનું લોકાર્પણ કર્યું

કેન્દ્રીય શ્રમ અને રોજગારમંત્રી મનસુખ માંડવીયાએ, આજે અમરેલીના ખજૂરી ગામે દાતાઓ અને ગ્રામજનોના સહયોગથી તૈયાર થનાર નવનિર્મિત તળાવનું લોકાર્પણ કર્યું. આ સાથે મંત્રીએ તળાવના કાંઠે વૃક્ષારોપણ કર્યું હતું. ખજૂરી ગામના ગ્રામજનોએ, લોક ભાગીદારીથી 5,000 વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો છે. 30 કરોડ લીટર પાણીના સંગ્ર...

August 18, 2024 7:30 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાની પ્રાર્થનાસભામાં ખાસ ઉપસ્થિત રહ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાની પ્રાર્થનાસભામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુરત અઠવાલાઇન્સ ખાતે યોજાયેલ સભામાં મુખ્યમંત્રીએ સદ્દગતને પુષ્પાંજલી અર્પણ કરી શ્રદ્ધાંજલી આપી હતી. મુખ્યમંત્રીએ તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. અને ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી દિવંગત આત્મા...

August 18, 2024 7:27 PM

ભાઇ બહેનના પ્રેમના પ્રતિક સમા રક્ષાબંધનના પર્વની ઉજવણી માટે રાજ્યભરમાં ઉમંગ અને ઉત્સાહ

ભાઈ અને બહેનના પ્રેમના પ્રતીક એવા રક્ષાબંધનના તહેવારની આવતીકાલે સમગ્ર દેશ અને રાજ્યમાં ઉજવણી થશે. ત્યારે રક્ષાબંધનની ઉજવણીને લઈ ભાઇઓ અને બહેનોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે. આજે રવિવારના દિવસે ઘણા બધા લોકોએ રજાનો લાભ લઇને આજથી જ રક્ષાસૂત્ર બાંધવાની શરૂઆત કરી દીધી છે. રાજ્યભરના શહેરો નગરો અને ગામડાઓ...

August 18, 2024 7:26 PM

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં “મોન્સૂન ફેસ્ટિવલ” અંતર્ગત સાંસ્કૃતિક પરેડનું આયોજન કરવામાં આવ્યું

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં “મોન્સૂન ફેસ્ટિવલ” અંતર્ગત સાંસ્કૃતિક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોસ્ટ ગાર્ડ દ્વારા એર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ સમાજના કલાકારો, વેસ્ટર્ન કલ્ચરલ આર્ટસ સેન્ટરના કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. પ્...

August 18, 2024 7:25 PM

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ રાષ્ટ્રપતિભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ રાષ્ટ્રપતિભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી.. પરિમલ નથવાણીએ બે પુસ્તકો લખ્યા છે. તેમણે લખેલા બે પુસ્તકો 'ઝારખંડ મેરી કર્મભૂમિ' અને 'કોલ ઓફ ધ ગિર' રાષ્ટ્રપતિને અર્પણ કર્યા હતા.. મુલાકાત બદલ રાષ્ટ્રપતિનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.