August 10, 2024 8:19 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હી ખાતેથી વધુ ઉપજ આપતી અને વાતાવરણને અનુકૂળ તેમ જ જૈવિક પોષક તત્વોના પાકની 109 જાતનું વિમોચન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હી ખાતેથી વધુ ઉપજ આપતી અને વાતાવરણને અનુકૂળ તેમ જ જૈવિક પોષક તત્વોના પાકની 109 જાતનું વિમોચન કરશે. આ વિવિધ જાતમાં 34 ખેતી અને 27 બાગાયતી પાકનો સમાવેશ થાય છે. ખેતરના પાકમાં બાજરી, જુવાર, તેલીબિયાં, કઠોળ, શેરડી, કપાસ, રેસા અને અન્ય પાક સહિત વિવિધ અનાજના બીજ ...

August 10, 2024 8:18 PM

પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતીય કુશ્તીબાજ રીતિકા હુડા મહિલાઓની 76 કિલો ફ્રી-સ્ટાઈલ ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયાં છે

પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતીય કુશ્તીબાજ રીતિકા હુડા મહિલાઓની 76 કિલો ફ્રી-સ્ટાઈલ ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયાં છે. તેમનો સામનો કિર્ગિસ્તાનના ટોચનાં ક્રમાંકિત મેડેટ કિઝીઆઈપેરી સામે થયો હતો. જ્યારે ગોલ્ફમાં અદિતિ અશોક અને દીક્ષા ડાગરું પ્રદર્શન ગઈકાલે સારું નહતું રહ્યું. તેઓ આજે મહિલા ઇવેન્ટમાં છે...

August 10, 2024 8:17 PM

બાંગ્લાદેશ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ઓબૈદુલ હસને પોતાના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે

બાંગ્લાદેશ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ઓબૈદુલ હસને પોતાના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. આજે સવારે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન દરમિયાન તેમને અને એપેલેટ વિભાગના ન્યાયાધીશોને બપોરે એક વાગ્યા સુધી રાજીનામું આપવાનો સમય આપ્યો હતો. સર્વોચ્ચ અદાલત પરિસરમાં ન્યાયમૂર્તિએ માધ્યમોને જણાવ્યું કે, તે...

August 10, 2024 8:16 PM

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને તમામ બેન્કને કોર બેન્કિંગ પર વિશેષ ધ્યાન આપવા પર ભાર મુક્યો

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને તમામ બેન્કને કોર બેન્કિંગ પર વિશેષ ધ્યાન આપવા પર ભાર મુક્યો છે. આજે નવી દિલ્હીમાં ભારતીય રિઝર્વ બેન્કના કેન્દ્રીય નિદેશક મંડળની બેઠકને સંબોધિત કરતાં નાણામંત્રીએ તમામ બેન્કને બેન્કમાં રહેલી થાપણ અને ધિરાણની રકમ સંબંધિત મુખ્ય કાર્યોને પ્રાથમિકતા આપવા કહ્યું હતું....

August 10, 2024 8:15 PM

પાડોશી દેશમાં જે થયું તે આપણા દેશમાં પણ થવાની અફવા ફેલાવનારા લોકોથી સાવચેત રહેવા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે

પાડોશી દેશમાં જે થયું તે આપણા દેશમાં પણ થવાની અફવા ફેલાવનારા લોકોથી સાવચેત રહેવા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે. ઉપ-રાષ્ટ્રપતિએ જોધપુરમાં રાજસ્થાન વડી અદાલતની પ્લેટિનમ જયંતિ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં દેશભરથી આવેલા ન્યાયાધીશો અને વકીલોને સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ ચિંતા વ...

August 10, 2024 8:13 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સમગ્ર દેશ અને કેન્દ્ર સરકાર કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની ઘટનામાં અસરગ્રસ્ત થયેલા લોકોને પડખે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સમગ્ર દેશ અને કેન્દ્ર સરકાર કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની ઘટનામાં અસરગ્રસ્ત થયેલા લોકોને પડખે છે. પ્રધાનમંત્રી આજે ભુસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધા પછી ઈજાગ્રસ્તોને મળ્યા હતા. પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારને રાહતકાર્યમાં મદદ કરવા માટે શક્ય તમામ સમર્થનની ખાતરી આ...

August 10, 2024 8:12 PM

પ્રસાર ભારતી બૉર્ડના અધ્યક્ષ નવનીતકુમાર સેહગલે પોતાના 2 દિવસના મુંબઈ પ્રવાસ દરમિયાન આજે મુંબઈ આકાશવાણી કેન્દ્રની મુલાકાત લીધી હતી

પ્રસાર ભારતી બૉર્ડના અધ્યક્ષ નવનીતકુમાર સેહગલે પોતાના 2 દિવસના મુંબઈ પ્રવાસ દરમિયાન આજે મુંબઈ આકાશવાણી કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ 2 દિવસ તેઓ આકાશવાણી અને દૂરદર્શનના અધિકારીઓ સાથે બેઠક યોજશે. શ્રી સેહગલે આજે આકાશવાણીના અધિકારીઓ સાથે મુલાકાત દરમિયાન અધિકારીઓને કાર્યક્રમનું નિર્માણ કરતા સમયે શ્રોતાઓ...

August 10, 2024 8:09 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળના વાયનાડમાં રાહત શિબિરની મુલાકાત લીધી – હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના વાયનાડમાં રાહત શિબિરની મુલાકાત લીધી હતી. દરમિયાન શ્રી મોદીએ ભૂસ્ખલનથી પીડિત લોકો સાથે વાત કરી. તેમ જ દુર્ઘટનામાં માતાપિતાની છત્રછાયા ગુમાવનારા 2 વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રીએ સાંત્વના પાઠવી હતી. પ્રધાનમંત્રીએ મેપ્પાડીની હૉસ્પિટલમાં સારવાર હેઠળ ઈજાગ્રસ્તો સાથે પણ ...

August 10, 2024 8:06 PM

દેશમાં ઇથેનૉલના ઉત્પાદન માટે ભવિષ્યલક્ષી દ્રષ્ટિકોણ અપનાવવા કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહનો આગ્રહ

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે શેરડી સિવાય મકાઈ, ચોખા, ફળની છાલ અને વાંસના ઉપયોગથી ઇથેનૉલ ઉત્પાદન માટે બહુપરિમાણીય અને ભવિષ્યલક્ષી દ્રષ્ટિકોણ અપનાવવાનો આગ્રહ કર્યો છે. નવી દિલ્હીમાં આજે રાષ્ટ્રીય સહકાર ખાંડ મિલ સંઘના કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી શાહે કહ્યું, ઇથેનૉલ ઉત્પાદન એક લાભદાયી અને વ્યવહારીક વ્...

August 10, 2024 8:01 PM

રાજ્યમાં આજે સવારના છ વાગ્યાથી લઇને સાંજના છ વાગ્યા સુધીમાં 116 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો

રાજ્યમાં આજે સવારના છ વાગ્યાથી લઇને સાંજના છ વાગ્યા સુધીમાં 116 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ગાંધીનગર સ્થિતિ સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર સૌથી વધુ તાપીના ડોલવણમાં 58 મીલીમીટર, બનાસકાંઠાના ભાંભરમાં 46 અને સુરતના ઓલપાડમાં 41 મીલીમીટર વરસાદ નોંધાયો હતો..જ્યારે હવામા...