August 12, 2024 11:00 AM

પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪નું ભવ્ય સમારોહ સાથે સમાપણ થયું

પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪નું ભવ્ય સમારોહ સાથે સમાપણ થયું છે. ભારતે ૧ રજત અને પાંચ કાંસ્ય ચંદ્રક સાથે કુલ ૬ ચંદ્રકો જીત્યા છે. અને મેડલ ક્રમાંકમાં ૭૧મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જે ગત ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦ ના સાપેક્ષમાં ઘણું નીચું છે. ગત ઓલિમ્પિકમાં ભારત એક સુવર્ણ, ૨ રજત અને ૪ કાંસ્ય ચંદ્રકો સાથે ૪૮ માં ક્ર...

August 12, 2024 10:59 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતીય રમત વીરોએ પેરિસ ઓલિમ્પિક્સમાં શ્રેષ્ઠ દેખાવ કરીને દેશનું ગૌરવ વધાર્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતીય રમત વીરોએ પેરિસ ઓલિમ્પિક્સમાં શ્રેષ્ઠ દેખાવ કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. એક એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ દેશના રમતવીરોને ભવિષ્યની રમતો માટે શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે ભારતના ૧૧૭ ખેલાડીઓએ ૧૬ રમતોમાં ભાગ લીધો હતો.

August 12, 2024 10:58 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25મી ઓગસ્ટે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25મી ઓગસ્ટે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની આ 113મી કડી છે. આકાશવાણી દ્વારા હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં,શ્રી મોદીએ લોક...

August 12, 2024 10:57 AM

હવામાન વિભાગે પૂર્વ રાજસ્થાન, આસામ, મેઘાલય અને બિહારમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, આસામ,મેઘાલય અને બિહારમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન કેરળ, માહે, તમિલનાડુ અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં અલગ-અલગ ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. ઉપરાંત પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં હળવાથ...

August 12, 2024 10:55 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ખેડૂતોના સશક્તિકરણ માટે સરકાર પ્રતિબદ્ધ..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર દેશના ખેડૂતોના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે. શ્રી મોદીએ નવી દિલ્હીમાં ઈન્ડિયા એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં 109 ઉચ્ચ ઉપજ આપતી, આબોહવા-સ્થિતિસ્થાપક અને બાયોફોર્ટિફાઈડ પાકની જાતોનું વિમોચન કર્યા બાદ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ વાત રજૂ કરી હતી. તેમણે વ...

August 12, 2024 10:54 AM

સેબી અને અદાણી જૂથ અંગે હિડનબર્ગના રિસર્ચ રિપોર્ટને સેબીએ નકાર્યા

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા સેબીએ હિન્ડેનબર્ગ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે તેની પાસે આવા મુદ્દાઓના ઉકેલ માટે પર્યાપ્તઆંતરિક માળખુ છે, જેમાં ડિસ્ક્લોઝર ફ્રેમવર્ક અને રિક્યુસલ માટેની જોગવાઈનો સમાવેશ થાય છે. સિક્યોરિટીઝના હોલ્ડિંગ અનેત...

August 12, 2024 10:52 AM

રાજ્યભરમાં હર ઘર તિરંગા યાત્રા અતર્ગત વિવિધ કાર્યક્રમોનુ આયોજન થયું

હર ઘર તિરંગા અભિયાનની સમગ્ર દેશ અને રાજ્યમાં ઉમળકા ભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યની વિવિધ શાળાઓ, કોર્પોરેશન, ખાનગી અને સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો તેમજ આમ નાગરીક આ અભિયાનમાં સહભાગી બની પોતાનું યોગદાન આપી રહ્યા છે. તા. 9 ઓગસ્ટ થી સમગ્ર દેશમાં શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં પણ વિવિ...

August 12, 2024 10:50 AM

બે દિવસ દરમિયાન રાજ્યભરમાં પવન સાથે છુટા છવાયા વરસાદની શક્યતા

રાજ્યભરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.. હવામાન વિભાગે બે દિવસ દરમિયાન યલો એલર્ટ જાહેર કર્યું છે.. અમદાવાદ જિલ્લામાં પણ બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંય ક્યાંક છુટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે.

August 12, 2024 10:49 AM

NEET-PGની પરીક્ષા ગઇકાલે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ, ગુજરાતના દસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

રાજ્યભરમાં અનુસ્નાતક ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની NEET-PG પરીક્ષા ગઇકાલે યોજાઇ ગઈ. રાજ્યના 10 હજારથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. પ્રથમવાર આ પરીક્ષા બે પાળીમાં લેવામાં આવી હતી. આ પરીક્ષાનું આયોજન દેશભરના 170 શહેરો ખાતે મેડિકલ વિજ્ઞાન ક્ષેત્રે રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ – NBEM...

August 12, 2024 10:47 AM

રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના અત્યાર સુધીમાં 162 કેસ નોંધાયા, કુલ 73 દર્દીઓના મોત અને 81 દર્દીઓ સાજા થતા રજા અપાઇ

રાજ્યભરમાં અત્યારસુધીમાં ચાંદીપુરા વાઇરસના કુલ 162 જેટલા કેસ નોંધાયા છે..જેમાં સાબરકાંઠા- પંચમહાલમાં સૌથી વધુ 16-16 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં મળીને 14 મહેસાણામાં દસ અને વડોદરામાં નવ શંકાસ્પદ કેસ મળેલા છે.. અત્યાર સુધીમાં જે કેસના પરિક્ષણ કરાવાયા છે તેમાં 60 કેસ પોઝિટીવ મળ્યા...