August 13, 2024 10:54 AM

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઇમ્પેક્ટ વિથ યુથ કોન્કલેવને સંબોધતા કહ્યુ કે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવામા યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે 2047 સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં યુવાનોની મહત્વની ભૂમિકા છે. ગઈકાલે અમદાવાદમાં 'ઈમ્પેક્ટ વિથ યુથ કોન્ક્લેવ 2024'માં બોલતા શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે ભારત એક યુવા દેશ છે અને વિકસિત રાષ્ટ્રનું વિઝન હાંસલ કર...

August 13, 2024 10:52 AM

રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના અત્યાર સુધીમાં 163 કેસ, અત્યાર સુધીમાં રાજ્યમાં 73 દર્દીઓના મોત

રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના અત્યાર સુધીમાં 163 કેસ નોંધાયેલા છે. જ્યારે અત્યાર સુધીમાં 60 જેટલા કેસ પોઝિટીવ મળેલા છે. જ્યારે ચાંદીપુરા વાઇરસને કારણે અત્યાર સુધીમાં 73 દર્દીઓના મોત થયા છે.. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં સાબરકાંઠામાં અને પંચમહાલમાં સૌથી વધુ 16-16 કેસ મ...

August 13, 2024 10:51 AM

સુરતના પુણાગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટીક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સુરતના પુણાગામ અને મોટા વરાછા ખાતે દરોડા પાડી વગર પરવાને વિવિધ કોસ્મેટીક બનાવટોનું ઉત્પાદન કરતા એકમોનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમ્યાન ૨૩.૭૦ લાખનો રૂપિયાનો બનાવટી કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તંત્રએ સૂરતના મોટા વરાછા ખાતે વગર પરવાને અન્ય કંપનીના નામ...

August 13, 2024 10:49 AM

અમેરિકાના ડલ્લાસ ખાતે યોજાયેલી ફર્સ્ટ યુનાઇડેટ ગુજરાતી કન્વેન્શનમાં વધુને વધુ ઉદ્યોગકારો ગુજરાતમાં રોકાણ કરે તેવું રાજ્ય સરકારનું આહ્વાન

સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના ડલ્લાસ ખાતે “વન ગુજરાત, વન ગુજરાતી વન વૉઇઝ” ના સૂત્ર સાથે “ફર્સ્ટ યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન 2024” યોજાઈ ગઈ. ફેડરેશન ઑફ ગુજરાતી એસોસિએશન દ્વારા ગત 2 થી 4 ઑગસ્ટ દરમિયાન યોજાયેલી આ પરિષદમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ પર...

August 13, 2024 10:48 AM

નર્મદા બંધમાં પાણીની ભરપૂર આવકના પગલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોંચાડવાનો રાજ્ય સરકારનો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર બંધમાં પાણીની આવકમાં વધારો થતાં આ પાણી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં ખેડૂતો અને નાગરિકોને પૂરું પાડવાનો નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર અને અમરેલી જિલ્લાઓના કુલ 40 જળાશયોને જુદીજુદી સૌની યોજનાની 4 પાઈપલાઈનો મારફતે...

August 12, 2024 8:06 PM

જમ્મૂ કાશ્મીરમાં ઉપરાજ્યપાલના વડપણમાં આયોજીત તિરંગા યાત્રામાં હજારો લોકો ઉમટ્યાં

જમ્મૂ કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ આજે શ્રીનગરમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમની સાથે અધિકારીઓ, ભાજપના અન્ય નેતાઓ સહિત હજારોની સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. આ પ્રસંગે સંબોધન કરતા ઉપ-રાજ્યપાલેજણાવ્યું કે જમ્મૂ કાશ્મીરમાં હર ઘર તિરંગા અભિયાન જન આંદોલન તરીકે ઉભરી રહ્યું છે.ઉપરાજ્યપાલે...

August 12, 2024 8:04 PM

ચાલુ ત્રિમાસિક ગાળમાં ભારતીય નિકાસમાં 111.74 બિલિયન અમેરિકી ડૉલરસાથે 4.2 ટકાનો વધારો

ભારતીય આયાત – નિકાસ બૅંકના તાજા અહેવાલ અનુસાર જુલાઈ સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાંવિદેશી બજારોમાં ઉત્પાદનમાં વધારો તેમજ ઉંચી માગને જોતા  ભારતીય નિકાસમાં 111.74 બિલિયન અમેરિકી ડૉલર સાથે 4.2 ટકાનો વધારો થયો છે.અહેવાલ અનુસાર બિન તેલિય નિકાસમાં અગાઉના ત્રિમાસિક ગાળાનીસરખામણીમાં 6.26 ટકાનોવધારો થયો છે. આવ...

August 12, 2024 8:02 PM

સરકારે પીએમ સૌર ઘર મફત વીજળી યોજના હેઠળ આદર્શ સૌર ઘર માટેની માર્ગદર્શિકા જાહેર કરી

સરકારે પીએમ સૌર ઘર મફત વીજળી યોજના હેઠળ આદર્શ સૌર ઘરમાટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. નવીન અને પુનહપ્રાપ્ય ઊર્જા મંત્રાલય દ્વારા એક નિવેદનમાં કહેવાયું છે કે આ યોજના અંતર્ગત પ્રત્યેક જિલ્લામાં એક સૌર ગામ તૈયારકરાશે. મંત્રાલયે જણાવ્યું છે કે પ્રત્યેક સૌર ગામ દીઠ રૂપિયા એક કરોડ, જ્યારે કે સમગ્ર યોજનામા...

August 12, 2024 8:00 PM

રાષ્ટ્રીય નશા મુક્તિ ઝુંબેશ અંતર્ગત દેશભરમાંથી 1 કરોડથી વધુ લોકોએ નશા મુક્તિ માટેના શપથ લીધા

સામાજિક ન્યાય અને કલ્યાણ મંત્રાલયે નશા મુક્ત અભિયાન અંતર્ગત સમૂહશપથવિધિ સમારોહનુ  આયોજન કર્યું હતું. કેન્દ્રીય સામાજિક ન્યાય અને કલ્યાણ મંત્રી ડૉ.વિરેન્દ્ર કુમારે નવી દિલ્હીમાં લોકોને નશા મુક્તિ માટેના શપથ લેવડાવ્યા હતા. આ વર્ષેવિકાસ ‘ભારતનો મંત્ર, ભારતબને નશાથી સ્વતંત્ર’ વિષય હેઠળ તેની ઉજવવણીકરવામા...

August 12, 2024 7:48 PM

બ્રિટિશ હાઈકમિશનરે રાજ્યના ઉદ્યોગ-રોકાણકારોને બ્રિટનમાં રોકાણ માટે સહયોગની ઉત્સુક્તા દર્શાવી

બ્રિટીશ હાઈ કમિશનરે રાજ્યના ઉદ્યોગ-રોકાણકારોને બ્રિટનમાં રોકાણ માટે આવકારવા અને સહયોગની ઉત્સુક્તા દર્શાવી છે. ભારત સ્થિત બ્રિટીશ હાઈ કમિશનર લિન્ડિ કેમરોને ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત દરમિયાન આ વાત કહી હતી. દરમિયાન સુશ્રી કેમરોને પુનઃપ્રાપ્ય ઊર્જા, સાયબર સુરક્ષા સહિત લોકો ...