August 27, 2024 10:10 AM

ગઇકાલે સવારના છથી રાત્રીના બાર વાગ્યા સુધીના વરસાદના જાહેર કરાયેલા આંકડા અનુસાર રાજ્યના 248 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે

રાજયભરમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે.. ગાંધીનગર સ્થિતિ સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા ગઇકાલે સવારના છથી રાત્રીના બાર વાગ્યા સુધીના વરસાદના જાહેર કરાયેલા આંકડા અનુસાર રાજ્યના 248 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.. છેલ્લા અઢાર કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ પંચમહાલના મોરવા હડફમાં સાંબેલાધાર સાડા તેર ઇ...

August 27, 2024 10:09 AM

અમદાવાદમાં મોડી રાતે લગભગ દરેક વિસ્તારમાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી

અમદાવાદમાં મોડી રાતે લગભગ દરેક વિસ્તારમાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. ત્યારે અમદાવાદમાં ભારે વરસાદના કારણે આજે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદના અમરાઈવાડીમાં આવેલ ભાઈપુરા વૉર્ડમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. એક્સપ્રેસ હ...

August 27, 2024 10:08 AM

અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષ સ્થાને સરકારની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને ગઈ કાલે રાત્રે મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આગામી સમયમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભ...

August 27, 2024 10:07 AM

આણંદમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાના ખંભાત, સોજીત્રા અને આણંદ તાલુકા ના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે

આણંદ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાના ખંભાત, સોજીત્રા અને આણંદ તાલુકા ના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં સ્થળાંતર કરવામાં આવેલ લોકો પૈકી ખંભાત તાલુકાના ઉંદેલ ગામે ૧૫, કંસારી ગામના ૭૫, આંબાખાડમાંથી ૨૦, સોજીત્રા નગરપાલિકાનાં નિચાણવાળા વિસ્તારના ...

August 27, 2024 10:05 AM

સમગ્ર રાજ્યમાં વરસી રહેલા ભારેથી અતિ ભારે વરસાદને કારણે રાજ્યના વિવિધ ડેમમાં પાણીની આવક થઈ રહી છે

સમગ્ર રાજ્યમાં વરસી રહેલા ભારેથી અતિ ભારે વરસાદને કારણે રાજ્યના વિવિધ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ચાલુ સીઝનમાં પહેલી વાર નર્મદા ડેમના તમામ 23 દરવાજા ખોલી દેવાયા છે.નર્મદા ડેમમાંથી ગઇકાલે ૩.૯૫ લાખ કયુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નદી બે કાંઠે વહેતી થતા કાં...

August 27, 2024 10:05 AM

DYSO/નાયબ મામલતદારની વર્ગ-3 મુખ્ય પરીક્ષા મોકૂફ

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન -GPSC) દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર DySO- વર્ગ -3 પ્રિલિમ્સ 2023 નું પરિણામ 18 માર્ચનાં રોજ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતુ. DySO ની મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ અગાઉ જાહેર કરવામાં આવ્યો હતો તે જ યથાવત રહેશે. જાહેરાત ક્રમાંક 42/2023-24 DySO પોસ્ટ માટેની મુખ્ય પરીક્ષા જુલાઈ મહિનામ...

August 27, 2024 10:03 AM

અતિભારે વરસાદ વચ્ચે પણ દ્રારકા, શામળાજી, ડાકોરના કૃષ્ણમંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી થઇ હતી

ગઇકાલે કૃષ્ણ જન્મોત્સવનો તહેવાર વરસાદી માહોલ વચ્ચે ઉજવવામાં આવ્યો હતો જોકે તેની ઉજવણીમાં વરસાદી વિઘ્ન ઉભુ થયું હતું.. અતિભારે વરસાદ વચ્ચે પણ દ્રારકા, શામળાજી, ડાકોરના કૃષ્ણમંદિરોમાં તેની ઉજવણી થઇ હતી..જોકે ભારે વરસાદની અસર ઉજવણીમાં વર્તાઇ હતી..તેમ છતાં પણ ઉજવણી કરવામાં આવી હતી.. મધ્યરાત્રીના બાર વાગ...

August 27, 2024 10:02 AM

ગુજરાત અને મધ્યપ્રદેશ ઉપર બનેલી ડીપ ડીપ્રેશનની સ્થિતિને પગલે રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની શક્યતા

ગુજરાત અને મધ્યપ્રદેશ ઉપર બનેલી ડીપ ડીપ્રેશનની સ્થિતિને પગલે રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહીને જોતા કેટલાક જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કર્યું છે. આજે દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી ઉપર...

August 27, 2024 10:01 AM

પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ ખાતે ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થઇ છે

પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ ખાતે ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થઇ છે. જેમાં અમદાવાદ – આણંદ મેમુ અને વડોદરા – અમદાવાદ મેમુને ગઈકાલે રદ કરાઈ હતી. જયારે અમદાવાદ નિઝામુદ્દીન સુપરફાસ્ટ એક્સપ્રેસ, વેરાવળ, જબલપુર એક્સપ્રેસ અને ગાંધીધામ – ઇંન્દોર શાંતિ એક્સપ્રે...

August 26, 2024 7:35 PM

કેન્દ્ર સરકારે ફરિયાદ નિવારણને સમયબદ્ધ અને સાર્થક બનાવવાના હેતુથી વ્યાપક દિશા-નિર્દેશ જાહેર કર્યા

કેન્દ્ર સરકારે ફરિયાદ નિવારણને સમયબદ્ધ અને સાર્થક બનાવવાના હેતુથી વ્યાપક દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. કાર્મિક અને લોક ફરિયાદ તેમજ પેન્શન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સામાન્ય નાગરિકો પોતાની ફરિયાદો www.pgportal.gov પર નોંધાવી શકે છે. કેન્દ્રીય મંત્રાલયો અનેવિભાગો સામેની આ ફરિયાદોના સમાધાન મા...