August 28, 2024 7:59 PM

માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ અફવાઓને રદ કરી દીધી

માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ અફવાઓને રદ કરી દીધી છે, જેમાં દાવો કરાયો છે કે, વિવિધ ઇન્ટરનેટ ઉપયોગકર્તાઓ સામે અદાલતનો આદેશ જાહેર કરાયો હતો. મંત્રાલયે કહ્યું, અયોગ્ય વેબસાઈટ સુધી પહોંચવા ગુપ્તચર સંસ્થા સામે અદાલતના આદેશ અંગે ઉપયોગકર્તાઓને ગેરમાર્ગે દોરવા માટે એક બનાવટી ઇ-મેલનો ઉપયોગ કરાયો હતો. મં...

August 28, 2024 7:57 PM

કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા દુષ્કર્મ અને તેની હત્યાની ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે જણાવ્યું હતું કે, કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા દુષ્કર્મ અને તેની હત્યાની ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે. શ્રીમતી મુર્મૂએ ઉંમેર્યું, તાજેતરમાં મહિલાઓ સામેના વધતા ગુનાઓ અંગે આપણે આત્મમંથન કરવાની જરૂર છે. રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર શેર કરેલા એક લેખમાં આ મુજબ જણાવ્યું હ...

August 28, 2024 7:56 PM

આર્થિક મામલાની મંત્રીમંડળની સમિતિએ 6 હજાર 456 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચથી ભારતીય રેલવેની 2 નવી લાઈન અને એક મલ્ટિ-ટ્રેકિંગ પ્રૉજેક્ટને મંજૂરી આપી

આર્થિક મામલાની મંત્રીમંડળની સમિતિએ 6 હજાર 456 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચથી ભારતીય રેલવેની 2 નવી લાઈન અને એક મલ્ટિ-ટ્રેકિંગ પ્રૉજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રૉજેક્ટ યાત્રાને સરળ બનાવશે, ખર્ચ અને તેલ આયાતને ઘટાડશે. તેમ જ કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનને પણ ઘટાડશે. નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ માધ્ય...

August 28, 2024 7:54 PM

ભારતીય હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું

ભારતીય હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના અલગ-અલગ સ્થળોએ અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે અમદાવાદ, વડોદરા સહિત કેટલાક જિલ્લાઓ માટે ફ્લડ રિસ્ક અલર્ટ પણ આપ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન દરમિયાન રાજ...

August 28, 2024 7:53 PM

પ્રધાનમંત્રી જનધન યોજનાને આજે એક દાયકો પૂર્ણ થયો

પ્રધાનમંત્રી જનધન યોજનાને આજે એક દાયકો પૂર્ણ થયો છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધી દેશભરમાં 53 કરોડથી વધુ લાભાર્થીઓને બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ યોજનાના તમામ લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમ જ આ યોજનાને સફળ બનાવનારા લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત...

August 28, 2024 7:52 PM

કેન્દ્રીય મંત્રીમંડળે જળવિદ્યુત યોજનાઓના વિકાસ માટે ઉત્તર-પૂર્વ રાજ્યોની સરકારોને નાણાકીય સહાય પૂરી પાડવાનો નિર્ણય કર્યો

કેન્દ્રીય મંત્રીમંડળે જળવિદ્યુત યોજનાઓના વિકાસ માટે ઉત્તર-પૂર્વ રાજ્યોની સરકારોને નાણાકીય સહાય પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે. મંત્રીમંડળે આ મામલે ઊર્જા મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી છે. ચાર હજાર 136 કરોડ રૂપિયાના ખર્ચની આ યોજનાને વર્ષ 2024-25થી 2031-32 સુધી લાગુ કરવામાં આવશે. તેમ જ યોજના હેઠળ લગભગ...

August 28, 2024 7:50 PM

સરકાર દેશમાં માર્ગ અકસ્માતને ઘટાડવા માટે અનેક પગલાં ભર્યા છે :કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, સરકાર દેશમાં માર્ગ અકસ્માતને ઘટાડવા માટે અનેક પગલાં ભર્યા છે. આવી દુર્ઘટનાઓના કારણ જાણવા માટે રસ્તાઓનું ઑડિટ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સમયસર બચાવવા એમ્બુલન્સ વાહનો અને તેમના કર્મચારીઓને પણ નવી તકનીકી તાલીમ આપ...

August 28, 2024 7:48 PM

કેન્દ્રીય મંત્રીમંડળે 12 નવા ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક સ્માર્ટ શહેરને મંજૂરી આપતા 10 લાખ પ્રત્યક્ષ રોજગારનું સર્જન થશે

કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ અંતર્ગત 12 નવા ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક સ્માર્ટ શહેરને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ માધ્યમોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, આ ઔદ્યોગિક ક્ષેત્રમાં સંયુક્ત અંદાજિત રોકાણ 28 હજાર 602 કરોડ રૂપિય...

August 28, 2024 7:46 PM

પેરિસમાં આજે પેરાલિમ્પિક્સ રમત 2024નો ઉદ્ઘાટન સમારોહ ભારતીય સમય અનુસાર રાત્રે સાડા 11 વાગ્યે યોજાશે

પેરિસમાં આજે પેરાલિમ્પિક્સ રમત 2024નો ઉદ્ઘાટન સમારોહ ભારતીય સમય અનુસાર રાત્રે સાડા 11 વાગ્યે યોજાશે. ભારત તરફથી ભાલાફેંક ખેલાડી સુમિત અંતિલ અને શૉટપૂટ ખેલાડી ભાગ્યશ્રી જાધવ ધ્વજવાહક રહેશે. આ વખતે પેરાલિમ્પિક્સ માટે કુલ 84 ખેલાડીનું ભારતીય દળ 12 વિવિધ રમતમાં ભાગ લેશે. આ વખતે 32 મહિલા પેરા-એથલિટ ભારતન...

August 28, 2024 7:43 PM

બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના ગૃહ મંત્રાલયે જાહેરનામું બહાર પાડી આજે જમાત-એ-ઇસ્લામી અને તેની વિદ્યાર્થી શાખા ઇસ્લામી છાત્રશિબિર પરથી પ્રતિબંધ હટાવી દીધો

બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના ગૃહ મંત્રાલયે જાહેરનામું બહાર પાડી આજે જમાત-એ-ઇસ્લામી અને તેની વિદ્યાર્થી શાખા ઇસ્લામી છાત્રશિબિર પરથી પ્રતિબંધ હટાવી દીધો છે. આ જાહેરનામામાં જણાવાયું છે કે, આતંકવાદ અને હિંસામાં બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામી અને તેના વિદ્યાર્થી સંગઠન ઇસ્લામી છાત્રશિબિરની સંડોવણીના કોઈ પુર...