July 9, 2024 10:42 AM

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરિક્ષા સંસ્થાને નીટ યુજી પેપર ગેરરિતી કેસમાં અહેવાલ નિર્દેશ કર્યો

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરિક્ષા સંસ્થા- એનટીએને નીટ યુજી પેપર ગેરરિતી કેસમાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. અદાલતે સીબીઆઇને આ કેસમાં તેણે અત્યાર સુધી કરેલી તપાસ અંગેનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા પણ નિર્દેશ આપ્યો છે. અદાલતે એનટીએ, કેન્દ્ર સરકાર અને સીબીઆઇને આવતીકાલે તેમનાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. આ કેસમાં વધુ સુનાવણી ગુરૂવારે થશે. નીટ યુજી પરિક્ષામાં ગેરરિતી અને અનિયમિતતા થઈ હોવાનો આક્ષેપ કરતી અને નવેસરથી પરિક્ષા લેવાનો નિર્દેશ આપવાની માંગણી કરતી સંખ્યાબંધ અરજીઓ પર મુખ્ય ન્યા...

July 9, 2024 10:40 AM

રાજ્યમાં આગામી એક વર્ષમાં 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેવા લક્ષ્યાંક સાથે કામ કરવા અનુરોધ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યમાં આગામી એક વર્ષમાં વધુ 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે તેવા લક્ષ્યાંક સાથે કામ કરવાની આવશ્યકતા છે એવું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું. પ્રાકૃતિક ખેતી કૃષિ મહાઅભિયાનને વધુ વેગવાન બનાવવા રાજ્યપાલશ્રીએ રાજભવન ખાતે ઉચ્ચકક્ષાની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરિષ્ઠ અધિકારીઓ અને ખેડૂત આગેવાનોને માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં અત્યારે 9 લાખ 27 હજાર 550 ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આગામી એક વર્ષમાં 10 ...

July 9, 2024 10:37 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની મોસ્કો યાત્રા દરમિયાન આજે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ભારત અને રશિયા વચ્ચેની 22મી વાર્ષિક શિખર સંમેલનની સહ અધ્યક્ષતા કરશે. વાર્ષિક સમિટ દરમિયાન, પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન સંરક્ષણ, વેપાર સંબંધો, રોકાણ સંબંધો, ઉર્જા સહયોગ, શિક્ષણ, સંસ્કૃતિ અને લોકો-થી-લોકોના સંપર્કો સહિતના દ્વિપક્ષીય મુદ્દાઓની સમીક્ષા કરશે. તેઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર એકબીજાના અભિપ્રાયો રજૂ કરશે. બંને નેતાઓ BRICS, શાંઘાઈ સહકાર સંગઠન, G20, પૂર્વ એશિયા સમિટ અને સંયુક્ત રાષ્...

July 8, 2024 10:14 AM

ઉત્તર પ્રદેશમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ અનેક જિલ્લાઓ જળમગ્ન બન્યા

ઉત્તર પ્રદેશમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ અનેક જિલ્લાઓ જળમગ્ન બન્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં પૂરને પગલે 12 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યના અનેક ભાગોમાં ડેમોમાંથી પાણી છોડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂર અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ તેમજ રાહત આપવા આદેશ કર્યો છે. ઉત્તર પ્રદેશ આકાશવાણીના અમારા સંવાદદાતા જણાવે છે કે ભારે વરસાદને પગલે શારદા, રાપ્તી, ગંડક અને ઘાઘરા નદી ભયજનક સપાટીએ વહી રહી છે. નેપાળમાં ભારે વરસાદને પગલે લખીમપુરીમાં શારદા નદીમાં મોટાપાયે પાણીની આવક થઈ છે, જેથી કાં...

July 8, 2024 10:09 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયા અને ઑસ્ટ્રિયાના ત્રણ દિવસીય પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયા અને ઑસ્ટ્રિયાના ત્રણ દિવસીય પ્રવાસે રવાના થશે. રશિયાના મૉસ્કોમાં તેઓ 22માં ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે- સંરક્ષણ, વેપાર, રોકાણ, ઊર્જા, સહકાર, શિક્ષણ તેમજ સંસ્કૃતિ સહિતના મુદ્દાઓ વિશે ચર્ચા થશે. બંને નેતાઓ પરસ્પર હિત, પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિતિ વિશે પણ ચર્ચા કરશે. આ ઉપરાંત બ્રિક્સ, શાંઘાઈ સહકાર સંગઠન, જી-20, પૂર્વ એશિયા શિખર સંમેલન તેમજ સંયુક્ત રાષ્ટ્ર જેવા મંચો પર...

July 8, 2024 8:11 AM

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

રાજ્યભરમાં ગઇકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે ધાર્મિક હર્ષોલ્લાસ સાથે શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. રાજ્યના અનેક શહેરોમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. મુખ્ય રથયાત્રા અમદાવાદના જગન્નાથ મંદિર ખાતેથી યોજાઇ હતી. મુખ્યંમત્રી ભૂપેન્દ્ર પટેલે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથ અને રથનું પૂજન કરી પહિંદ વિધિ કરી હતી. ભગવાના રથની સોનાની સાવરણીથી પહિંદવિધિ સંપન્ન કરી મુખ્યમંત્રીએ રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. મુખ્યમંત્રી રથયાત્રાને સાચા અર્થમાં લોકઉત્...

July 5, 2024 10:20 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 8 અને 9 તારીખે રશિયાની સત્તાવાર મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 8 અને 9 તારીખે રશિયાની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, શ્રી મોદી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં હાજરી માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર મોસ્કોમાં હશે. બંને નેતાઓ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 9 અને 10 તારીખે ઓસ્ટ્રિયા જશે. 41 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની ઓસ્ટ્રિયાની આ પ્રથમ મુલાકાત હશે. શ્રી મોદી ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર વેન ડેર બેલેનને મળશે અને ઓસ્...

July 5, 2024 10:16 AM

યુકેમાં ત્રણ મોટા ટીવી નેટવર્ક્સ દ્વારા જાહેર કરાવામાં આવેલા એક્ઝિટ પોલમાં કેઇર સ્ટારમરની આગેવાની હેઠળની લેબર પાર્ટી વિજયી બને તેવી શક્યતા દર્શાવવામાં આવી છે

યુકેમાં ત્રણ મોટા ટીવી નેટવર્ક્સ દ્વારા જાહેર કરાવામાં આવેલા એક્ઝિટ પોલમાં કેઇર સ્ટારમરની આગેવાની હેઠળની લેબર પાર્ટી વિજયી બને તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીની હાર થાય તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે. એક્ઝિટ પોલે લેબર પાર્ટીને 209ના ફાયદા સાથે 410 બેઠકો મળે તેવો અંદાજ લગાવ્યો છે.. ગઈકાલે હાઉસ ઓફ કોમન્સની ચૂંટણી યોજાઇ હતી. 650 સભ્યોના ગૃહમાં બહુમતી માટે માત્ર 326 બેઠકોની જરૂર છે. એક્ઝિટ પોલમાં વડા પ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને 131 બેઠકો જીતવાનુ અનુમાન કરવામાં આવ્યુ...

July 5, 2024 10:13 AM

હાથરસની દુર્ઘટનામાં ચાર પુરુષો અને બે મહિલાઓ સહિત છ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે

હાથરસની દુર્ઘટનામાં ચાર પુરુષો અને બે મહિલાઓ સહિત છ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. હાથરસ નાસભાગ દુર્ઘટનામાં 121 લોકોના મોત થયા હતા. મીડિયા સાથે વાતચીત કરતા અલીગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શલભ માથુરે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલ છ લોકો આયોજક સમિતિના સભ્યો છે અને સેવાદાર તરીકે કાર્યરત છે. આઈજી માથુરે ઉમેર્યું હતું કે, મુખ્ય આરોપી પ્રકાશ મધુકર વિશે માહિતી આપનારને 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.

July 5, 2024 10:11 AM

આસામમાં અવિરત વરસાદને કારણે પૂરની સ્થિતિ વધુ વિકટ બની છે

આસામમાં અવિરત વરસાદને કારણે પૂરની સ્થિતિ વધુ વિકટ બની છે. રાજ્યના 29 જિલ્લાઓમાં 21 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત બન્યાં છે. રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાએ પૂરગ્રસ્ત મોરીગાંવ જિલ્લાની મુલાકાત લીધી હતી અને લોકો સાથે વાતચીત કરી હતી. રાજ્યપાલે પણ પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી અને અસરગ્રસ્ત લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતી વ્યવસ્થા કરવા જિલ્લા વહીવટીતંત્રને નિર્દેશ આપ્યો હતો. મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ પણ આ જિલ્લાઓમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા માજુલી, ધેમાજી અને લખીમપુરની મુલાકાત લીધી...