August 12, 2024 10:59 AM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતીય રમત વીરોએ પેરિસ ઓલિમ્પિક્સમાં શ્રેષ્ઠ દેખાવ કરીને દેશનું ગૌરવ વધાર્યું છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતીય રમત વીરોએ પેરિસ ઓલિમ્પિક્સમાં શ્રેષ્ઠ દેખાવ કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. એક એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ દેશના રમતવીરોને ભવિષ્યની રમતો માટે શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે ભારતના ૧૧૭ ખેલાડીઓએ ૧૬ રમતોમાં ભાગ લીધો હતો.