September 17, 2024 3:20 PM

રાજ્યભરમાં આજથી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું

રાજ્યભરમાં આજથી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેનાં ભાગરૂપે અનેક શહેરોમાં કાર્યક્રમો યોજાયા હતા. ગાંધીનગરમાં પથિકાશ્રમ એસટી ડેપો ખાતે રાજ્યનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કાર્યકર્તાઓ સાથે સફાઈ કરીને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. બનાસકાંઠા જિલ્લાનાં કલેકટર મિહિર પટેલે અંબાજીમાં ગબ્બર તળેટી ખાતેથી જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. શ્રી પટેલે અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સફાઈ કર્મીઓને સ્વચ્છતા યોધ્ધા ગણાવીને ...

September 13, 2024 7:41 PM

દેશભરમાં 17 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર સુધી ‘‘સ્વચ્છતા હી સેવા’’ પખવાડિયાનું આયોજન કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ ‘‘સ્વચ્છ ભારત મિશન’’ ને આ વર્ષે એક દાયકો પૂર્ણ થાય છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2024 સુધી ‘‘સ્વચ્છતા હી સેવા’’ પખવાડિયાનું આયોજન કરાશે. જેની વિષયવસ્તુ- ‘‘સ્વભાવ સ્વચ્છતા,સંસ્કાર સ્વચ્છતા’’ છે.રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં 10 વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આગામી બીજી ઓક્ટોબર-ગાંધી જયંતિએ સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવશે.‘‘સ્વચ્છતા હી સેવા’’ પખવાડિયાની ઉજવણીનાં ભાગરૂપે રાજ...