September 26, 2024 8:15 PM

સુરેન્દ્રનગર જિલ્લામાં જુદી જુદી જગ્યાએ વીજળી પડવાની ઘટનાઓમાં 34 થી વધુ પશુઓના મોત થયા છે

સુરેન્દ્રનગર જિલ્લામાં જુદી જુદી જગ્યાએ વીજળી પડવાની ઘટનાઓમાં 34 થી વધુ પશુઓના મોત થયા છે. જેમાં મુળી તાલુકાના ભેટ ગામે વિજળી પડવાથી 31 બકરીઓના મોત થયા હતા.. જ્યારે સરા ગામમાં એક ભેંસનું પણ વીજળી પડવાથી મોત થયું છે, જ્યારે થાનગઢ તાલુકાના તરણેતર ગામે ભેંસ તેમજ રૂપાવટી ગામે પશુનું મોત થયેલુ છે. આ ચારેય ગામમાં વિજળી પડવાથી પશુઓના મોત થવાની ઘટનાની જાણ તંત્રને કરવામાં આવી હતી.. તંત્ર દ્વારા પોસ્ટ મોર્ટમ રિપોર્ટના આધારે સહાય આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મહેસાણાના ગોઝારીયા ગામ ખાતે વરસાદી માહોલ વ...

September 21, 2024 10:47 AM

ખેડૂતોને ચાર કલાક વધુ વીજળી આપવા મોઢવાડિયાની ઊર્જા મંત્રીને રજૂઆત

પોરબંદરના ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈને પત્ર લખીને તેમજ રૂબરુ મુલાકાત કરીને ખેડૂતોને વધુ સમય વીજળી આપવા માટે રજૂઆત કરી હતી. જે અંગે ઊર્જા મંત્રીએ વધુ વીજળી પૂરી પાડવા માટેની ખાતરી આપી હતી. ઊર્જા મંત્રી કનુ દેસાઈને કરેલી રજૂઆતમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લેતા ખેડુતોનો પાક માટે પીયતની જરૂરિયાત ઉભી થઈ છે. જેથી ખેડૂતોને દૈનિક 8 કલાક વીજળી મળે છે તેના સમયમાં વધારો કરીને 12 કલાક વિજળી આપવામાં આવે તેવી રજૂઆત ક...