August 5, 2024 2:42 PM

આજે રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન કેટલાક સાંસદોએ જાહેર મહત્વના વિવિધ મુદ્દા ઉઠાવ્યા

આજે રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન કેટલાક સાંસદોએ જાહેર મહત્વના વિવિધ મુદ્દા ઉઠાવ્યા હતા. ભાજપના સમિક ભટ્ટાચાર્યએ કહ્યું કે સરકારે બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળ આવતા પર પ્રાંતિય મજૂરોના મુદ્દા પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારોમાં વસ્તી વિષયક રચના સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે અને રાજ્યની લોકશાહી, અખંડિતતા અને આંતરિક સુરક્ષા જોખમમાં હોવાની ચિંતા ઉભી કરી છે. ઉત્તરપ્રદેશના બીજેપીના દર્શના સિંહે ખુલ્લા બોરવેલના કારણે થતા મોતનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેણીએ કહ્યું કે ખાસ કરીન...

July 22, 2024 7:32 PM

આજે રાજ્યસભાની કાર્યવાહી દિવસ માટે મોકૂફ રાખવામાં આવી

આજે રાજ્યસભાની કાર્યવાહી દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી. હવે, આવતી કાલે લોકસભામાં સામાન્ય બજેટની રજૂઆત પૂર્ણ થાય તેનાં એક કલાક બાદ ગૃહ પુનઃ મળશે. અગાઉ, ઉપલા ગૃહમાં કેટલાંક સભ્યોએ જાહેર હિત અંગેનાં મુદ્દાઓ ઉઠાવ્યા હતા. ગૃહમાં પ્રશ્નકાળ અને શૂન્ય કાળ પણ હાથ ધરવામાં આવ્યો હતો કાવડ યાત્રાના માર્ગમાં આવતી રેસ્ટોરાંનાં માલિકોનાં નામ પ્રદર્શિત કરવાનાં ઉત્તરપ્રદેશ સરકારનાં આદેશ મુદ્દે ગૃહ મોકૂફ રાખવા કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને ટીએમસીએ રજૂ કરેલી નોટિસને સભાપતિ જગદીપ ધનખડે ફગાવી દીધી હતી.

July 1, 2024 7:49 PM

સંસદના બંને ગૃહોમાં આજે રાષ્ટ્રપતિ અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અંગે ચર્ચા થઈ

સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિ અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અંગે ચર્ચા થઈ હતી. ભારતીય જનતાપક્ષના સાંસદ અનુરાગ ઠાકુરે ચર્ચામાં ભાગ લેતા પાછલા દસ વર્ષોની સરકારની સિદ્ધિઓનાવખાણ કર્યા. શ્રી ઠાકુરે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાંસરકારે અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા, તેમજ લોકોના કલ્યાણ અર્થે અનેક પગલાં લીધા છે.. તેમણે કહ્યું કે 25 કરોડલોકોને ગરીબીમાંથી ઉગારવામાં આવ્યા, તેમજ 80 કરોડ લોકોને મફતઅનાજ આપવામાં આવ્યું. ભાજપના સાંસદબાંસૂરી સ્વરાજે કહ્યું કે ખેડૂતોનું કલ્યાણ અને મહિલા સશક્તિકરણ સરક...