August 28, 2024 7:13 PM

રાજ્યમંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વડોદરામાં પડી રહેલા ભારે વરસાદથી સર્જાયેલ પૂરની સ્થિતિનો તાગ મેળવવા વડોદરા પહોંચી તેમણે વહિવટી તંત્ર સાથે બેઠક કરી

રાજ્યમંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વડોદરામાં પડી રહેલા ભારે વરસાદથી સર્જાયેલ પૂરની સ્થિતિનો તાગ મેળવવા વડોદરા પહોંચી તેમણે વહિવટી તંત્ર સાથે બેઠક કરી હતી. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આજવા સરોવર અને દેવ ડેમમાંથી આવેલા પાણીને કારણે વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હતું અને શહેરના કેટલાંક વિસ્તારોમાં દસ ફૂટ જેટલું પાણી છે..જેને કારણે રાહત અને બચાવ માટે આર્મીની વધુ ત્રણ કુમુક, એનડીઆરએફ ટીમોની મદદ લેવાઇ છે.. ફસાયેલા લોકો માટે એક લાખ ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે...

July 25, 2024 8:22 PM

કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રીકિર્તીવર્ધન સિંહે આજે રાજ્યસભામાં જણાવ્યું કે, હાલમાં 16 દેશ ભારતીય પાસપૉર્ટધારકોને વિઝામુક્તપ્રવેશ આપી રહ્યા છે

કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી કિર્તીવર્ધન સિંહે આજે રાજ્યસભામાં જણાવ્યું કે, હાલમાં 16 દેશ ભારતીય પાસપૉર્ટધારકોને વિઝામુક્તપ્રવેશ આપી રહ્યા છે. લેખિત જવાબમાં શ્રી સિંહે કહ્યું કે, 40 દેશ ભારતીય પાસપૉર્ટધારકોનેઆગમન થતાં જ વિઝા અને 47 દેશ ઈ-વિઝાની સુવિધા આપી રહ્યા છે. શ્રી સિંહે ઉંમેર્યું કે, કેન્દ્ર સરકાર એવા દેશોની સંખ્યાવધારવાના પ્રયાસ કરી રહી છે, જે વિશ્વભરમાં પ્રવાસને સરળ બનાવવા માટે ભારતીયોને વિઝામુક્ત પ્રવેશ, આગમન પર જ વિઝા અને ઈ-વિઝાસુવિધા પૂરી પાડી શકે.