September 10, 2024 7:53 PM

ભારતીય નૌકાદળે તકનિકી અને વહીવટી કારણોસર નાગરિક પ્રવેશ પરીક્ષા રદ્દ કર્યાની જાહેરાત કરી

ભારતીય નૌકાદળે તકનિકી અને વહીવટી કારણોસર નાગરિક પ્રવેશ પરીક્ષા રદ્દ કર્યાની જાહેરાત કરી છે. આ પરીક્ષા આજે સવારે યોજનાર હતી. ભારતીય નૌકાદળે એક નિવેદનમાં કહ્યું છે કે વિવિધ ગૃપ બી – એનજી અને ગૃપ - સી પદોની ભર્તી માટેની ઓનલાઇન પરીક્ષા આ મહિનાની 14 તારીખ સુધી આયોજીત થનાર હતી, જોકે હવે આ પરીક્ષા માટેની નવી તારીખો જાહેર થશે.