July 19, 2024 7:56 PM

આગામી 23મી જુલાઇએ રજૂ થનારું બજેટ દરેક ક્ષેત્રના લોકોને ધ્યાનમાં રાખીને બનાવાયું

આગામી 23મી જુલાઇએ રજૂ થનારું બજેટ દરેક ક્ષેત્રના લોકોને ધ્યાનમાં રાખીને બનાવાયું છે તેથી તે દેશને આર્થિક પ્રગતિએ લઈ જવા માટેનું બજેટ બની રહેશે. અમદાવાદ ખાતે આજે કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ પત્રકાર પરિષદમાં આ મુજબ જણાવ્યું હતું.. શ્રી આઠવલેએ બજેટ અંગે વધુમાં જણાવ્યું હતું કે, સરકારે 3 કરોડ લોકોને આવાસ આપવા માટે બજેટ પાસ કર્યું છે. શ્રી આઠવલેએ ગુજરાતમાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગની યોજનાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક પણ યોજી હતી.

July 11, 2024 3:04 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બજેટ સંદર્ભે વરિષ્ઠ અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે સંવાદ કરશે. શ્રી મોદી આગામી કેન્દ્રીય બજેટ પર પોતાના વિચાર અને સૂચનો રજૂ કરશે. બેઠકમાં વરિષ્ઠ અર્થશાસ્ત્રીઓ, વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો ઉપરાંત નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી સહિતના અન્ય સભ્યો ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, આગામી 22મી જુલાઈથી સંસદનુ બજેટ સત્ર રજૂ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 23મી જુલાઈએ લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે. એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે. ઉલ્લેખનીય છે કે, શ્રી મોદી આજે સવારે રશિયા...