September 19, 2024 8:21 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે, વિશ્વની કોઈ તાકાત જમ્મુ કાશ્મીરમાં 370મી કલમને ફરી લાગુ નહીં કરી શકે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે, વિશ્વની કોઈ તાકાત જમ્મુ કાશ્મીરમાં 370મી કલમને ફરી લાગુ નહીં કરી શકે. તેમણે જણાવ્યું કે, અમે જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનનાં એજન્ડાને લાગુ નહીં કરવા દઈએ. જમ્મુના કટરામાં એક જાહેર ચૂંટણી સભાને સંબોધતા શ્રી મોદીએ કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સનાં જોડાણની ટીકા કરી હતી અને તેમનાં પર ભારત વિરુધ્ધ કાર્ય કરવાનો આરોપ કર્યો હતો. અગાઉ શ્રીનગરમાં જાહેર સભાને સંબોધતા શ્રી મોદીએ લોકોને 25 સપ્ટેમ્બરે યોજાનાર વિધાનસભા ચૂંટણીનાં બીજા તબક્કામાં વિક્રમ સંખ્યામાં મત આપવા વ...

September 19, 2024 2:06 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રના વર્ધા ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂર્ણ થવા પર યોજાયેલા રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રના વર્ધા ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂર્ણ થવા પર યોજાયેલા રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ દરમિયાન, શ્રી મોદી યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રો, ઋણપત્રકો સોંપશે અને સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડશે. તેઓ અમરાવતી ખાતે પીએમ મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ રિજિયન્સ એન્ડ એપેરલ –પીએમ મિત્ર પાર્કનો શિલાન્યાસ કરશે. મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા એક હજાર એકર વિસ્તારમાં આ પાર્ક વિકસાવવામાં આવી રહ્યો છે. આનાથી વિશ્વસ્તરનું ઔ...

September 19, 2024 2:04 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર કરી રહ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર કરી રહ્યા છે. તેઓ આજે સવારે શ્રીનગરમાં બપોરે શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરના બેઝકેમ્પ કટરા ખાતે ચૂંટણી સભા સંબોધકા પ્રધાનમંત્રી મોદી કહ્યું કે, પ્રથમ તબક્કામાં મોટી સંખ્યામાં મતદાન કરીને જમ્મુ કાશ્મીરના લોકોએ ઇતિહાસ રચ્યો છે. વધુમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરના લોકો દેશના લોકતંત્રને મજબૂત કરી રહ્યા છે. તેમણે કિશ્તવાડમાં 80 ટકા મતદાનનો ઉલ્લેખ પણ કર્યો. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પહેલા...

September 19, 2024 10:05 AM

નવી દિલ્હીમાં આજથી ચાર દિવસનાં કાર્યક્રમ વર્લ્ડ ફુડ ઇન્ડિયા 2024નો પ્રારંભ થશે.

નવી દિલ્હીમાં આજથી ચાર દિવસનાં કાર્યક્રમ વર્લ્ડ ફુડ ઇન્ડિયા 2024નો પ્રારંભ થશે. અન્ન પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું છે કે, આ કાર્યક્રમમાં 90થી વધુ દેશો, 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ તથા 18 કેન્દ્રીય મંત્રાલયો ભાગ લેશે. આ કાર્યક્રમનું પાર્ટનર કન્ટ્રી જાપાન અને ફોકસ કન્ટ્રી વિયેતનામ તથા ઇરાન છે. આ કાર્યક્રમમાં અન્ન પ્રક્રિયા ક્ષેત્રમાં નવીનીકરણ અને ટેકનોલોજી પ્રદર્શિત કરવામાં આવશે. અન્ન પ્રક્રિયા ક્ષેત્રમાં વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારતની ઊભરતી ભૂમિકા પર પ્રકાશ પાડવાનો આ મહત્વપૂર્ણ પ્રસંગ છ...

September 19, 2024 9:04 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આજે કાશ્મીરના પ્રવાસે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આજે કાશ્મીરના પ્રવાસે જશે. તેઓ આજે શ્રીનગરમાં શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરના બેઝકેમ્પ કતરા ખાતે ચૂંટણી સભા સંબોધશે.આ પહેલાં પ્રધાનમંત્રીએ ડોડામાં એક રેલીને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે સરકારની સિદ્ધિઓ અને છેલ્લા ઘણા વર્ષ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં વિકાસ લાવવાના તેના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે ગઈકાલે સરેરાશ 61.13 ટકામતદાન ન...

September 18, 2024 9:08 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21થી 23 સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાતે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21થી 23 સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાતે જશે. દરમિયાન તેઓ 21 સપ્ટેમ્બરે વિલમિન્ગ્ટૉનમાં યોજનારા ચોથા ક્વાડ સંમેલનમાં હજરી આપશે. અમેરિકાની અપીલને પગલે ભારત 2025માં આ સંમેલનની મેજબાની કરશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સંમેલનમાં નેતાઓ છેલ્લા એક વર્ષમાં ક્વાડ દ્વારા હાંસલ કરેલી પ્રગતિની સમીક્ષા કરશે. તેઓ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના દેશોને તેમના વિકાસ લક્ષ્યો અને આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં મદદ કરવા માટે આગામી વર્ષનો ઉદ્દેશ્ય નક્કી કરશે. શ્રી મોદી આ મહિનાની 23મી તારી...

September 17, 2024 7:18 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિને રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન, સેવા સેતુ કાર્યક્રમ અને એક પેડ મા કે નામ અંતર્ગત કાર્યક્રમ યોજાયા

૧૭મી સપ્ટેમ્બર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિને રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન, સેવા સેતુંકાર્યક્રમ અને એક પેડ મા કે નામ અંતર્ગત કાર્યક્રમ યોજાયા.ગાંધીનગરમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેસચિવાલય પરિસરમાં  વૃક્ષારોપણ  કર્યું.. તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પથિકા આશ્રમ ડેપોમાં શ્રમદાનકર્યું. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા અમદાવાદના સાણંદ બસ સ્ટેશન ખાતેશ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા..અમદાવાદમાં સહકાર રાજ્યમંત્રી જગદ...

September 17, 2024 6:48 PM

પ્રધાનમંત્રી મોદી ઓડિશાની મુલાકાતે, સુભદ્રા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની વિવિધ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે વિકાસની પ્રક્રિયામાં મહિલાઓ, ખેડૂતો, યુવાનો, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સમાન ભાગીદારી સાથે દેશ 'વિક્સિત ભારત' તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે બપોરે ભુવનેશ્વરના જનતા મેદાનમાં એક જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે મોદી સરકાર 3.0 આજે 100 દિવસ પૂર્ણ કરી રહી છે અને આ સમયગાળામાં અનેક યોજનાઓ સાકાર થઈ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આ 100 દિવસમાંઘરવિહોણા લોકોને ત્રણ કરોડ પાકા મકાનો, 25 હજાર ગામોમાં પાકા રસ્તા, મેડિકલ કોલેજમાંવધુ 75 હજાર બેઠકો, સ...

September 17, 2024 3:00 PM

મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં 15 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકારે દેશની સુરક્ષા પ્રણાલીને મજબૂત કરીને સલામત ભારત બનાવ્યું છે. શ્રી શાહે મોદી સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ થતાં આજે સંવાદદાતા સંમેલન સંબોધિત કરતા કહ્યું કે, પહેલા 100 દિવસમાં જ 15 લાખ કરોડ રૂપિયાના પ્રૉજેક્ટ્સને મંજૂરી આપી છે. તેમ જ ત્રણ લાખ કરોડ રૂપિયાના પ્રૉજેક્ટ્સની સરકારે જાહેરાત કરી છે અને તેનું કામ પણ શરૂ થઈ ગયું છે. ગૃહમંત્રીએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય શિક્ષણન નીતિ શરૂ થતાં દેશની જૂની શિ...

September 17, 2024 2:45 PM

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ અને ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ અને ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પર શુભેચ્છા સંદેશમાં રાષ્ટ્રપતિએ લખ્યું છે કે શ્રી મોદીએ પોતાના વ્યક્તિત્વ અનેકાર્ય દ્વારા દેશની સમૃદ્ધિ અને પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. વધુમાં રાષ્ટ્રપતિએ લખ્યું છે કે રાષ્ટ્રની ભાવના સાથેના તેમના નવીન પ્રયત્નો ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો માર્ગ મોકળો કરે છે. ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે લખ્યું છે કે શ્રી મોદીએ તેમના બે દાયકાથી વધુ શાસન દ્વારા અને ઐતિહાસિક ત્રીજા કાર્...