September 12, 2024 7:55 PM

પાલનપુરમાં ત્રિમાર્ગી રોટરી રેલવે ઓવર બ્રીજનું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે લોકાર્પણ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે રેલવે ઓવર બ્રીજનું લોકાર્પણ કરાયું હતું.રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58 અને  27ને જોડતો, 17 મીટરની ઉંચાઈ પર રોટરી વાળો આ દેશનો પ્રથમ અને આ પ્રકારનો ત્રીજો બ્રીજ છે. તે રાજ્યનો આ પ્રથમ પિલ્લર અને ત્રી માર્ગી બ્રીજ છે.જેને તૈયાર કરવા માટે 3600 મેટ્રિક ટન લોખંડ અને 16 હજાર મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરાયો છે.લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતા ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે બ્રીજને કારણે સ્થાનિક ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવશે.આ પ...