August 27, 2024 2:32 PM

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં હિંસાની વિવિધ ઘટનાઓમાં 70 થી વધુ લોકોનો મોત નિપજ્યાં

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં હિંસાની વિવિધ ઘટનાઓમાં 70 થી વધુ લોકોનો મોત નિપજ્યાં છે. મીડિયાના અહેવાલ અનુસાર, લાસબેલા જિલ્લાના બેલા શહેરમાં મુખ્ય હાઇવે પર વાહનો પર કરવામાં આવેલા હુમલામાં 14 સૈનિકો અને પોલીસ કર્મચારીઓ સહિત 21 આતંકવાદીઓ માર્યા ગયા હતા. અન્ય એક ઘટનામાં, હથિયારબંધ માણસોએ મુસાખેલ જિલ્લામાં આંતર-પ્રાંતીય ધોરીમાર્ગ પરથી પસાર થતી ટ્રક અને બસમાંથી મુસાફરોને નીચે ઉતારી તેમની ઓળખ તપાસી અને પછી તેમના પર ગોળીબાર કર્યો હતો જેમાં 23 લોકો માર્યા ગયા છે. કલાતમાં, પોલીસ ચોકી અને હાઇવે પર થયેલ...

August 26, 2024 3:34 PM

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં મુસખેલ જિલ્લામાં બંદૂકધારીઓએ 23 લોકોની હત્યા કરી

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં મુસખેલ જિલ્લામાં બંદૂકધારીઓએ 23 લોકોની હત્યા કરી છે. હૂમલાખોરોએ ટ્રક અને બસમાંથી પ્રવાસીઓની ઓળખ પૂછીને ગોળીબાર કર્યો હતો. આસિસ્ટન્ટ કમિશનર મુસાખાલી નજીક કાકરે જણાવ્યું કે, સશસ્ત્ર હૂમલાખોરોએ મુસખેલમાં ધોરી માર્ગમાં અવરોધ ઊભો કરીને ટ્રકો અને બસમાંથી પ્રવાસીને નીચે ઉતાર્યા હતા અને તેમનાં પર ગોળીબાર કર્યો હતો. મૃતકો પાકિસ્તાનના પંજાબ પ્રાંતના હતા. માધ્યમોના અહેવાલ પ્રમાણે સશસ્ત્ર દળોએ 10 વાહનોને પણ આગ ચાંપી હતી.

July 1, 2024 8:04 PM

ભારત અને પાકિસ્તાને આજે નાગરિક કેદીઓ અને માછીમારોના નામોની યાદીની આપ-લે કરી

ભારત અને પાકિસ્તાને આજે નાગરિક કેદીઓ અને માછીમારોના નામોની યાદીની આપ-લે કરી. વિદેશમંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ભારતે પાકિસ્તાનને 366 નાગરિક કેદીઓ તેમજ 86 માછીમારોના નામ આપ્યા છે. જ્યારે પાકિસ્તાને ભારતને 43 નાગરિક કેદીઓ અને 211માછીમારોના નામ સોંપ્યા છે. વર્ષ 2008માં દ્વીપક્ષીય સમજૂતી અંતર્ગત બંને દેશો પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈએ આ યાદીની આપ-લે કરે છે. ભારતે પાકિસ્તાની જેલમાં રહેલા નાગરિકો અને માછીમારો તેમજ તેમનીબોટને ઝડપથી મુક્ત કરવા પાકિસ્તાનને અપીલ કરી છે.