August 13, 2024 3:53 PM
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 135.76 મીટર પર પહોંચી છે
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 135.76 મીટર પર પહોંચી છે.નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 2.92 મીટર દૂર છે.નર્મદા ડેમની મહત્તમસપાટી 138.68 મીટર છે. ઉપરવાસમાંથી 1 લાખ 41 હજાર 131 ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમ 90 ટકા ભરાયો હતો. હાલ પણ નર્મદા ડેમના 9 દરવાજા 1.45 મીટર ખોલવામાં આવશે.નર્મદા ડેમ દરવાજામાંથી એક લાખ 30 હજાર ક્યુસેક કરતાં વધુ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે.