August 8, 2024 8:04 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દેવભૂમિદ્વારકા જિલ્લામાં 75મા વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દેવભૂમિદ્વારકા જિલ્લામાં 75મા વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો.. જે અંતર્ગત મુખ્યમંત્રીશ્રીએ ગાંધવી ગામે હરસિદ્ધિ વનનું લોકાર્પણ કર્યું.. જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ હરસિદ્ધિ મંદિર નજીક આ વનનું નિર્માણ કરાયું છે.. સમુદ્રની નજીક વિશાળ જગ્યામાં બનેલા આ સુંદર વનને આજથી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઉદબોધન કરતાં આ મુજબ જણાવ્યું....

July 25, 2024 7:49 PM

દેવભૂમિદ્વારકા જિલ્લાના ગાંધવી ગામમાં આવતીકાલે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના 75મા વનમહોત્સવની ઉજવણી કરાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ગામમાં રાજ્યકક્ષાના75મા વન મહોત્સવની આવતીકાલ 26 જુલાઈએ ઉજવણી કરાશે. ગામના પૌરાણિક અને ઐતિહાસિકમહત્વ ધરાવતા હરસિદ્ધિ માતા મંદિર ખાતે થનારી આ ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીના હસ્તે 23મા સાંસ્કૃતિક વન ‘હરસિદ્ધિ વન’નુંલોકાર્પણ કરાશે. કોયલા ડુંગરની પાછળ આવેલા આનવીન ‘હરસિદ્ધિ વન’ખાતેવિવિધ પ્રજાતિના અંદાજિત 41 હજાર 619 રોપાઓનું વાવેતર કરાયું છે. આ સાથે રાજ્યમંત્રી મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં વિવિધ33 જિલ્લા કક્ષાએ, આઠમહાનગરપાલિકાકક્ષા...