August 16, 2024 9:32 AM
વિદેશ મંત્રી ડૉએસ જયશંકર આગામી 18મી તારીખે કુવૈતની સત્તાવાર મુલાકાતે જશે.
વિદેશ મંત્રી ડૉએસ જયશંકર આગામી 18મી તારીખે કુવૈતની સત્તાવાર મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન ડૉ. જયશંકર તેમના સમકક્ષ અબ્દુલ્લા અલી અલ-યાહ્યાને મળશે. ડો. જયશંકરની મુલાકાત બંને પક્ષોને રાજકીય, વેપાર, રોકાણ, ઉર્જા, સુરક્ષા, સાંસ્કૃતિક, કોન્સ્યુલર અને લોકો-થી-લોકોના સંપર્કો સહિત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓની સમીક્ષા કરવા સક્ષમ બનાવશે. બંને પક્ષો પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કરશે.