August 26, 2024 7:29 PM

છત્તીસગઢના બીજાપુર જિલ્લામા આજે 25 જેટલા નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢના બીજાપુર જિલ્લામા આજે 25 જેટલા નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. જિલ્લા પોલીસ નિયામક અને સીઆરપીએફના ડીઆઈજીની હાજરીમાં તેમણે સમર્પણકર્યું  હતું. આ નક્સલવાદીઓ ઉપર કુલ 29 લાખરૂપિયાનું ઇનામ જાહેર થયેલું હતું. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આત્મસમર્પણ કરનારા નક્સલવાદીઓને છત્તીસગઢ સરકારની પુર્નવસન નીતિ અંતર્ગત 25 હજાર રૂપિયાની સહાય આપવામાં આવી.

July 18, 2024 2:16 PM

છત્તીસગઢમાં મોડી રાત્રે થયેલા માઓવાદી હુમલામાં વિશેષ કાર્યદળના બે જવાન શહીદ અને ચાર જવાન ઇજાગ્રસ્ત થયા

છત્તીસગઢમાં મોડી રાત્રે થયેલા માઓવાદી હુમલામાં વિશેષ કાર્યદળના બે જવાન શહીદ અને ચાર જવાન ઇજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિશેષ કાર્યદળ રાજ્યના બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદ પાસે માઓવાદીઓ વિરુદ્ધ તપાસ અભિયાન ચલાવી રહ્યા હતા તે સમયે આ ઘટના બની હતી. માઓવાદીઓએ અચાનક હુમલો કરીને I.E.D વિસ્ફોટ કર્યો હતો.. ઘાયલ જવાનોને સારવાર માટે વિમાન માર્ગે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.