September 20, 2024 2:32 PM

સરકારે માર્ચ 2026 પહેલાં દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું છે કે, સરકારે માર્ચ 2026 પહેલાં દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. છત્તીસગઢમાં નક્સલવાદી હિંસાનો ભોગ બનેલા 55 લોકો સાથે આજે નવી દિલ્હીમાં પોતાનાં નિવાસસ્થાને વાત કરતા શ્રી શાહે જણાવ્યું કે, બસ્તરનાં ચાર જિલ્લા સિવાય સમગ્ર દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવામાં કેન્દ્ર સરકાર સફળ રહી છે. શ્રી શાહે નક્સલવાદીઓને હિંસા છોડવા, શસ્ત્રો ત્યજી દેવા અને શરણે આવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યુ કે, જો નક્સલવાદીઓ હિંસા છોડી દેવાની તેમની વિનંતીને નહીં સા...

August 27, 2024 2:30 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હીમાં બ્યુરો ઓફ પોલિસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનાં 54મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હીમાં બ્યુરો ઓફ પોલિસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનાં 54મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે. આ પ્રસંગે ગૃહ મંત્રી “નવા ગુના કાયદા-નાગરિક કેન્દ્રી સુધારાઓ” વિષય પર ડોક્ટર આનંદ સ્વરૂપ ગુપ્તા સ્મૃતિ વક્તવ્ય આપશે. શ્રી શાહ વર્ષ 2023 અને 2024 માટે રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત વિજેતાઓનું સન્માન પણ કરશે. આ કાર્યક્રમમાં ગૃહ મંત્રી નવા ગુના કાયદા અંગે બ્યુરોનાં પ્રકાશન ઇન્ડિયન પોલિસ જર્નલની વિશેષ આવૃત્તિનું વિમોચન પણ કરશે. પોલિસ રિસર્ચ બ્યુરો સંશોધન અને વિકાસ દ...