September 20, 2024 7:47 PM

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં રિવર લિન્કિંગ પ્રોગ્રામ શરૂ કરશે, જેને કારણે એકથી વધુ નદીઓનાં પ્રવાહનાં સંચાલનમાં મદદ મળશે

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં રિવર લિન્કિંગ પ્રોગ્રામ શરૂ કરશે, જેને કારણે એકથી વધુ નદીઓનાં પ્રવાહનાં સંચાલનમાં મદદ મળશે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યોજાયેલા ભારતીય જળ સપ્તાહનાં સમાપન સત્રને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ભારતીય જળ સપ્તાહ 2024માં આવેલા સૂચનો અને ભલામણો દેશમાં જળ સંચય માટે મહત્વનાં પૂરવાર થશે. તેમણે જણાવ્યું કે ત્રણ દિવસનાં આ કાર્યક્રમમાં 40 દેશોનાં 215 વિદેશી સહિત કુલ 500થી વધુ પ્રતિનિધીઓએ ભાગ લીધો હતો.

September 6, 2024 9:43 AM

મ્બર સુધી લંકેન્દ્ર સરકારે નેશનલ મીન્સ-કમ-મેરિટ શિષ્યવૃત્તિ યોજના 2024-25 માટે વિદ્યાર્થીઓને અરજી દાખલ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેબાવી છે

કેન્દ્ર સરકારે નેશનલ મીન્સ-કમ-મેરિટ શિષ્યવૃત્તિ યોજના 2024-25 માટે વિદ્યાર્થીઓને અરજી દાખલ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ ધોરણ 8 પછી ડ્રોપઆઉટ અટકાવવા અને ધોરણ 12 સુધી તેમનું સ્થાયીકરણ કરવા માટે આર્થિક રીતે નબળા વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

August 18, 2024 8:38 AM

કેન્દ્ર સરકારે આરોગ્ય કર્મચારીએની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ સંભવિત પગલાં ભરવા માટે એક સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો

કેન્દ્ર સરકારે આરોગ્ય કર્મચારીએની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ સંભવિત પગલાં ભરવા માટે એક સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે. સરકારે FORDA અને IMA સહિત વિવિધ આરોગ્ય સેવા હિતધારકો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓને ધ્યાનમાં લીધા બાદ સરકારે આ નિર્ણય લીધો છે.તેણે રાજ્ય સરકારોને આ બાબતે સમિતિ સમક્ષ તેમના સૂચનો રજૂ કરવા કહ્યું છે. શુક્રવારે કેન્દ્ર સરકારે એક નોટિસ બહાર પાડી હતી જેમાં સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સંભાળ રાખતા કર્મચારી સાથે થયેલા કોઈપણ મૌખિક દુર્વ્યવહાર અથવા શારીરિક હિંસા સામે છ કલાક...

June 18, 2024 3:47 PM

કેન્દ્ર સરકારે નાગરિકોને ઇલેક્ટ્રીસિટી નૉ યૉર કસ્ટમર – K.Y.C. અપડેટ છેતરપિંડીથી બચાવવા માટે લીધા પગલાં

કેન્દ્ર સરકારે નાગરિકોને ઇલેક્ટ્રીસિટી નૉ યૉર કસ્ટમર - K.Y.C. અપડેટ છેતરપિંડીથી બચાવવા માટે પગલાં લીધા છે. કેન્દ્ર સરકારે જે મોબાઈલ નંબર પરથી છેતરપિંડી કરવામાં આવતી હતી. તે તમામ નંબર બંધ કરાવી દીધા છે. દૂરસંચાર વિભાગે છેતરપિંડીની પ્રવૃત્તિઓની તપાસ કરવા માટે ચક્ષુ પૉર્ટલનો ઉપયોગ કર્યો અને શરૂઆતમાં લગભગ પાંચ શંકાસ્પદ મોબાઈલ નંબરને શોધી લીધા. કૃત્રિમ બુદ્ધિમતા – A.I. આધારિત આ પૉર્ટલથી જાણવા મળ્યું કે, 392 હેન્ડસેટ સાથે લિન્ક 31 હજાર 740 મોબાઈલ નંબરથી છેતરપિંડી કરવામાં આવી રહી છે. ત્યારબાદ દૂરસંચાર ...