September 20, 2024 7:29 PM
અન્ન સલામતી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ગુજરાતને દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાના હસ્તે ખાસ પુરસ્કાર એનાયત કરાયો
અન્ન સલામતી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ગુજરાતને દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાના હસ્તે ખાસ પુરસ્કાર એનાયત કરાયો હતો. આ ઉપરાંત શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્યોમાં કેરળ પહેલા સ્થાને, તમિળનાડુ બીજા જ્યારે જમ્મુ કાશ્મીર ત્રીજા સ્થાને રહ્યું છે. કેન્દ્ર સરકારે અન્ન સલામતી સહિત વિવિધ ક્ષેત્રમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન સ્થાપવાનો નિર્ણય લીધો છે. આ હેતુથી 2024થી 2028 દરમિયાન આશરે છ અબજ ડોલરની અંદાજપત્રીય ફાળવણી કરાશે. કેન્દ્રિય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ આજે દિ...