September 10, 2024 8:45 AM

જીએસટી કાઉન્સિલે કેન્સરની દવાઓ પરનો ચીજવસ્તુ અને સેવા કર- GST – 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનો નિર્ણય લીધો

જીએસટી કાઉન્સિલે કેન્સરની દવાઓ પરનો ચીજવસ્તુ અને સેવા કર- GST – 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનો નિર્ણય લીધો છે.ગઈ કાલે નવી દિલ્હીમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણનાં અધ્યક્ષપદે યોજાયેલી જીએસટી કાઉન્સિલની 54મી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠક બાદ પત્રકાર પરિષદમાં સુશ્રી સીતારમણે જણાવ્યું કે, કેન્સરની સારવારનો ખર્ચ ઘટાડવા કેન્સરની દવાઓ પરનો જીએસટી દર ઘટાડવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે નાસ્તાઓ પરનો જીએસટી પણ 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, જીવન અને આરોગ્ય વીમા પરનો દ...

August 26, 2024 3:47 PM

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે સિંગાપોરમાં ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ- FATFના પ્રમુખ ટી રાજા કુમાર સાથે મુલાકાત કરી હતી

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે સિંગાપોરમાં ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ- FATFના પ્રમુખ ટી રાજા કુમાર સાથે મુલાકાત કરી હતી. તેમણે FATFના પ્રમુખ તરીકેની મુદત સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ શ્રી કુમારને અભિનંદન આપ્યા હતા. બેઠકમાં નાણા મંત્રીએ FATFની કામગીરી ન્યાયી રીતે નિભાવવા બદલ ટી રાજાકુમારની પ્રશંસા કરી હતી.