September 17, 2024 6:48 PM

પ્રધાનમંત્રી મોદી ઓડિશાની મુલાકાતે, સુભદ્રા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની વિવિધ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે વિકાસની પ્રક્રિયામાં મહિલાઓ, ખેડૂતો, યુવાનો, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સમાન ભાગીદારી સાથે દેશ 'વિક્સિત ભારત' તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે બપોરે ભુવનેશ્વરના જનતા મેદાનમાં એક જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે મોદી સરકાર 3.0 આજે 100 દિવસ પૂર્ણ કરી રહી છે અને આ સમયગાળામાં અનેક યોજનાઓ સાકાર થઈ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આ 100 દિવસમાંઘરવિહોણા લોકોને ત્રણ કરોડ પાકા મકાનો, 25 હજાર ગામોમાં પાકા રસ્તા, મેડિકલ કોલેજમાંવધુ 75 હજાર બેઠકો, સ...

August 26, 2024 7:22 PM

ઓડિશામાં બર્ડ ફ્લૂને પગલે પુરી જિલ્લાના પીપલીમાં હજારો મરઘાઓને મારવામાં આવ્યા

ઓડિશામાં બર્ડ ફ્લૂને પગલે પુરી જિલ્લાના પીપલીમાં હજારો મરઘાઓને મારવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર રાજ્ય સરકાર દ્વારા અંદાજે 20 હજાર જેટલા મરઘાઓને મારીને તેમને પ્રોટોકોલ પ્રમાણે દફનાવવામાં આવી રહ્યા છે, ઉપરાંત પોલ્ટ્રીફાર્મને સેનેટાઇઝ કરાઈ રહ્યા છે. ભોપાલના રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થા દ્વારા હાલમાં જ પીપલી વિસ્તારથી લેવાયેલા નમૂના એવિનયન ઇન્ફ્લૂએન્ઝા એચ-એએન-1થી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ રાજ્ય સરકારે બર્ડ ફ્લૂના સંક્રમણને વધતુ અટકવવા પગલા લેવાનું શરૂ કર્યું છે.

August 22, 2024 2:09 PM

ઓડિશાના બેરહામપુરમાં થયેલા એક અકસ્માતમાં ચારના મોત થયા છે

ઓડિશાના બેરહામપુરમાં થયેલા એક અકસ્માતમાં ચારના મોત થયા છે, જ્યારે વીસથી વધુને ગંભીર ઈજા થવા પામી છે. આ બસ ભવાની પટનાથી બેરહામપુર જઈ રહી હતી. ઈજાગ્રસ્તોને બેરહામપુરની સરકારી હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. બસ અને ટેન્કર વચ્ચે ટક્કર થતા આ આકસ્માત સર્જાયો હતો. અથડામણ બાદ ટેન્કર રોડ બાજુએ આવેલી એક ચાની દુકાનમાં ઘૂસી જતા ત્રણ લોકોના થયા. અકસ્માતમાં એક પ્રવાસીઓનું પણ મોત થયું છે.

July 15, 2024 2:56 PM

ઓડિશાના પુરીમાં બહુદા યાત્રાની ઉજવણી

ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન સુદર્શન ગુંડીચા મંદિરમાં આઠ દિવસ ગાળ્યા પછી તેમના નિવાસસ્થાન શ્રી મંદિર પરત ફરશે. ત્રણેય રથોના પરત ફરવાની આ યાત્રા બહુદા યાત્રા તરીકે ઓળખાય છે. આજે વહેલી સવારથી જ લાખો ભક્તો પુરી અને ગુંડીચા મંદિર ખાતે દર્શનાર્થે ઉમટી પડ્યા છે. પુરીના ગજપતિ દિવ્યસિંહ દેવ લગભગ અઢી વાગ્યે સોનાની સાવરણીથી ત્રણેય રથ પર છેરા પોહરાની વિધિ કરશે. ત્યારબાદ ભક્તો સાંજે 4 વાગ્યે ભગવાન બલભદ્રના પ્રથમ રથ તાલ ધ્વજ ત્યારબાદ દેવી સુભદ્રાના દર્પદલન અને અંતે ભગવા...