September 24, 2024 11:20 AM

અમદાવાદ શહેરમાં સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખાનગી પરિવહનનાં ભારે વાહનો અને લક્ઝરી બસોનાં પ્રવેશ પર પ્રતિબંધને સર્વોચ્ચ અદાલતે યથાવત રાખ્યો

અમદાવાદ શહેરમાં સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખાનગી પરિવહનનાં ભારે વાહનો અને લક્ઝરી બસોનાં પ્રવેશ પર પ્રતિબંધને સર્વોચ્ચ અદાલતે યથાવત રાખ્યો છે. આ અંગે શહેર પોલિસનાં જાહેરનામાને બહાલ રાખતા ગુજરાત વડી અદાલતનાં ચુકાદાને પડકારતી લક્ઝરી બસ સંચાલકોની અપીલને ગઇ કાલે સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી હતી. સર્વોચ્ચ અદાલતે લક્ઝરી બસોનાં સંચાલકોને વૈકલ્પિક માર્ગ સહિતની કોઈ પણ રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે લક્ઝરી બસો દ્વારા સર્જાતા અકસ્માત, શહેરનાં માર્ગો પર બસ પાર્કિંગથી રોકાતી જગ્...

September 10, 2024 8:11 AM

અમદાવાદના સરદાર વલ્લવભાઇ પટેલ એરપોર્ટના ટર્મિનલ બેના એરાઇવલ્સ ખાતે એક નવા આકર્ષક આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કરવામાં આવ્યું

અમદાવાદના સરદાર વલ્લવભાઇ પટેલ એરપોર્ટના ટર્મિનલ બેના એરાઇવલ્સ ખાતે એક નવા આકર્ષક આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કરવામાં આવ્યું છે. મુસાફરોને શહેરની વાઇબ્રન્ટ એનર્જીનો અનુભવ કરાવવા હલચલ વોલની રચના કરવામાં આવી છે. હેરિટેજ સિટી એવા અમદાવાદની કળા, પરંપરાઓ અને સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરતાં આ શિલ્પદ્વારા આમદાવાદની પોળ અને અન્ય જીવંત ગુજરાતી પાત્રોને દર્શાવી રહ્યાં છે. ફેબ્રિકની વહેતી સાબરમતી નદીના નિરૂપણ દ્વારા 15મી સદીમાં અમદાવાદની સ્થાપના થઈ ત્યારથી તે અમદાવાદનું અભિન્ન અંગ છે. પરંપરાગત ડાબુ આર્ટનો ઉ...

September 10, 2024 8:10 AM

અમદાવાદ સ્થિત ગુજરાત રાજ્ય વેપારી મહામંડળની રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રા કમિટીએ ગ્રામીણ ક્ષેત્રના વિકાસ પર ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કર્યું હતું

અમદાવાદ સ્થિત ગુજરાત રાજ્ય વેપારી મહામંડળની રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રા કમિટીએ ગ્રામીણ ક્ષેત્રના વિકાસ પર ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કર્યું હતું. આ સત્રમાં ગુજરાત સરકારના ગ્રામીણ વિકાસ વિભાગના કમિશનર સુજલ મયાત્રાએ ઉદ્યોગકારો સાથે ગ્રામીણ વિસ્તારને લગતી વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. જેમાં ગ્રામીણ યોજનાઓમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન,પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, સંસદ આદર્શ ગ્રામ યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી. ઉદ્યોગકારોએ આ મામલ...

September 10, 2024 7:57 AM

અમદાવાદમાં ગણેશ વિસર્જન અને ઇદે મિલાદનો તહેવાર એક સાથે આવી રહ્યો છે.

અમદાવાદમાં ગણેશ વિસર્જન અને ઇદે મિલાદનો તહેવાર એક સાથે આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. અમદાવાદના ડીસીપી કોમલ વ્યાસે જણાવ્યું હતું કે, આ તહેવારો અમદાવાદ શહેરમાં શાંતિથી ઉજવાય તે માટેના તમામ સલામતીના પગલા લેવાયા છે.

July 1, 2024 3:37 PM

અમદાવાદ શહેરમાં રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજાઈ

અમદાવાદ શહેરમાં આગામી સાત જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને ધ્યાનમાં રાખી શહેર પોલીસ સુરક્ષાને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે. શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે શહેરના સંવેદનશીલ વિસ્તારોના તમામ અધિકારીઓને સાથે રાખી રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજી હતી