પ્રાદેશિક સમાચાર

July 22, 2024 11:16 AM

રાજ્યમાં ચાંદીપુરાના અત્યાર સુધીમાં 84 કેસ નોંધાયા જેમાં 46 દર્દીઓ સારવાર હેઠળ

રાજ્ય અને જિલ્લા કક્ષાએ રોગચાળા નિયંત્રણ અને અટકાયતી માટે સઘન કામગીરી કરાઈ રહી છે. રાજ્યમાં એન્કેફેલાઈટીસના કુલ 84 કેસોમાંથી 46 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઇકાલે 5 દર્દીઓના મોત થયા છે. આરોગ્ય ટીમ દ્વારા કુલ 18 હજાર 729 ઘરોમાં સર્વેલન્સ કામગીરી કરાઈ છે. અત્યાર સુધીમાં એક લાખ 16 હજાર 205 કાચા ઘરોમાં ડસ્ટી...

July 21, 2024 7:35 PM

દ્વારકા જિલ્લાના દરિયામાંથી 11 કરોડ 84 લાખની કિંમતનો ચરસનો જથ્થો પકડી પાડવામાં આવ્યો

દ્વારકા જિલ્લાના દરિયામાંથી 11 કરોડ 84 લાખની કિંમતનો ચરસનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. સઘન પેટ્રોલિંગ દરમિયાન પોલીસે સમુદ્રકિનારા વિસ્તારમાં બાજ નજર રાખીને મોજપ ગામમાંથી મોટી માત્રામાં ચરસ ઝડપ્યું છે.,. એક અંદાજ મુજબ, 24 કિલોના 21 પેકેટો પોલીસે જપ્ત કર્યા છે.. ઝડપાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમ...

July 21, 2024 8:01 PM

નગરપાલિકાઓને રસ્તાઓના સમારકામ માટે 100 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો

રાજ્ય સરકારે શહેરી વિસ્તારોના રસ્તાઓને ચોમાસા દરમિયાન થતાં નુકસાનને નિવારવા સમારકામ માટે ૧૦૦ કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫૭ નગરપાલિકાઓમાં રસ્તાના રિપેરીંગ-રિસરફેસીંગની કામગીરી માટેના કામો હાથ ધર્યા છે.. જેમાં અ વર્ગની ૨૨ નગરપાલિકાઓને પ્રત્યેકને ૧ કરોડ રૂપ...

July 21, 2024 7:30 PM

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRFની 10 ટીમો તૈનાત કરાઇ

રાજ્યના 61 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉંબેરગામમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ એક જ દિવસમાં વરસી ચૂક્યો છે. તો ગીર સોમનાથ જિલ્લાના પાટણ વેરાવળમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર...

July 21, 2024 7:26 PM

વ્યાજખોરીના દૂષણને ડામવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ હોવાનું જણાવતાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી

ગુજરાતમાં વ્યાજખોરો સામે કાર્યવાહી થઇ રહી છે. જેમાં સુરતમાં નોંધાયેલ વ્યાજખોરો સામે ગુનાઓમાં મૂડી પરત કરવામાં આવી છે, તેમ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.. સુરતમાં વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી શરૂ થઇ છે. તેમાં સુરત પોલીસે 58 વ્યાજખોરો સામે ગુના નોંધ્યા છે. જેમાં પોલીસે કુલ 94 લોકોની ધરપ...

July 21, 2024 7:28 PM

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસને અટકાવવા સરકાર દ્વારા તમામ ગામોમાં દવા અને સ્પ્રે છંટકાવની મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસને અટકાવવા સરકાર દ્વારા તમામ ગામોમાં દવા અને સ્પ્રે છંટકાવની મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે.. મચ્છર અને પાણીજન્ય રોગચાળાને અટકાવવા આરોગ્ય વિભાગ સઘન કામગીરી કરાઇ રહી છે. વરસાદી ઋતુ હોવાથી પાણી કે મચ્છરજન્ય રોગચાળાને પણ અટકાવવા માટે અગમચેતીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય વિસ્...

July 21, 2024 3:27 PM

કચ્છ જિલ્લામાં ગઈકાલે ફરી એક વાર ભૂકંપના આંચકાઓ અનુભવાયા

કચ્છ જિલ્લામાં ગઈકાલે ફરી એક વાર ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ગુજરાત ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા મુજબ, જિલ્લામાં ગઈકાલે સાંજે 7 વાગ્યાને 38 મિનિટે 2.6ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિન્દુ દુધઈથી 17 કિલોમીટર દૂર નોંધાયું હતું. આ મહિનામાં ભૂકંપનો આ સાતમો આંચકો આવ્યો હતો...

July 21, 2024 3:26 PM

પોરબંદર નજીક પ્રતિકૂળ હવામાન વચ્ચે દરિયામાં કોસ્ટગાર્ડે એક દર્દીને બચાવીને એર લિફ્ટિંગથી દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યો

પોરબંદર નજીક પ્રતિકૂળ હવામાન વચ્ચે દરિયામાં કોસ્ટગાર્ડે એક દર્દીને બચાવીને એર લિફ્ટિંગથી દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યો હતો.. દરિયાની મધ્યે એક જહાજના ક્રુ મેમ્બરને હૃદયના ધબકારા ધીમા પડવા સહિતની મેડિકલ ઇમરજન્સી ઉભી થઇ હતી.. હજીરાથી કચ્છ તરફ જતા એક જહાજમાં પોરબંદરથી ૬૦ નોટિકલ માઈલ દૂર દરિયામાં એક ક્રૂ મ...

July 21, 2024 3:29 PM

રાજ્યના ખૂણે ખૂણેથી વ્યાજખોરોને શોધીને જેલના હવાલે કરવાનું કામ પોલીસને સોંપવામાં આવ્યું છે : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે જણાવ્યું છે કે, રાજ્યના ખૂણે ખૂણેથી વ્યાજખોરોને શોધીને જેલના હવાલે કરવાનું કામ પોલીસને સોંપવામાં આવ્યું છે... તેમણે કહ્યું કે, ગુજરાત એક એવુ રાજ્ય છે, જેમાં વ્યાજખોરોના ચક્કરમાં ફસાયેલાં લોકોને પોલીસે બહાર કાઢ્યા છે.. શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ સર...

July 21, 2024 3:18 PM

રાજ્યભરમાં ગુરુપૂર્ણિમાની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે

રાજ્યભરમાં ગુરુપૂર્ણિમાની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. રાજ્યમાં ગુરુવંદના,પાદુકા પૂજન, ભંડારા સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.. શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, ચોટીલા, દ્વારકા, શામળાજી, બગદાણા, સાળંગપુરમાં પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. કેબિનેટ મં...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.