પ્રાદેશિક સમાચાર

July 27, 2024 3:05 PM

ભારતીય સેનાના અગ્નિવીરોને રાજ્યમાં હથિયારધારી અને SRPને ભરતીમાં પ્રાથમિકતા આપવાના નિર્ણયને આવકાર્યો હતો

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય સેનાના અગ્નિવીરોને રાજ્યમાં હથિયારધારી અને રાજ્ય અનામત પોલીસ દળ – SRPને ભરતીમાં પ્રાથમિકતા આપવાના નિર્ણયને આવકાર્યો હતો. તાપીના સોનગઢ ખાતે “એક પેડ માં કે નામ” અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રીએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી.

July 27, 2024 9:26 AM

પશ્ચિમ રેલવે બે ગણપતિ મહોત્સવ સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવશે

પશ્ચિમ રેલવે દ્વારા ગણપતિ મહોત્સવ દરમિયાન અમદાવાદથી કુડાલ અને અમદાવાદથી મેંગલુરુ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર બે સાપ્તાહિક વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ, અમદાવાદ–કુડાલ સાપ્તાહિક સ્પેશિયલ 3, 10 અને 17 સપ્ટેમ્બરનાં રોજ અમદાવાદથી સવારે સાડા નવ વાગ્યે ઉપડશે. જ્યારે કુડાલ-અમદાવાદ...

July 27, 2024 8:15 AM

ગુજરાત સરકાર અગ્નિવીરોને એસઆરપીમાં પ્રાથમિકતા આપશે : મુખ્યમંત્રી

ગુજરાત સરકાર ભારતીય સેનાના અગ્નિવીરોને રાજ્યમાં હથિયારધારી પોલીસ અને રાજ્ય અનામત પોલિસ દળ-એસઆરપીનીભરતીમાં પ્રાથમિકતા આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સોશિયલ મિડિયામાં એક પોસ્ટ મૂકી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ભારતીય સેનાના અગ્નિવીરોને રાજ્યમાં હથિયારધારી પોલીસ દ...

July 26, 2024 8:01 PM

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ગુજરાતી સાહિત્યકારોને વર્ષ 2022-23 માટેના સાહિત્ય પુરસ્કારોની જાહેરાત કરી છે

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ગુજરાતી સાહિત્યકારો માટે વર્ષ 2022-23ની સાહિત્ય પુરસ્કારોની જાહેરાત કરી છે.સત્તાવાર યાદી મુજબ, ઇશ્વરલાલ પરમારને કવિ નર્મદ ગુજરાતી સાહિત્ય પુરસ્કાર અપાશે.એવી જ રીતે, સાહિત્ય ક્ષેત્રે તારિણી બહેન દેસાઇને,કલાક્ષેત...

July 26, 2024 7:52 PM

ઓલિમ્પિક સ્પર્ધાનો ફ્રાન્સના પેરિસમાં આજે રાત્રે 11 વાગ્યાથી આરંભ થશે – મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના 3 સહિત તમામ ભારતીય ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી

રમત ક્ષેત્રે પ્રતિષ્ઠિત ઓલિમ્પિક સ્પર્ધાનો ફ્રાન્સના પેરિસમાં આજથી આરંભ થશે. ભારતીય સમય મુજબ આજે રાત્રે 11 વાગ્યે ઓલિમ્પિક સ્પર્ધાનો ઉદઘાટન સમારંભ સેન નદી ખાતે યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ગુજરાતના 3 ખેલાડીઓ હરમીત દેસાઇ, માનવ ઠક્કર અને ઇલાવેનિલ વાલારિવાન ઉપરાંત ...

July 26, 2024 7:45 PM

રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય દવાઓની યાદીમાં આ વર્ષે નવી ૬૬૫ દવાનો ઉમેરો કર્યો

રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય દવાઓ- EDLની યાદીમાં આ વર્ષે નવી ૬૬૫ દવાનો ઉમેરો કર્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અગાઉ રાજ્ય સરકારની EDLની યાદીમાં ૭૧૭ દવાઓ હતી, જે હવે વધીને ૧ હજાર ૩૮૨ થઇ છે. તેમણે કહ્યું કે, રાજ્યના પ્રત્યેક દર્દીને શ્રેષ્ઠતમ સારવાર અને...

July 26, 2024 3:28 PM

રેલવે ટ્રેક પર સિંહોના વધતા જતાં અકસ્માતને ધ્યાનમાં લઈને વન વિભાગ પ્રથમ વખત સિંહના સંરક્ષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો ઉપયોગ કરશે

રેલવે ટ્રેક પર સિંહોના વધતા જતાં અકસ્માતને ધ્યાનમાં લઈને વન વિભાગ પ્રથમ વખત સિંહના સંરક્ષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો ઉપયોગ કરશે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા વન વિભાગને કરેલી તાકીદને પગલે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પણ તૈયાર કરવામાં આવી છે.વન વિભાગ અને રેલવે દ્વારા રેન્જ લેવલ, ડિવિઝનલ લેવલ અને સર્કલ...

July 26, 2024 3:10 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના કોબા ખાતે એક પેડ માં કે નામ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના કોબા ખાતે એક પેડ માં કે નામ અભિયાનનો પ્રારંભ કરાવ્યો.ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં અંદાજે 1500 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જીલ્લા કલેક્ટર, મેયર, ધારાસભ્યો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

July 26, 2024 2:58 PM

છેલ્લા સાત મહિનામાં રાજ્યના ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ PNG જોડાણની સંખ્યામાં પોણા બે લાખનો વધારો થયો છે

છેલ્લા સાત મહિનામાં રાજ્યના ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ- PNG જોડાણની સંખ્યામાં પોણા બે લાખનો વધારો થયો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે પ્રસિધ્ધ કરેલા આંકડા અનુસાર, 31 જુલાઇ, 2023 સુધીમાં, રાજ્યમાં ઘરેલુ PNG જોડાણની સંખ્યા 30 લાખ 78 હજાર હતી, જે 29 ફેબ્રુઆરી 2024નાં રોજ વધીને 32 લાખ 53 ...

July 26, 2024 9:25 AM

28મી એ પેટા હિસાબનીશ અને હિસાબનીશની પરીક્ષા લેવાશે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 28 જૂલાઈના રોજ યોજાનાર પેટા હિસાબનીશ તથા હિસાબનીશની ભરતી પરીક્ષા રાબેતા મુજબ લેવાશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે સોશિયલ મીડિયામાં માહિતી આપતાં જણાવ્યું કે, હવામાન ખાતાની માહિતી મુજબ 28 જુલાઇ સુધીમાં વરસાદ પ્રમાણસર હોવાથી પરીક્ષા 28 જુલાઈએ લ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.