પ્રાદેશિક સમાચાર

August 4, 2024 9:41 AM

જામનગરના સાધના કોલોનીમાં મકાન ધરાશાયી : એકનું મોત

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં બે મજલા જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. આ મકાન ધરાશાયી થતાં મલબા નીચે દબાઈ જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી છે. મકાન ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં તુરંત ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો આવ્યો હતો અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવા...

August 4, 2024 8:56 AM

અમિત શાહની દેશવાસીઓને 9 થી 15 ઓગસ્ટ સુધી તેમના ઘરે તિરંગો લહેરાવા અપીલ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ 9થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી છે. સાથે જ તેમણે ત્રિરંગા સાથેની સેલ્ફી HARGHARTIRANGA.COM વેબસાઈટ પર અપલોડ કરવા જણાવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, પ્ર...

August 3, 2024 7:52 PM

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં આદિજાતિના કુલ 935 વિદ્યાર્થીઓ JEE તથા NEET પરીક્ષામાં ઉત્તીર્ણ થયા

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં આદિજાતિના કુલ 935 વિદ્યાર્થીઓ સંયુક્ત પ્રવેશ પરીક્ષા - JEE તથા રાષ્ટ્રીય પાત્રતા સહપ્રવેશ પરીક્ષા - NEETમાં ઉત્તીર્ણ થયા છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૧થી ૨૦૨૩ સુધીમાં કુલ ૪૫૨ આદિજાતિ વિદ્યાર્થીએ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પ્રવેશ મેળવ્યો છે. રાજ્યમાં આદિજાતિ વિસ્તારમાં ગુજરાત સ્ટેટ ટ્રાય...

August 3, 2024 7:47 PM

રાજ્યભરમાં નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે

રાજ્યભરમાં નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. તાપી જિલ્લામાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે મહિલા રોજગાર મેળો યોજાયો હતો. જેમાં વિવિધ ૭ કંપની ૨૩૦ જેટલી વેકેન્સીઓ સાથે આ ભરતી મેળામાં જોડાઇ હતી. દરમિયાન ૧૦૦ થી વધુ મહિલાની વિવિધ કંપનીમાં પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિ...

August 3, 2024 7:43 PM

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહીસાગર અને ખેડા જિલ્લાના 581 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન ઉદવહન સિંચાઈ-લિફ્ટ ઇરિગેશન પાઈપલાઈન પ્રૉજેક્ટનું નિરીક્ષણ કર્યું

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહીસાગર અને ખેડા જિલ્લાના 581 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન ઉદવહન સિંચાઈ-લિફ્ટ ઇરિગેશન પાઈપલાઈન પ્રૉજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉદવહન સિંચાઈ યોજના થકી ખેડાના કપડવંજ, કઠલાલ, ગળતેશ્વર અને ઠાસરા તથા મહીસાગરમાં બાલાસિનોર તાલુકાના મળીને 125 ગામને સિંચાઈની સુવિધા...

August 3, 2024 7:38 PM

રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે અને પાંચમી ઑગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ઑરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી

રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે અને પાંચમી ઑગસ્ટે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને નગર હવેલીમાં ઑરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત આવતીકાલે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહીને જોતા આગામી ત્રણ દિવસ દરિયાકાંઠાના ...

August 3, 2024 7:36 PM

રાજ્યમાં અનધિકૃત રીતે નાણાં ધીરનાર કુલ 565 આરોપી સામે 323 ગુના દાખલ કરવામાં આવ્યા છે

રાજ્યમાં અનધિકૃત રીતે નાણાં ધીરનાર કુલ 565 આરોપી સામે 323 ગુના દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 343 આરોપીની અટકાયત કરવામાં આવી છે. રાજ્યભરમાં પોલીસે અનધિકૃત રીતે નાણાં ધીરનાર સામે 31 જુલાઈ સુધી વિશેષ ઝૂંબેશ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે યોજેલા 1 હજાર 648 લોકદરબારમાં 76 હજાર નાગરિકો જોડાયા હતા. પોલીસની આ ...

August 3, 2024 7:34 PM

ભારત સરકારનાં એવોર્ડ સમારોહમાં ગુજરાત રાજ્યને વિવિધ શ્રેણીમાં કુલ 6 એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં છે

દિલ્હીમાં આંબેડકર હોલ ખાતે યોજાયેલા ભારત સરકારનાં એવોર્ડ સમારોહમાં ગુજરાત રાજ્યને વિવિધ શ્રેણીમાં કુલ 6 એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેસ્ટ ઓર્ગન રીટ્રાઇવલ હોસ્પિટલ, સુરત સિવિલ હોસ્પિટલ ને બેસ્ટ બ્રેઇન સ્ટેમ ડેથ કમિટી તેમજ બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કોર્ડીનેટર અને કિડની હોસ્પિટલ...

August 3, 2024 7:33 PM

રાજ્યમાં થરાદ-મહેસાણા, અમદાવાદ નેશનલ હાઈસ્પીડ કોરિડોરને મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો

રાજ્યમાં થરાદ-મહેસાણા, અમદાવાદ નેશનલ હાઈસ્પીડ કોરિડોરને મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદના જિલ્લામાંથી પસાર થનારો આ કોરિડોર બનવાથી ઔદ્યોગિક અને આર્થિક વિકાસને વધુ વેગ મળશે એમ મુખ્યમંત્રીએ જણા...

August 3, 2024 7:31 PM

રાજ્યમાં અત્યાર સુધી 15 હજાર 820 માતાઓ પોતાના દૂધનું દાન કરી 12 હજાર 403 બાળકોની પરોક્ષ માતા બની

રાજ્યમાં અત્યાર સુધી 15 હજાર 820 માતાઓ પોતાના દૂધનું દાન કરી 12 હજાર 403 બાળકોની પરોક્ષ માતા બની છે. ગાંધીનગરની “હ્યુમન મિલ્ક બેન્ક”માં 415 માતાએ 449 બાળકોને નવજીવન આપ્યું છે. હવે આગામી સમયમાં અમદાવાદ, ભાવનગર, જામનગર અને રાજકોટમાં હ્યુમન મિલ્ક બેન્ક શરૂ કરવામાં આવશે. રાજ્યમાં સાતમી ઑગસ્ટ સુધી વિશ્વ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.