પ્રાદેશિક સમાચાર

August 20, 2024 7:22 PM

રાજ્યમાં કોલકતાની ઘટનાના વિરોધના પગલે ભાવનગરની નંદકુવરબા મહિલા કોલેજ દ્વારા આજે રેલી યોજાઇ

રાજ્યમાં કોલકતાની ઘટનાના વિરોધના પગલે ભાવનગરની નંદકુવરબા મહિલા કોલેજ દ્વારા આજે રેલી યોજાઇ હતી. જ્યારે દીવના ડોક્ટર એસોસીએશન દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દરમિયાન સર્વોચ્ચ અદાલતે મેડિકલ ક્ષેત્રના વ્યાવસાયિકોની સલામતી સુનિશ્ચિત કરવા રાષ્ટ્રીય કાર્યદળની રચના કરી છે. કોલકતાની હોસ્...

August 20, 2024 7:20 PM

કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે “સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ”ના ૮૨ લાભાર્થીઓને ૧૭ કરોડ રૂપિયાથી વધુની સહાય વિતરણ કરાઈ

કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે "સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ"ના ૮૨ લાભાર્થીઓને ૧૭ કરોડ રૂપિયાથી વધુની સહાય વિતરણ કરાઈ. ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ (૨૦૧૬-૨૧) હેઠળ નોંધાયેલા કૃષિ ઉદ્યોગ સાહસિકોને સહાય વિતરણ કરવાનો સમારોહ યોજાયો હતો. શ્રી પટેલે લ...

August 20, 2024 7:18 PM

ઇડરના રાજચંદ્ર વિહાર ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્યકક્ષા મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં “મહાવાવેતર’ અભિયાન યોજાયું

એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત, ઇડરના રાજચંદ્ર વિહાર ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્યકક્ષા મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં "મહાવાવેતર' અભિયાન યોજાયું. સાબરકાંઠા વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં ૫ હજાર ૧૬ હેકટર વિસ્તારમાં ૩૬ લાખ ૬૫ હજાર રોપાઓનું વાવેતર કરવાનું આયોજન કરવા...

August 20, 2024 7:15 PM

રાજ્યમાં ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા અત્યાર સુધીમાં કુલ ૪ હજાર ૩૭૩ ફરિયાદોની મધ્યસ્થી તથા સમજાવટથી ગ્રાહકોના હિતમાં ઉકેલ લાવવામાં આવ્યો :સુરક્ષા મંત્રી કુંવરજી બાવળિયા

રાજ્યમાં ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા અત્યાર સુધીમાં કુલ ૪ હજાર ૩૭૩ ફરિયાદોની મધ્યસ્થી તથા સમજાવટથી ગ્રાહકોના હિતમાં ઉકેલ લાવવામાં આવ્યો છે, તેમ ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું. મંત્રીશ્રી એ વધુમાં જણાવ્યુ હતું કે, રાજ્યમાં વર્ષ ૨૦૧૦ થી ગ્રાહક સલાહકાર કેન્દ્રો ૨૧ જુદા- જુદા સ્થળે...

August 20, 2024 7:12 PM

એસ.ટી નિગમ દ્વારા 10 હજારથી વધુ ડ્રાઇવર, કન્ડક્ટર, મિકેનિકલ સ્ટાફ તથા વહીવટી સ્ટાફની ભરતી કરવામાં આવશે

રાજ્યમાં જાહેર પરિવહન સુવિધાને વધુ સુદ્રઢ બનાવવા માટે એસ.ટી નિગમ દ્વારા 10 હજારથી વધુ ડ્રાઇવર, કન્ડક્ટર, મિકેનિકલ સ્ટાફ તથા વહીવટી સ્ટાફની ભરતી કરવામાં આવશે. આ માટેની તમામ મંજૂરી પણ લેવાઇ છે. એસ.ટી નિગમની ગુજરાતની ચાલીરહેલી સેવાની વાત કરવામાં આવે તો છેલ્લા દોઢ વર્ષમાં 166 કરોડ રૂપિયાના ખર્ચે નવી 280...

August 20, 2024 4:03 PM

NFSU ગાંધીનગર, ખાતે ‘નેશનલ સ્પેસ ડે’ના ઉપલક્ષ્યમાં એક દિવસીય ‘વર્કશોપ’ યોજાયો

ભારતમાં ગત વર્ષે 'ચંદ્રયાન-૩' મિશનની સફળતાના પરિણામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દર વર્ષે ૨૩મી ઓગસ્ટે 'નેશનલ સ્પેસ ડે' તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગરૂપે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી- NFSU ગાંધીનગર, ખાતે 'નેશનલ સ્પેસ ડે'ના ઉપલક્ષ્યમાં એક દિવસીય 'વર્કશોપ' યોજાયો હતો

August 20, 2024 4:01 PM

નવસારી પાસે ઉભરાટનાં દરિયામાં ડૂબી જવાની ત્રણ અલગ અલગ ઘટનામાં બે યુવાનોનાં મૃત્યુ થયા

ગઈકાલે રક્ષાબંધનના તહેવારના દિવસે નવસારી પાસે ઉભરાટનાં દરિયામાં ડૂબી જવાની ત્રણ અલગ અલગ ઘટનામાં બે યુવાનોનાં મૃત્યુ થયા છે. આ બે યુવાનો સુરતના લિંબાયત અને ભેસ્તાન વિસ્તારના હતા. આ ઘટનામાં એક યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

August 20, 2024 3:59 PM

રાજ્યભરમાં ખેડૂતોએ મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું

રાજ્યભરમાં ખેડૂતોએ મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે. ચોમાસા દરમિયાન મગફળીમાં સફેદ કીટકનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. આ કીટકના અસરકારક નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે તાજેતરમાં જ ખેતી નિયામકની કચેરી દ્વારા કેટલાક મહત્વપૂર્ણ પગલાઓ સૂચવતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.જે ખેતી નિયામકની સાઇટ પર જ...

August 20, 2024 3:56 PM

પ્રસિધ્ધ સિતારવાદક અને સપ્તક સંસ્થાના સ્થાપક વિદુષી મંજુ મહેતાનું આજે નિધન થયું

પ્રસિધ્ધ સિતારવાદક અને સપ્તક સંસ્થાના સ્થાપક વિદુષી મંજુ મહેતાનું આજે નિધન થયું છે. તેમના નિધનથી સંગીત જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.જયપુરના ભટ્ટ ઘરાનાના મંજુ મહેતા 80 વર્ષના હતા. મંજુબેને ઓલ ઈન્ડિયા રેડિયોના સંગીતના રાષ્ટ્રીય કાર્યક્રમ અને આકાશવાણીનાં દિવાળી સંગીત સંમેલનમાં અનેક વખત રજૂઆત કરી હત...

August 20, 2024 3:54 PM

વિજ્ઞાન ગુર્જરી દ્વારા ગાંધીનગર સ્થિત નાઇપર ખાતે વિજ્ઞાન વિમર્શ કાર્યક્રમ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો

વિજ્ઞાન ગુર્જરી દ્વારા ગાંધીનગર સ્થિત નાઇપર ખાતે વિજ્ઞાન વિમર્શ કાર્યક્રમ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ઇસરો, પીઆરએલ, નાઇપર તેમજ IIT-ગાંધીનગર, ગુજરાત ટેકનોલોજીક યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સીટી, આંબેડકર યુનિવર્સીટી જેવી ૨૦ જેટલી અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિજ્ઞ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.