પ્રાદેશિક સમાચાર

August 21, 2024 7:27 PM

ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫મી વિધાનસભાના પાંચમાં સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઠરાવો રજૂ કર્યા હતા

ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫મી વિધાનસભાના પાંચમાં સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઠરાવો રજૂ કર્યા હતા.તેમણે પૂર્વ રાજ્યપાલ સ્વ. ડૉ. કમલા બેનીવાલને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી બિપીન શાહ તેમજ પૂર્વ સભ્યો સ્વ. શિવભદ્રસિંહ ગોહિલ, સ્વ. રત્નાભાઈ ઠું...

August 21, 2024 7:24 PM

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા બેટ દ્વારકાનો ત્રણ તબક્કામાં વિકાસ કરાશે

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા બેટ દ્વારકાનો ત્રણ તબક્કામાં વિકાસ કરાશે. અને ભગવાન શ્રી કૃષ્ણની નગરી 'બેટ દ્વારકા'ને વિશ્વકક્ષાએ નામના મળે તેવી રીતે કાયાપલટ કરાશે. જેના માટે પ્રવાસન વિભાગ દ્વારા પ્રથમ તબક્કા માટે ૧૫૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ વિકાસ કાર્યોમાં મુખ્ય મંદિરથી લઇને બીચ સુધીનો વ...

August 21, 2024 7:23 PM

ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રનો આજથી આરંભ – ટૂંકી મુદતના પ્રશ્નો અને શોકદર્શક પ્રસ્તાવ રજૂ કરાયાં

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં ધારાસભ્યો દ્વારા ટુંકી મુદ્દતના પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં. જેમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ અંગેના જવાબમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં ચાંદીપુરાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં 12 દિવસમાં ચાંદીપુરાથી સંક્રમિત એક પણ દર્દ...

August 21, 2024 3:33 PM

રેલ્વે ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું

રેલ્વે ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વર્ષમાં જુદા જુદા તબક્કામાં ચાર વાર એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન જારી થશે. જેમાં જાન્યુઆરી થી માર્ચમાં આસિસ્ટન્ટ લોકો પાયલોટ, એપ્રિલ થી જૂનમાં ટેક્નિશિયન, જુલાઈ થી સપ્ટેમ્બરમાં નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી અન્ડર ગ્રેજ્યુએટ (લેવલ ...

August 21, 2024 3:31 PM

વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થયું

વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થયું છે..ત્યારે આજે ટૂંકી મુદતની પ્રશ્નોત્તરીમાં મંત્રીઓએ પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપ્યો હતો..જેમાં રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી અંગેની સ્થિતિના પ્રત્યુતરમાં શહેરી વિકાસ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ૫૫ હજાર ૫૭૫ આવાસો પ્રધાનમંત્રી આવ...

August 21, 2024 3:28 PM

મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાની બાલસાસન પ્રાથમિક શાળાના શિક્ષિકા દીપ્તિ જોશીની રાજ્ય પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી

મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાની બાલસાસન પ્રાથમિક શાળાના શિક્ષિકા દીપ્તિ જોશીની રાજ્ય પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે. તેઓ એક ઇનોવેટિવ શિક્ષક તરીકે મહાકુંભ, કલા ઉત્સવ જેવી વિવિધ પ્રવૃતિઓ દ્વારા શિક્ષણકાર્યમાં વિધાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દર વર્ષે 5 મી સપ્ટ...

August 21, 2024 3:27 PM

અનુસૂચિત જાતિ અને જનજાતિમાં પેટા-વર્ગીકરણ કરવા માટે રાજ્યોને મંજૂરી આપતા અને ક્રિમિલેયરનો અમલ કરવા સર્વોચ્ચ અદાલતે આપેલા ચૂકાદાના વિરોધમાં આજે દલિત અને આદિવાસી સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું

અનુસૂચિત જાતિ અને જનજાતિમાં પેટા-વર્ગીકરણ કરવા માટે રાજ્યોને મંજૂરી આપતા અને ક્રિમિલેયરનો અમલ કરવા સર્વોચ્ચ અદાલતે આપેલા ચૂકાદાના વિરોધમાં આજે દલિત અને આદિવાસી સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે. આદિવાસીઓની મોટી વસતિ ધરાવતા નર્મદા જિલ્લાના રાજપીપળામાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે. કેવડિયા, ગરુડે...

August 21, 2024 3:25 PM

દમોહ સ્ટેશન પર ત્રીજી લાઇન પર ચાલી રહેલા નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે, 26 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર 2024 સુધી બ્લોક લેવામાં આવશે

પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનના કટની મુરવારા-બીના સેક્શન પર કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત દમોહ સ્ટેશન પર ત્રીજી લાઇન પર ચાલી રહેલા નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે, 26 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર 2024 સુધી બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન બદલાયેલ...

August 21, 2024 3:22 PM

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં મોન્સુન ફેસ્ટિવલ અંતર્ગત મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં મોન્સુન ફેસ્ટિવલ અંતર્ગત મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રશાસન દ્વારા આયોજિત આ મેરેથોનમાં પ્રદેશના પર્યટન નિર્દેશક શિવમ ટેવતિયાએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતું. આ મેરેથોનમાં ૫ કિલોમીટર દોડની અલગ અલગ શ્રેણીમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

August 21, 2024 3:21 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાતો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ આવતીકાલે 22 ઓગસ્ટની જગ્યાએ આવતા ગુરૂવારે 29 ઓગસ્ટે યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાતો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ આવતીકાલે 22 ઓગસ્ટની જગ્યાએ આવતા ગુરૂવારે 29 ઓગસ્ટે યોજાશે. ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના સત્રને અનુલક્ષીને સ્વાગત કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે.. નાગરિકોની ફરિયાદોના નિકાલ માટે સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરૂવારે યો...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.