પ્રાદેશિક સમાચાર

September 2, 2024 3:36 PM

આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર ;મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા

શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને અમાસ પ્રસંગે આજે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સવારે 10 વાગ્યા સુધીમાં 35 હજાર જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા અને 25 જેટલી ધ્વજા પૂજા સંપન્ન થઈ હતી. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સહિત સોમનાથ ...

September 2, 2024 3:33 PM

ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આજે ભારતીય સશસ્ત્ર દળોના અધિકારીઓ માટે અવકાશ અંગેના કાયદા વિષયમાં તાલીમ કાર્યક્રમનું ઉદઘાટન

ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આજે ભારતીય સશસ્ત્ર દળોના અધિકારીઓ માટે અવકાશ અંગેના કાયદા વિષયમાં પાંચ સપ્તાહના તાલીમ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. ડિફેન્સ સ્પેસ એજન્સી અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી વચ્ચેના એમઓયુ હેઠળ આ પ્રથમ તાલીમ કાર્યક્રમ છે. આ કાર્યક્રમનું આયોજન જીએનએલ...

September 2, 2024 3:31 PM

જામનગર જિલ્લા પંચાયતની પશુપાલન શાખાની 12 ટીમે ફિલ્ડમાં જઈને પશુઓનું રસીકરણ હાથ ધર્યું

તાજેતરમાં ભારે વરસાદને કારણે પશુઓના આરોગ્ય ઉપર વિપરિત અસર પડી છે. જામનગર જિલ્લા પંચાયતની પશુપાલન શાખાની 12 ટીમે ફિલ્ડમાં જઈને પશુઓનું રસીકરણ હાથ ધર્યું છે. પશુપાલન શાખાના કર્મચારીઓ દ્વારા કૃમિનાશક દવાનું વિતરણ હાલમાં કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પંચાયતના પશુ ડૉક્ટર્સની ટીમો દ્વારા રસીકરણ, પશુ સારવા...

September 2, 2024 3:27 PM

સમગ્ર રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર વધ્યું

સમગ્ર રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર વધ્યું છે.. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને તાપી સહીતના જીલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે.. આજે સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં 91 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ડાંગ જીલ્લામાં સાડા છ ઇંચ વરસાદ ખાબક્યો છે.. આ ઉપરાંત તાપીના સોનગઢમાં છ, ન...

September 2, 2024 9:44 AM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા તમામ માર્ગનું સમારકામ કરી વાહનવ્યવહાર પૂર્વવત્ કરવા માર્ગ અને મકાન વિભાગને નિર્દેશ આપ્યા છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા તમામ માર્ગનું સમારકામ કરી વાહનવ્યવહાર પૂર્વવત્ કરવા માર્ગ અને મકાન વિભાગને નિર્દેશ આપ્યા છે. માર્ગ અને મકાન વિભાગે પણ જિલ્લાના મુખ્ય માર્ગોનું સમારકામ સાતમી સપ્ટેમ્બર અને ગ્રામ્ય માર્ગોનું સમારકામ 15મી સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરવ...

September 2, 2024 9:43 AM

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, કલાકારો અને સાહિત્યકારો વિશેષ ગુણો અને સંસ્કારોથી સમાજને અને દેશને વૈચારિક રીતે સમૃદ્ધ કરે છે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, કલાકારો અને સાહિત્યકારો વિશેષ ગુણો અને સંસ્કારોથી સમાજને અને દેશને વૈચારિક રીતે સમૃદ્ધ કરે છે. સાહિત્ય, સંગીત અને કળા માત્ર મનોરંજનનું માધ્યમ નથી. મનુષ્યમાં સુસંસ્કારોનું સિંચન કરીને આત્માને આધ્યાત્મ તરફ લઈ જાય છે. સંસ્કાર ભારતી ગુજરાત પ્રાન્ત દ્વારા યોજાયેલા સંસ્...

September 2, 2024 9:43 AM

રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે

રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.. વિભાગે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત આવતીકાલે દક્ષિણ ગુજરાતના જિલ્લોમાં અતિભારે વરસાદની શક્યતા જાહેર કરીને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હોવાની માહિતી હવામાન વિભાગના વૈજ્ઞ...

September 2, 2024 9:42 AM

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ બનાસકાંઠા જિલ્લાના, થરાદ ખાતે નગરપાલિકાના 3 કરોડ 17 લાખ રૂપિયાના વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ બનાસકાંઠા જિલ્લાના, થરાદ ખાતે નગરપાલિકાના 3 કરોડ 17 લાખ રૂપિયાના વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદ પરબત પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી ચૌધરીએ થરાદના સર્વાંગી વિકાસ માટે સૌને સાથે મળી કામ કરવા આહ્વાન કર્યું હતું.

September 2, 2024 9:41 AM

જપ, તપ, ઉત્સવના ત્રિવેણી સંગમ સમા પવિત્ર શ્રાવણ માસ પૂર્ણાહૂતિ તરફ છે ત્યારે આજે શ્રાવણ માસના છેલ્લાં સોમવાર સાથે સોમવતી અમાસનો સંયોગ રચાયો છે

જપ, તપ, ઉત્સવના ત્રિવેણી સંગમ સમા પવિત્ર શ્રાવણ માસ પૂર્ણાહૂતિ તરફ છે ત્યારે આજે શ્રાવણ માસના છેલ્લાં સોમવાર સાથે સોમવતી અમાસનો સંયોગ રચાયો છે. સોમવતી અમાસના વિશેષ મહાત્મ્યને કારણે આજે વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોનો પ્રવાહ ઉમટી રહ્યો છે. રાજ્યભરના શિવમંદિરોમાં આજે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું...

September 2, 2024 9:40 AM

દેવભૂમિદ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા આગામી છથી નવ સપ્ટેમ્બર દરમિયાન લોકમેળાનું આયોજન કરાશે

દેવભૂમિદ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા આગામી છથી નવ સપ્ટેમ્બર દરમિયાન લોકમેળાનું આયોજન કરાશે. શિરેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં વર્ષોથી યોજાતા આ લોક મેળામાં દ્વારકા સહિત જામનગર અને પોરબંદર જિલ્લાના લોકો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. આ લોકમેળા માટે તાલુકા વિકાસ અ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.