પ્રાદેશિક સમાચાર

September 4, 2024 3:05 PM

25થી 31 ઓગસ્ટ દરમિયાન ગુજરાતનાં કેટલાંક જિલ્લામાં પડેલા અતિભારે વરસાદની સ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્ર સરકારના છ સભ્યોની એક ટીમ ગુજરાત આવશે

25થી 31 ઓગસ્ટ દરમિયાન ગુજરાતનાં કેટલાંક જિલ્લામાં પડેલા અતિભારે વરસાદની સ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્ર સરકારના છ સભ્યોની એક ટીમ ગુજરાત આવશે. આ ટીમ રાજ્યનાં અધિકારીઓ સાથે મળીને નુકસાનીનો સર્વે કરશે. તેમણે જણાવ્યું કે, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા...

September 4, 2024 12:06 PM

બનાસકાંઠા જિલ્લામાં આત્મા પ્રોજેકટ અંતર્ગત 3 હજાર 516 તાલીમ થકી જિલ્લાના 83 હજાર 442 જેટલા ખેડૂતને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરાયા

બનાસકાંઠા જિલ્લામાં આત્મા પ્રોજેકટ અંતર્ગત 3 હજાર 516 તાલીમ થકી જિલ્લાના 83 હજાર 442 જેટલા ખેડૂતને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરાયા છે એમ જિલ્લાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે. જિલ્લામાં કૃષિસખી અને પશુસખીની કુલ 1 હજાર 198 મહિલાઓને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ આપવામાં આવી હતી.

September 4, 2024 11:53 AM

જૈનોના પર્વ પર્યુષણના આજે પાંચમા દિવસે મહાવીર જન્મ વાંચન દિવસની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાશે.

જૈનોના પર્વ પર્યુષણના આજે પાંચમા દિવસે મહાવીર જન્મ વાંચન દિવસની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાશે. રાજ્યભરના જૈન સંધોમાં આજે ધામધૂમપૂર્વક મહાવીર જન્મ વાંચનની ઉજવવામાં આવશે અને ત્રિશલા માતાને આવેલા 14 મહાસ્વપ્નના દર્શન કરાવાશે. કલ્પસૂત્રનું વાંચન કરાશે. જૈન ધર્મમાં કલ્પસૂત્રનો ખૂબ જ મહિમા છે, જૈન શ...

September 4, 2024 11:00 AM

હવામાન વિભાગે આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બનાસકાંઠા, પંચમહાલ અને દાહોદ તેમજ વડોદરા તેમજ ભરૂચ અને ડાંગમાં યલો એલર્ટ અને જ્યારે અમદાવાદ સહિતના જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ઉપરાંત આજે પણ ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ છે. જ્યારે દક્ષિણ ગુજરાત ...

September 3, 2024 7:33 PM

પોરબંદર પાસે અરબી સમુદ્રમાં તટરક્ષક દળનું હેલીકોપ્ટર તૂટી પડતાં બે જવાનોનાં મોત થયાં

પોરબંદર પાસે અરબી સમુદ્રમાં તટરક્ષક દળનું હેલીકોપ્ટર તૂટી પડતાં બે જવાનોનાં મોત થયાં છે. પોરબંદરથી અમારા પ્રતિનિધિ મહેશુ લુક્કા જણાવે છે કે પોરબંદરથી 45 કિલોમીટર દૂર માંગરોળના દરિયામાં એક ખલાસીને બચાવવા તટરક્ષક દળનું હેલીકોપ્ટર ગઇકાલે રાત્રે 4 જવાનો સાથે રવાના થયું હતું. ઘટના સ્થળે આ હેલીકોપ્ટર ઇમરજ...

September 3, 2024 7:31 PM

હવામાન વિભાગે આવતીકાલે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આવતીકાલે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બનાસકાંઠા, પંચમહાલ અને દાહોદ તેમજ વડોદરા તેમજ ભરૂચ અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે અમદાવાદ સહિતના જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત બુધવારે પણ ભરૂચ અને સુરતમાં ...

September 3, 2024 7:30 PM

રાહત નિયામકના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી રિસપોન્સ સેન્ટર ગાંધીનગર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ

રાહત નિયામકના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી રિસપોન્સ સેન્ટર ગાંધીનગર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં IMDના અધિકારી દ્વારા આજથી ૯મી સપ્ટેમ્બર સુધી રાજયમાં ભારેથી હળવા વરસાદની આગાહી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા ...

September 3, 2024 7:28 PM

ડાંગ જિલ્લાના વન વિસ્તારમાં વનકર્મીઓએ, બરડીપાડા-મહાલ રોડ સહિત આહવા-મહાલ, ભેન્સકાતરી-વઘઈ ઉપરાંત સુબીર-પીપલદહાડ જેવા માર્ગો વાહન વ્યવહાર માટે ખુલ્લા કર્યા

ડાંગ જિલ્લાના વન વિસ્તારમાં વનકર્મીઓએ, બરડીપાડા-મહાલ રોડ સહિત આહવા-મહાલ, ભેન્સકાતરી-કાલીબેલ, ભેન્સકાતરી-વઘઈ ઉપરાંત સુબીર-પીપલદહાડ જેવા માર્ગો વાહન વ્યવહાર માટે ખુલ્લા કર્યા હતા. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પણ ગણેશ ઉત્સવને લઈને પાલિકા દ્વારા રોડનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. નાની દમણમાં તીન બત્તી,...

September 3, 2024 7:26 PM

બનાસકાંઠાના થરાદ ખાતે બનાસ સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરી અને બનાસ સેવ સોઈલ ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું નિર્માણ કરવામાં આવ્યું

બનાસકાંઠાના થરાદ ખાતે બનાસ સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરી અને બનાસ સેવ સોઈલ ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું નિર્માણ કરવામાં આવ્યું છે. દેશની આવી પ્રથમ લેબોરેટરીનું લોકાર્પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રયોગશાળાના ઉદઘાટન પ્રસંગે શંકર ચૌધરીએ જિલ્લાના...

September 3, 2024 7:25 PM

ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલા સહકાર સંમેલનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જળસંચય અને ભૂગર્ભ જળના સંગ્રહનું સહકાર આગેવાનોને આહ્વાન કર્યું

ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલા સહકાર સંમેલનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જળસંચય અને ભૂગર્ભ જળના સંગ્રહનું સહકાર આગેવાનોને આહ્વાન કર્યું હતું.. ગાંધીનગરમાં સદસ્યતા અભિયાન અંતર્ગત સહકાર સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય મંત્રી સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.