પ્રાદેશિક સમાચાર

September 9, 2024 7:17 PM

કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોષીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રિ-ઇન્વેસ્ટ 2024ની તૈયારીઓની સમીક્ષા કરી

કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોષીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રિ-ઇન્વેસ્ટ 2024ની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ગાંધીનગરમાં આગામી 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ચોથા ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પોનું આયોજન કરાયું છે, જેનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ...

September 9, 2024 7:14 PM

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી 11 મી સપ્ટેમ્બરે શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી 11 મી સપ્ટેમ્બર -બુધવારે શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે. જેમાં વક્તા રામ મોરી દ્વારા વ્યાખ્યાન અપાશે.  ભાવનગરથી અમારાં પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે ,સુપ્રસિદ્ધશિક્ષણ સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં યોજાનાર શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ...

September 9, 2024 4:08 PM

રાજ્યમાં વરસાદના પાણીની સારી આવક થતાં હાઈડ્રો પાવર સ્ટેશનમાંથી વિક્રમજનક વીજ ઉત્પાદન

રાજ્યમાં વરસાદના પાણીની સારી આવક થતાં હાઈડ્રો પાવર સ્ટેશનમાંથી વિક્રમજનક વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. સરદાર સરોવર બંધમાં ગત ઑગસ્ટ મહિનામાં વીજ ઉત્પાદન 800 મિલિયન એકમને પાર પહોંચી ગયું છે. જ્યારે ઉકાઈ, ઉકાઈ મિની, કડાણા અને સરદાર સરોવર હાઈડ્રો પ્લાન્ટમાંથી કુલ એક હજાર 67 મિલિયન એકમનું વીજ ઉત્પાદન થયું છે...

September 9, 2024 4:06 PM

મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામમાં વડા તળાવ સંપૂર્ણપણે છલકાઈ જતા શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે ગામની મુલાકાત લીધી

મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામમાં વડા તળાવ સંપૂર્ણપણે છલકાઈ જતા શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે ગામની મુલાકાત લીધી હતી. મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે કે, તળાવનું પાણી રસ્તા પર આવી જતાં પાળ બનાવીને પાણીને કેનાલમાં લઈ જવાયું હતું ત્યારબાદ વાહનવ્યવહાર પૂર્વવત્ કરાયો હતો....

September 9, 2024 4:04 PM

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ દૂધ ઉત્પાદન ઝૂંબેશ અંતર્ગત શહેરની 31 પેઢીમાં દરોડા પાડ્યા

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ દૂધ ઉત્પાદન ઝૂંબેશ અંતર્ગત શહેરની 31 પેઢીમાં દરોડા પાડ્યા હતા. દરમિયાન શાખાએ વિવિધ ખાદ્યપદાર્થના નમૂના લઈ તેને પરીક્ષણ માટે વડોદરાની ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરીમાં મોકલ્યા છે. ઉપરાંત ફૂડ શાખાએ અન્ય વિસ્તારમાં આવેલા બરફના કારખાનામાં પાણીમાં ક્લૉરિનેશન અંગેની તપાસ કરી જરૂરી...

September 9, 2024 4:03 PM

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ દિવસની આંતર-કૉલેજ કબડ્ડી સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ દિવસની આંતર-કૉલેજ કબડ્ડી સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો છે. આ અંગે યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ ફિઝિકલ એજ્યુકેશનના નિયામક ડૉ. ચિરાગ પટેલે જણાવ્યું કે, સ્પર્ધામાં પાંચ જિલ્લાની કૉલેજની કુલ 92 ટીમ અને એક હજાર 104 ખેલાડી ભાગ લઈ રહ્યા છે. 11 સપ્ટેમ્બરે...

September 9, 2024 4:02 PM

અરવલ્લીના પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી વિભાગ દ્વારા અંબાજી જતાં પદયાત્રીઓના વાહનોને રેડિયમના સ્ટીકર લગાવાયા

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી જતાં પદયાત્રીઓનો અરવલ્લી જિલ્લાના માર્ગો પર ધસારો જોવા મળી રહ્યો છે. આવા સમયે અહીં અકસ્માત નિવારવા પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી વિભાગ પદયાત્રીઓના વાહનોને રેડિયમના સ્ટીકર લગાવવાનું કામ કરી રહ્યું છે.

September 9, 2024 3:56 PM

મહીસાગરના લુણાવાડા શહેરમાં 121 વર્ષ જૂના જમણી સૂંઢવાળા ગણપતિ ભગવાનના મંદિરમાં ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરાઈ

મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં 121 વર્ષ જૂના જમણી સૂંઢવાળા ગણપતિ ભગવાનના મંદિરમાં આ વર્ષે પણ ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. દર વર્ષે વડોદરાના ગાયકવાડ સરકારના કારીગરો દ્વારા વિશિષ્ટ માટીમાંથી ગણેશજીની આ મૂર્તિ તૈયાર કરે છે. ગણેશોત્સવ દરમિયાન દરરોજ રાત્રે કથા અને ભજન-કીર્તન...

September 9, 2024 3:54 PM

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં માત્ર સરેરાશ સવા ત્રણ મિલીમીટર વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં માત્ર સરેરાશ સવા ત્રણ મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ કુલ 122 ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. હવામાન વિભાગે આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે બનાસકાં...

September 9, 2024 10:53 AM

કોંગ્રેસે આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે વધુ નવ ઉમેદવારોની જાહેરાત કરી છે

કોંગ્રેસે આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે વધુ નવ ઉમેદવારોની જાહેરાત કરી છે. પૂર્વ સાંસદ બ્રિજેન્દ્ર સિંહ ઉચાના કલાન વિધાનસભા બેઠક પરથી મોહિત ગ્રોવર ગુરુગ્રામ બેઠક પરથી ચૂંટણી લડશે. અગાઉ, કોંગ્રેસે 90 સભ્યોની રાજ્ય વિધાનસભા માટે 32 ઉમેદવારોની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે હરિયાણામાં આવતા મહિનાન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.