પ્રાદેશિક સમાચાર

September 14, 2024 10:50 AM

અંડર-19 મહિલા ક્રિકેટમાં ગુજરાતે ગોવાને પાંચ વિકેટ હરાવ્યું

ગુજરાતની અંડર 19 મહિલા ક્રિકેટ ટીમે અમદાવાદમાં ચાલી રહેલી અંડર-19 વુમન્સ ઇન્વિટેશન ટી-20 ટુર્નામેન્ટની મેચમાં ગોવા સામે 5 વિકેટથી જીત હાંસલ કરી છે. ગોવાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત તરફથી નિધિ દેસાઈ અને દિયા જરીવાલાએ બે – બે વિકેટ ઝડપી હતી. ગોવાની ટીમે 19 ઓવરમાં 52 ...

September 14, 2024 10:48 AM

હર્ષ સંઘવી ઉધનામાં રૂ. 4.72 કરોડના ખર્ચે બનેલા એસટી વર્કશોપનું લોકાર્પણ કર્યું

સુરતના ઉધના ખાતે 4.72 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા નવ નિર્મિત ડેપો વર્કશોપનું રાજ્યના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંધવીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યું કે,  ગુજરાત એસ.ટી.ના ઈતિહાસમાં પ્રથમવાર પ્રતિદિન 25 લાખ મુસાફરો આવાગમનની સેવા આપવામાં સફળતા મળી છે. આગામી સમયમા...

September 14, 2024 10:44 AM

ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા જિલ્લાના અંતરિયાળ ભાગોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો છોટાઉદેપુર, નર્મદા...

September 13, 2024 7:52 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે દિલ્હીમાં યોજાનારા ચોથા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન કરશે

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે દિલ્હીમાં યોજાનાર ચોથા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ઉદઘાટન સત્રમાં સંબોધન કરશે. આવતીકાલે હિન્દી દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાઈ રહેલાં આ સંમેલનમાં શ્રી શાહ રાજભાષા ગૌરવ અને રાજભાષા ક્રિર્તી પુરસ્કારો એનાયત કરશે. તેમજ રાજભાષા ભારતીય સામાયિકના હીકર જયંતિ અંકનું વિમોચ...

September 13, 2024 7:50 PM

રાજ્યમાં વરસાદના કારણે નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ 15 સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરાશે

રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ 15મી સપ્ટેમ્બર સુધીમાં સંપૂર્ણપણે પૂર્ણ કરાશે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે રોડ-રસ્તાની સર્જાયેલી પરિસ્થિતિને પૂર્વવત્ કરવા અંગેની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મુજબ જણાવ્યું હતું. તે ઉપરાંત કહ્યું કે...

September 13, 2024 7:47 PM

રાજ્ય સરકારે ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઑનલાઈન પ્રક્રિયાને વેગ આપવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા

રાજ્ય સરકારે ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપવા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે.ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં 6 એપ્રિલ, 1995 પછીના રેકર્ડને જ ધ્યાનમાં લેવાનું રહેશે. એટલું જ નહીં, આવી ખરા...

September 13, 2024 7:41 PM

દેશભરમાં 17 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર સુધી ‘‘સ્વચ્છતા હી સેવા’’ પખવાડિયાનું આયોજન કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ ‘‘સ્વચ્છ ભારત મિશન’’ ને આ વર્ષે એક દાયકો પૂર્ણ થાય છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2024 સુધી ‘‘સ્વચ્છતા હી સેવા’’ પખવાડિયાનું આયોજન કરાશે. જેની વિષયવસ્તુ- ‘‘સ્વભાવ સ્વચ્છતા,સંસ્કાર સ્વચ્છતા’’ છે.રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકે...

September 13, 2024 3:27 PM

રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના 14 રસ્તાના સમારકામને મંજૂરી આપવામાં આવી છે

રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના 14 રસ્તાના સમારકામને મંજૂરી આપવામાં આવી છે. છોટાઉદેપુરના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રસ્તાના સમારકામ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી, જેને પગલે રાજ્ય સરકારે 22 કરોડ 65 લાખ રૂપિયાના ખર્ચે આ વ...

September 13, 2024 3:23 PM

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં દીવ-વણાકબારા ફિશિંગ હાર્બર માટે કેન્દ્ર સરકાર દ્વારા 128 કરોડ 86 લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં દીવ-વણાકબારા ફિશિંગ હાર્બર માટે કેન્દ્ર સરકાર દ્વારા 128 કરોડ 86 લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની ચોથી વર્ષગાંઠ નિમિત્તે કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહે નવી દિલ્હી ખાતે આ અંગે માહિતી આપી હતી. અગાઉ, કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્ર...

September 13, 2024 3:14 PM

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ત્રણ વર્ષમાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ત્રણ વર્ષમાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. આ સરકારે વેગથી પ્રવેગને વિકાસમાં પરિવર્તિત કરવાનું કામ કર્યું છે. રાજ્યમાં 11 નવી નીતિ થકી વિકાસ થયો છે. પ્રવક્તા મંત્રીએ વધુમાં આ મુજબ જણાવ્યું...ઉલ્લેખનીય છે કે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.