પ્રાદેશિક સમાચાર

September 15, 2024 7:17 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં મહેસાણા જિલ્લાની વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે મેગા રક્તદાન કેમ્પનો શુભારંભ કરાયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં મહેસાણા જિલ્લાની વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે મેગા રક્તદાન કેમ્પનો શુભારંભ કરાયો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 20મો મેગા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે આરોગ્ય મંત્રીના હસ્તે મોડ્યુલર ઓપરેશન થિયેટરનુ...

September 15, 2024 7:16 PM

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ નો મેળો ચાલી રહ્યો છે

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ નો મેળો ચાલી રહ્યો છે જે અંતર્ગત અંબાજી આવતા યાત્રિકોને કોઈ પણ તકલીફ વિના વિવિધ સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા વહીટીતંત્ર કટિબધ્ધ બન્યુ છે. રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોને વિસામા માટે ૪ વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરાઈ છે. આ ડોમમાં અંદાજીત...

September 15, 2024 7:13 PM

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ રાજકોટમાં પશ્ચિમનાં રાજ્યોની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતોના મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે રાજકોટ પહોંચ્યા હતા .ત્યાં તેમણે પશ્ચિમના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ કાર્યક્રમમાં પહોંચતા તેમણે જણાવ્યું હતુ કે, વર્તમાન બજેટ યુવાનોને રોજગારી માટેનુ રહ્યું હતું. આગામી 5 વર્ષ...

September 15, 2024 7:12 PM

ધાર્મિક સંસ્થા કે ગૌશાળા બનાવવા થતા જમીન કૌભાંડ અંગેનાં કેસોની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવશે

ધાર્મિક સંસ્થા કે ગૌશાળા બનાવવા થતા જમીન કૌભાંડ અંગેનાં કેસોની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવશે. ખેડુત પાસેથી જમીનની ખરીદી કરાવીને ઉંચા ભાવે સાધુને વેચવાની લાલચ આપી છેતરપિંડી આચરતી ગેંગ સક્રિય થઇ છે. આ સંગઠિત ગેંગ દ્વારા સુનિશ્ચિત મોડસ ઓપરેન્ડી સાથે નિર્દોષ નાગરિકો સાથે છેતરપિંડી થતી હોવાની ઘટનાઓ...

September 15, 2024 7:13 PM

પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આદેશ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકો ની રજૂઆત સાંભળવા આદેશ આપ્યા છે. તેમજ આ બે દિવસો દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડા હોય તે પોલીસ અધિકારીઓએ કોઈ બેઠક કે અન્ય કાર્યક્રમોનું આયોજન નહિ કરવા માટે પણ સૂચના આપી છે. રાજ્યના દૂર-દર...

September 15, 2024 7:23 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે છે. મોડી સાંજે અમદાવાદ વિમાનમથકે તેમનું આગમન થયું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમનું વિમાનમથકે તેમનું સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ તેઓ ગાંધીનગર સ્થિત રાજભવન ગયા હતા. તેઓ આવતી કાલે સવારે પોણા દસ વાગ્યે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મ...

September 15, 2024 2:15 PM

આવતીકાલે પીએમ મોદી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભુજથી અમદાવાદ સુધીની દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવશે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ ટ્રેન 17 સપ્ટેમ્બરથી શનિવાર સિવાય દરરોજ અમદાવાદથી સાંજે સાડા પાંચ વાગ્યે પ્રસ્થાન કરશે અને રાત્રે 11 વાગ્યાને 10 મિનીટે ભુજ પહોંચશે. આ જ રીતે ભુજથી આ ટ્રેન 18 સપ્ટેમ્બ...

September 15, 2024 8:12 AM

પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ જીએમડીસી મેદાનનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને અનુલક્ષી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના જી.એમ.ડી.સી. મેદાનની મુલાકાત લઇ સ્થળ નિરીક્ષણ કર્યું હતું આગામી તારીખ ૧૬ સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદના જી.એમ.ડી.સી. મેદાન ખાતેથી કરોડો રૂપિયાનાં પ્રજાલક્ષી વિકાસ કામોનું લોકાર્પણ અન...

September 14, 2024 7:56 PM

દિવાળીના તહેવારમાં રાજ્યભરના મુસાફરો માટે એસ ટી વિભાગ દ્વારા બે હજાર બસો જેટલી વધારાની બસો દોડાવાશે.

દિવાળીના તહેવારમાં રાજ્યભરના મુસાફરો માટે એસ ટી વિભાગ દ્વારા બે હજાર બસો જેટલી વધારાની બસો દોડાવાશે. રાજ્ય ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પત્રકાર પરિષદને સંબોધતા 26 થી 30 ઓક્ટોબર દરમિયાન વધારાની બસોનું સંચાલન કરવાની જાહેરાત કરી હતી.સુરતમાં વસવાટ કરતા સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાતના રત...

September 14, 2024 7:55 PM

વિશ્વ પ્રસિધ્ધ અંબાજી મેળામાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન કરાયું છે

વિશ્વ પ્રસિધ્ધ અંબાજી મેળામાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન કરાયું છે. 18 તારીખ સુધી અંબાજી ખાતે ચાલનાર આ મલ્ટીમીડિયા પ્રદર્શનમાં સ્વચ્છ ભારત અભિયાન, પોષણ અભિયાન, યોગ ઉત્સવ, ડિજિટલ ઇન્ડિયા, ફીટ ઇન્ડિયા તેમજ ભારત સાકાર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.