પ્રાદેશિક સમાચાર

September 20, 2024 9:00 AM

મહેસાણાના વડનગરમાં તૈયાર થયેલા એશિયાના પ્રથમ પુરાતત્વ અનુભવ સંગ્રહાલયનું કામ 90 ટકા પૂર્ણ થઈ ગયું છે

મહેસાણાના વડનગરમાં તૈયાર થયેલા એશિયાના પ્રથમ પુરાતત્વ અનુભવ સંગ્રહાલયનું કામ 90 ટકા પૂર્ણ થઈ ગયું છે. આ સંગ્રહાલય દેશનાં અતૂલ્ય વારસાને જીવંત બનાવશે.21 મીટર ઊંચા અને 326 થાંભલા પર 13 હજાર 525 ચોરસ ફૂટ વિસ્તારમાં આ સંગ્રહાલય પથરાયેલું છે. બાકીનું 10 ટકા કામ પૂર્ણ થયાં બાદ આગામી ત્રણ મહિનામાં આ સંગ્રહ...

September 20, 2024 8:58 AM

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, રાસાયણિક ખેતીના કારણે આપણે આજે દૂષિત વાતાવરણનો સામનો કરી રહ્યા છીએ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, રાસાયણિક ખેતીના કારણે આપણે આજે દૂષિત વાતાવરણનો સામનો કરી રહ્યા છીએ. કરોડો ટન યુરિયાના ઉપયોગના કારણે વાયુમંડળ આજે પ્રદૂષિત થયું છે. આવા સમયે આપણે સૌએ ખેતીને બચાવવી હશે તો દેશી ગાય પાળવાની આપણી પરંપરાને અપનાવી જ પડશે. આણંદ જિલ્લાના આણંદ જિલ્લાના ઈસરવાડા ખાતે યોજાયેલ...

September 20, 2024 8:51 AM

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી ત્રણ દિવસ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવનાં પ્રવાસે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે આવશે. કેન્દ્રશાસિત પ્રદેશની આ તેમની પ્રથમ મુલાકાત હશે. શ્રી ધનખડ અનેક માળખાકીય અને વિકાસ પરિયોજનાઓની મુલાકાત લેશે. તેઓ આજે દમણના જામપોરમાં પક્ષીગૃહનું પણ ઉદ્ઘાટન કરશે. તેમ જ આરોગ્ય અને સુખાકાર...

September 20, 2024 8:49 AM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલીમાં 292 કરોડ રૂપિયાના 77 જેટલા વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલીમાં 292 કરોડ રૂપિયાના 77 જેટલા વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી પટેલ અમરેલીમાં 42 કરોડ 48 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા નવા બસ-પોર્ટનું લોકાર્પણ કરશે.તેમ જ લાલાવદર ખાતે 13 કરોડ 64 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી રમતગમત ઈમારતનું ખાતમુહૂર્ત ક...

September 19, 2024 8:15 PM

રાજ્યભરમાં ચાલી રહેલા ‘સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત બસ સ્ટેન્ડ પરિસર, શૌચાલય, તેમજ બસ સ્ટેન્ડ ની વિવિધ કચેરીઓની સાફ સફાઇ કરવામા આવી

રાજ્યભરમાં ચાલી રહેલા ‘સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત જામનગર તેમજ ડાંગના આહવા બસ સ્ટેન્ડ પરિસર, શૌચાલય, તેમજ બસ સ્ટેન્ડ ની વિવિધ કચેરીઓની સાફ સફાઇ કરવામા આવી હતી અને વિભાગીય નિયામક, બસ ડેપો મેનેજર તેમજ મુસાફરોએ સ્વચ્છતા અંગેના શપથ પણ લીધાં હતાં. સુરેન્દ્રનગર જિલ્લામાં દૂધરેજ વઢવાણ નગરપાલિકા અને ગુજરાત રાજ...

September 19, 2024 8:13 PM

જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા સંચાલિત ટ્રસ્ટ દ્વારા બહેનોને રોજગારી મળી રહે તેવા હેતુસર પ્રદર્શનની સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું

જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા સંચાલિત ટ્રસ્ટ દ્વારા બહેનોને રોજગારી મળી રહે તેવા હેતુસર પ્રદર્શનની સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે, આજથી બે દિવસ માટે શરૂ થયેલા આ મેળામાં 70 થી પણ વધુ સ્ટોલમાં ઉભા કરાયા છે.. આગામી નવરાત્રી, દિવાળી જેવા તહેવારોમાં લોક ઉપયોગી વસ્તુઓ ખરીદીને મહિલાઓને પ્રોત્સાહન મળ...

September 19, 2024 8:12 PM

શક્તિપીઠ અંબાજી ખાતે ૧૨ થી ૧૮મી સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલ ભાદરવી પૂનમના મહામેળામાં અંદાજે ૩૨ લાખ ૫૪ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ‘માં અંબા’ને શિશ ઝુકાવ્યું

શક્તિપીઠ અંબાજી ખાતે ૧૨ થી ૧૮મી સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલ ભાદરવી પૂનમના મહામેળામાં અંદાજે ૩૨ લાખ ૫૪ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ‘માં અંબા’ને શિશ ઝુકાવ્યું હતું. મહામેળામાં અંદાજે બે કરોડ ૬૬ લાખ રૂપિયાથી વધુની રોકડ અને ૫૦૦ ગ્રામથી વધુ સોનાનું દાન મળ્યું છે. આ સાત દિવસ દરમિયાન એસ.ટી. બસે કુલ ૧૧ હજાર ૪૫૫ ટ્...

September 19, 2024 8:09 PM

એક રાષ્ટ્ર એક ચૂંટણીના પ્રસ્તાવને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી છે

એક રાષ્ટ્ર એક ચૂંટણીના પ્રસ્તાવને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી છે. આ અંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના અગ્રણી વજુભાઇ વાળાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું. એક રાષ્ટ્ર એક ચૂંટણીને કારણે સમયનો બચાવ થશે, સાથોસાથ કેન્દ્ર સરકારના ચૂંટણીઓ પાછળના અબજો રૂપિયાનો ખર્ચ ઘટશે.

September 19, 2024 8:07 PM

રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે દિલ્હી ખાતે ‘વિશ્વ ખાદ્ય પરિષદ’ માં ‘ગુજરાત પેલેટ ઓફ ન્યુટ્રિશન: અ રેસિપિ ફોર વિકસિત ભારત @2047’ થીમ પર આધારિત રાજ્યના પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું

રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે દિલ્હી ખાતે 'વિશ્વ ખાદ્ય પરિષદ' માં 'ગુજરાત પેલેટ ઓફ ન્યુટ્રિશન: અ રેસિપિ ફોર વિકસિત ભારત @2047' થીમ પર આધારિત રાજ્યના પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું. આજથી શરૂ થયેલી આ સમિટમાં ગુજરાત ભાગીદાર રાજ્ય તરીકે હિસ્સો લઇ રહ્યું છે. આ ચાર દિવસીય પરિષદનું 22 સપ્ટેમ્બર...

September 19, 2024 8:04 PM

સૌરાષ્ટ્રમાં વરસાદ બાદ વરાપ નીકળતા ખેડૂતોને પિયત માટે દરરોજ 8 કલાકના બદલે સતત 12 કલાક વીજળી આપવા પોરબંદરના ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી

સૌરાષ્ટ્રમાં વરસાદ બાદ વરાપ નીકળતા ખેડૂતોને પિયત માટે દરરોજ 8 કલાકના બદલે સતત 12 કલાક વીજળી આપવા પોરબંદરના ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે. શ્રી મોઢવાડીયાએ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને લખેલા પત્રમાં કૃષિ પાકોમાં ખાસ કરીને મગફળી અને ડાંગરના પાકોના વિકાસ માટે તેમજ દબાઈ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.