પ્રાદેશિક સમાચાર

July 11, 2024 8:02 PM

છોટાઉદેપુર નગરપાલિકા ખાતે આજે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું

છોટાઉદેપુર નગરપાલિકા ખાતે આજે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમૃતના બીજા તબક્કા અંતર્ગત અંદાજે ૩૧૭.૨૮ લાખ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા,તેમજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં નગરના જુદા જુદા વિસ્તારમાં આર.સી.સી રોડ,પેવર ...

July 11, 2024 7:55 PM

સર્વોચ્ચ અદાલતે NEET UG 2024 કેસની સુનાવણી 18 જુલાઇ પર મુલતવી રાખી છે

સર્વોચ્ચ અદાલતે NEET UG 2024 કેસની સુનાવણી 18 જુલાઇ પર મુલતવી રાખી છે... સીબીઆઇએ આ મુદ્દે તેનો સ્ટેટસ રિપોર્ટ રજૂ ન કર્યો હોવાથી મુખ્ય ન્યાયમૂર્તિ ડી. વાય ચંદ્રચૂડની બનેલી બેન્ચે સુનાવણી મોકૂફ રાખી હતી. બેન્ચે જણાવ્યું હતું કે,કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય તપાસ સંસ્થા-NTAએ અદાલતનાં 8 જુલાઇનાં આદેશને અ...

July 11, 2024 7:52 PM

વનવિભાગ દ્વારા ‘સામાજિક વનીકરણ’ની ચાર નવીન યોજનાઓનો રાજ્યભરમાં પ્રારંભ…

રાજ્યને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે વનવિભાગ દ્વારા સામાજિક વનીકરણ’ની ચાર નવીન યોજનાઓનો રાજ્યભરમાં પ્રારંભ કરાયો. આ ચાર નવીન યોજનાઓમાં હરીત વન પથ વાવેતર, પંચરત્ન ગ્રામ વાટીકા વાવેતર, અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર અને નર્સરીમાં ટોલ સીડલીંગ તૈયાર કરવાનો સમાવેશ થાય છે. યોજનાના સફળ અમલીકરણ માટે વિ...

July 11, 2024 7:48 PM

ગુણવત્તાયુક્ત સેવા અને સુવિધાઓથી અગ્રેસર રહેવા ગુજરાત સજ્જ છે – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વિકસિત ભારતનાં વિઝનને સાકાર કરવામાં ગુજરાત ગુણવત્તાયુક્ત સેવા અને સુવિધાઓથી અગ્રેસર રહેવા સજ્જ છે એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. આજે અમદાવાદમાં ક્વોલિટી કાઉન્સિખલ ઓફ ઇન્ડિ્યા દ્વારા આયોજિત ગુજરાત ગુણવત્તા સંકલ્પ એજન્ડા પરિસંવાદ સત્રનો પ્રારંભ કરાવતા તેમણે જણાવ્યું હતું કે,દરેક યોજનાઓન...

July 11, 2024 5:42 PM

કેન્દ્રીય ગૃહરાજય મંત્રી નિત્યાનંદ રાયે ગઈકાલે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર અને દમણની મુલાકાત લીધી

કેન્દ્રીય ગૃહરાજય મંત્રી નિત્યાનંદ રાયે ગઈકાલે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર અને દમણની મુલાકાત લીધી. શ્રી રાયે દાદરા નગર હવેલી ખાતે ગલોન્ડા ગ્રામ પંચાયત અંતર્ગત 4 કરોડ 25 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણધીન 11 નંદઘર પૈકી 35 લાખના ખર્ચે બનેલા અથળ નંદઘરનું લોકાર્પણ કર્યું, તેમ જ પ્રદેશમાં ચાલતા અન્ય વિકાસકા...

July 11, 2024 5:28 PM

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોને ટીટેનસ અને ડિપ્થેરિયાની રસી આપવામાં આવે છે

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોને ટીટેનસ અને ડિપ્થેરિયાની રસી આપવામાં આવે છે, જે અંતર્ગત મહેસાણા જીલ્લામાં એક પખવાડિયામાં 30 ટકા રસીકરણ પૂર્ણ કરાયું છે. જિલ્લાના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના નોડલ ઓફિસરના જણાવ્યા મુજબ, જિલ્લામાં 27મી જૂનથી શાળા પ્રવેશોત્સવ સાથે શાળા આરોગ્ય ચકાસ...

July 11, 2024 5:14 PM

વડોદરામાં આજથી 14મી જુલાઈ સુધી ચોથી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ

વડોદરામાં આજથી 14મી જુલાઈ સુધી ચોથી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ થશે. સમા ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાનારી આ સ્પર્ધામાં સ્થાનિક ખેલાડી અને પુરૂષ શ્રેણીમાં બીજો ક્રમાંક ધરાવતાં પ્રથમ માદલાણી પણ રમશે.. ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી યોજાઈ રહી છે...

July 11, 2024 5:09 PM

પશ્ચિમ રેલવેએ ચોમાસાની ઋતુ દરમિયાન સરળ અને વિક્ષેપ મુક્ત ટ્રેન સેવાઓ ચાલુ રાખવા માટે વ્યાપક પગલાં લીધા

પશ્ચિમ રેલવેએ ચોમાસાની ઋતુ દરમિયાન સરળ અને વિક્ષેપ મુક્ત ટ્રેન સેવાઓ ચાલુ રાખવા માટે વ્યાપક પગલાં લીધા છે. વડોદરા મંડળના વરિષ્ઠ મંડળ એન્જીનિયર સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે, કલ્વર્ટ, નાળા અને નાળાઓની સફાઈ અને ડિસિલ્ટિંગ, ટ્રેક પરની ગંદકી અને કચરો સાફ કરવા,વધારાના જળમાર્ગોનું નિર્માણ, ઉચ્ચ પાવર પંપની...

July 11, 2024 4:52 PM

પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીગ્રામ- ઓખા- ગાંધીગ્રામ સ્પેશ્યલ ટ્રેનની સુવિધા 24મી ઓગસ્ટ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે

પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીગ્રામ- ઓખા- ગાંધીગ્રામ સ્પેશ્યલ ટ્રેનની સુવિધા 24મી ઓગસ્ટ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર રેલવે ડિવિઝનના ગાંધીગ્રામ સ્ટેશનથી ચાલતી આ ટ્રેન અગાઉ જૂન સુધી ચલાવવાનું નક્કી કરાયું હતું. ટ્રેન નંબર 09435 ગાંધીગ્રામ ઓખા સ્પેશ્યલ ટ્રેન ગાંધીગ્રામ સ્ટેશનથી દર શનિવારે ઉપડે છે ત...

July 11, 2024 4:46 PM

સર્વોચ્ચ અદાલતે નીટ યુજી પરિક્ષામાં કથિત ગેરરિતી મુદ્દે કરવામાં આવેલી સંખ્યાબંધ અરજીઓ પરની સુનાવણી 18 જુલાઇ પર મોકૂફ રાખી

સર્વોચ્ચ અદાલતે નીટ યુજી પરિક્ષામાં કથિત ગેરરિતી મુદ્દે કરવામાં આવેલી સંખ્યાબંધ અરજીઓ પરની સુનાવણી 18 જુલાઇ પર મોકૂફ રાખી છે. સીબીઆઇએ આ મુદ્દે તેનો સ્ટેટસ રિપોર્ટ રજૂ ન કર્યો હોવાથી મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડની બનેલી બેન્ચે સુનાવણી મોકૂફ રાખી હતી. બેન્ચે જણાવ્યું હતું કે,કેન્દ્ર સરકાર અને એનટ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.