પ્રાદેશિક સમાચાર

July 14, 2024 7:49 PM

સુરત શહેર ખાતે FPO ફેર-કમ- પ્રદર્શન- તરંગ મેળો જીલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘી દ્વારા ખૂલ્લો મૂકવામાં આવ્યો

સુરત શહેર ખાતે FPO ફેર-કમ- પ્રદર્શન- તરંગ મેળો જીલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘી દ્વારા ખૂલ્લો મૂકવામાં આવ્યો. નાબાર્ડ, SFAC અને ONDCના સંયુક્ત ઉપક્રમે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળાનો હેતુ ખેડૂતો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને બજાર મળી રહે તે છે. તરંગ મેળામાં ૧૫-૧૮ હજાર ખેડુતો પ્રતિનિધીત્વ કરશે.....

July 14, 2024 7:48 PM

રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી એમ બે જીલ્લામાં ચાંદીપુરાના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દ્વારા સર્વેક્ષણની કામગીરી ઝડપી બનાવવામાં આવી

રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી એમ બે જીલ્લામાં ચાંદીપુરાના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દ્વારા સર્વેક્ષણની કામગીરી ઝડપી બનાવવામાં આવી. સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા હિંમતનગર તાલુકા સહિત પારગી ફળિયુ વિસ્તાર તથા સીમ વિસ્તારમાં 20 ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો જે અંતર...

July 14, 2024 3:24 PM

કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતીમાં જામનગરના મોટા ઇટાળા ખાતે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઇ ગયો

કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતીમાં જામનગરના મોટા ઇટાળા ખાતે 'એક પેડ માઁ કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઇ ગયો. આ પ્રસંગે મંત્રીશ્રીએ આ અભિયાનમાં સહભાગી થઈ, વધુ વૃક્ષો વાવવા લોકોને અપીલ કરી હતી. વૃક્ષોને નુકસાન કરનારા તત્વો સામે આગામી સમયમાં કડક કાર્યવાહી હાથ ધરાશે, તેમ પણ મંત્રીશ...

July 14, 2024 3:22 PM

શૌર્ય ચક્રથી સન્માનિત તાપી જિલ્લાના સીઆરપીએફ જવાન મુકેશ ગામિતનો સન્માન સમારંભ યોજાયો હતો

શૌર્ય ચક્રથી સન્માનિત તાપી જિલ્લાના સીઆરપીએફ જવાન મુકેશ ગામિતનો સન્માન સમારંભ યોજાયો હતો.આદિજાતી મંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં સોનગઢ ખાતે યોજાયેલા આ સન્માન સમારંભમાં મુકેશ ગામીતની વીરતાને બિરદાવવામાં આવી હતી. આદિવાસી વીર જવાન એવા મુકેશ ગામીતે બહાદુરીથી એક આતંકવાદીને ઠાર કરીને પોતાના સાથી જવાનોન...

July 14, 2024 3:19 PM

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં બે બાળકોની શ્વસનનળી અને અન્નનળીમાં આવેલા અવરોધને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યું છે

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં બે બાળકોની શ્વસનનળી અને અન્નનળીમાં આવેલા અવરોધને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યું છે. પ્રથમ કિસ્સામાં મધ્યપ્રદેશનાં પિન્ડાના ખેડૂત પરિવારના ૧૩ મહિનાના દીકરાની શ્વસનનળીમાં મગફળીનો દાણો અને સુરેન્દ્રનગરના એક કારીગરનો અઢી વર્ષનો દીકરો રાસબરીનું બીજ ખાઇ જતાં ...

July 14, 2024 3:17 PM

ભારતીય રેલવે એ મુસાફરોની સુવિધા માટે, લાંબા અંતરની 46 વિવિધ મહત્વપૂર્ણ ટ્રેનોમાં સામાન્ય વર્ગના કોચની સંખ્યા વધારી છે

ભારતીય રેલવે એ મુસાફરોની સુવિધા માટે, લાંબા અંતરની 46 વિવિધ મહત્વપૂર્ણ ટ્રેનોમાં સામાન્ય વર્ગના કોચની સંખ્યા વધારી છે. આ ટ્રેનોમાં 92 નવા સામાન્ય વર્ગના કોચ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત 22 વધુ ટ્રેનોની ઓળખ કરીને તેમાં વધારાના સામાન્ય વર્ગના કોચ ઉમેરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નવા કોચ ઉમેરવાની વ...

July 14, 2024 3:15 PM

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાળવિયાએ નવસારી જિલ્લામાં પાણી પુરવઠા, સિંચાઈ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરી હતી

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાળવિયાએ નવસારી જિલ્લામાં પાણી પુરવઠા, સિંચાઈ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરી હતી. શ્રી બાળવિયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક મળી હતી. જેમાં તેમણે પીવાના પાણીની જરૂરિયાત માટેના વિવિધ સ્ત્રોતોની જાણકારી મેળવી, તેમજ ચોમાસાની ઋતુને ધ્યાને રાખતા ક્લોરિનેશનની કામ...

July 13, 2024 8:01 PM

લોથલમાં નિર્માણ પામી રહેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના પ્રથમ તબક્કાનું કામ 55 ટકા પૂર્ણ થયું

લોથલમાં નિર્માણ પામી રહેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના પ્રથમ તબક્કાનું કામ 55 ટકા પૂર્ણ થયું છે અને જુલાઇ મહિનાના અંત સુધીમાં પ્રથમ તબક્કાની બાકી રહેલી કામગીરી માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવશે. બાકીના વિવિધ તબક્કા માટે હાલ ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. સંયુક્ત સચિવની અધ્યક્ષતામાં નેશનલ મેર...

July 13, 2024 7:56 PM

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઓક્ટોબર મહિનામાં વિદેશી વિમાની સેવા શરૂ કરવામાં આવશે

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઓક્ટોબર મહિનામાં વિદેશી વિમાની સેવા શરૂ કરવામાં આવશે. આ અંગેની સત્તાવાર જાહેરાત રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવી છે. જે મુજબ સંભવત: 15 મી ઓગસ્ટ થી મુસાફરો માટે, હાલ નિર્માણ આધીન ટર્મિનલ શરૂ થઈ જશે આ ટર્મિનલમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એમ બંને ફ્લાઈટના મુસાફ...

July 13, 2024 7:55 PM

ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ સંક્રમણના કારણે સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકોના મોત થયા હોવાના અહેવાલ છે

ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ સંક્રમણના કારણે સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે બે બાળકો સારવાર હેઠળ છે. તમામ શંકાસ્પદ છ કેસોના નમૂના તપાસ માટે પૂણેની એનઆઈવી લેબમાં મોકલાયા છે. દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને મહિસાગર જિલ્લામાંથી પણ ચાંદીપુરમના શંકા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.