પ્રાદેશિક સમાચાર

July 15, 2024 3:09 PM

રાજ્યમાં ચાંદીપુરમ વાઇરસના વધતા કેસોને પગલે રાજ્ય સરકારે ત્વરિત કાર્યવાહી શરૂ કરી

રાજ્યમાં ચાંદીપુરમ વાઇરસના વધતા કેસોને પગલે રાજ્ય સરકારે ત્વરિત કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક નિવેદનમા જણાવ્યું કે ચાંદીપુરમ વાઇરસ એટલે કે એન્કેફેલાઇટીસ રોગના કેસો ઝડપથી વધી રહ્યા છે. વરસાદી ઋતુમાં રેત માંખ કરડવાથી થતો આ રોગ સામાન્ય રીતે 9થી 14 વર્ષના બાળકોમાં જોવા મળી રહ્યો છે...

July 15, 2024 9:21 AM

સામાન્ય યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા – CUET-UGના અસરગ્રસ્ત ઉમેદવારોની પુનઃ પરીક્ષા લેવાશે

રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTAએ જાહેરાત કરી છે કે, સામાન્ય યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા CUET-UG ના અસરગ્રસ્ત ઉમેદવારોની પુનઃ પરીક્ષા 19 જુલાઈએ લેવાશે. આ પરીક્ષા સીબીટી એટલે કે, કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ માધ્યમથી લેવાશે. ઉમેદવારોને તેમના વિષય કોડનો ઉલ્લેખ કરીને ઈ-મેલ દ્વારા માહિતી મોકલવામાં આવી છે. પરીક્ષાન...

July 14, 2024 8:04 PM

આવતીકાલે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉજવવામાં આવશે

આવતીકાલે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉજવવામાં આવશે. યુવાઓમાં કૌશલ્યનો વિકાસ થાય અને દેશ ઉન્નતિના માર્ગે નવી ઉંચાઇઓ પ્રાપ્ત કરે તે માટે દર વર્ષે 15 જુલાઇએ વિશ્વ કૌશલ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. ‘કૌશલ્ય સાથે શિક્ષણ’ના હેતુ સાથે રાજ્યના યુવાનોના કૌશલ્યને કેન્દ્રમાં રાખીને ‘સ્કિલ સ્માર્ટ’ અભ્યાસ થકી રોજગા...

July 14, 2024 8:03 PM

ગીર સોમનાથ જિલ્લામાં આજે વહેલી સવારે આઠ વાગીને 18 મિનીટે તાલાલા સાસણ ગીર પંથકમાં 2.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો

ગીર સોમનાથ જિલ્લામાં આજે વહેલી સવારે આઠ વાગીને 18 મિનીટે તાલાલા સાસણ ગીર પંથકમાં 2.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 12 કિલોમીટર ઉત્તર ઉત્તર- પૂર્વ નોંધાયું છે. ચાલુ માસ દરમિયાન અનેકવાર ભૂકંપના નાના આંચકા આવ્યા હતા. આ તમામ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિ.મી કરતા ઓ...

July 14, 2024 8:02 PM

બગદાણા ધામ ખાતે આગામી ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવણીની તૈયારીના ભાગરૂપે 700 સ્વયંસેવક પ્રતિનિધિઓની બેઠક મળી હતી

બગદાણા ધામ ખાતે આગામી ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવણીની તૈયારીના ભાગરૂપે 700 સ્વયંસેવક પ્રતિનિધિઓની બેઠક મળી હતી. ભાવનગરથી અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, સંતશ્રી બજરંગદાસ બાપાના આશ્રમ બગદાણા ખાતે આગામી 21મી જુલાઇ, રવિવારે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે. જેના ભાગરૂપે આજે આશ્રમના સત્સંગ હોલમાં આશ...

July 14, 2024 7:57 PM

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગંદકી કરતા એકમો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગંદકી કરતા એકમો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ઉત્તર પશ્ચિમ ઝોન સોલિડ વેસ્ટ મેનેજ મેન્ટ શાખા દ્વારા એકસો અગિયાર એકમો સામે તપાસ કરીને 91 એકમોને નોટિસ ફટકારીને 82 હજારથી વધુનો દંડ વસૂલ કરાયો હતો. જ્યારે મહાનગરપાલિકાના ફૂડ શાખા દ્વારા ગત એક અઠવાડિયા દરમ...

July 14, 2024 7:55 PM

આજે પોસ્ટ ઓફિસની વિવિધ સેવાઓ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની કામગીરીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી

આજે પોસ્ટ ઓફિસની વિવિધ સેવાઓ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની કામગીરીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. ગાંધીનગર ડિવિઝનના વરિષ્ઠ ડાક અધિક્ષક પિયુષ રાજકની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં ટપાલ સેવાને લાગતી વિવિધ યોજનાઓ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની કામગીરીના કાર્ય વિસ્તરણ અને દરેક સામાન્ય લોકોને તેનાથી...

July 14, 2024 7:53 PM

રાજ્યના સુરેન્દ્રનગર જીલ્લાની પાટડીની દીકરીએ થાઇલેન્ડના દરિયામાં શ્વાસ રોકીને 130 ફૂટ દરિયાના પાણીમાં જઇને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે

રાજ્યના સુરેન્દ્રનગર જીલ્લાની પાટડીની દીકરીએ થાઇલેન્ડના દરિયામાં શ્વાસ રોકીને 130 ફૂટ દરિયાના પાણીમાં જઇને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે અને રાજ્યનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર પહોંચાડ્યું છે. અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધીના જણાવ્યા મુજબ, મૂળ પાટડીના અને હાલ અમદાવાદ ખાતે રહેતા ચંદ્રકાન્ત મીરાણીની દીકર...

July 14, 2024 7:52 PM

ડાંગ જિલ્લા પોલીસને પ્રતિષ્ઠિત “SKOCH” (Gold) એવોર્ડથી સન્માનિત કરાયા

ડાંગ જિલ્લા પોલીસને પ્રતિષ્ઠિત "SKOCH" (Gold) એવોર્ડથી સન્માનિત કરાયા. ડાંગથી અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે,ડાંગ જિલ્લાની SheTeamના પ્રયત્નોના પરિણામ સ્વરૂપે, જિલ્લામાં લાંબા સમયથી ચાલી આવતી 'ડાકણ પ્રથા'ને નાબુદ કરી, પીડીત મહિલાઓનુ સમાજમાં પુન:સ્થાપન કરી, તેમજ એક સન્માનજનક નવજીવન પ્રદાન કરવ...

July 14, 2024 7:51 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર કોબા ખાતેના શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં ચાતુર્માસ ગાળવા પધારેલા રાષ્ટ્રસંત જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર કોબા ખાતેના શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં ચાતુર્માસ ગાળવા પધારેલા રાષ્ટ્રસંત જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, માનવ માત્રનું અંતિમ લક્ષ્ય તો પ્રભુ પ્રાપ્તિનું જ હોય છે....

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.