રાષ્ટ્રીય

August 14, 2024 8:27 PM

જમ્મૂ કાશ્મીરના ડોડા જિલ્લામાં આજે આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ, જ્યારે ચાર આતંકવાદીઓ ઠાર મરાયા

જમ્મૂ કાશ્મીરના ડોડા જિલ્લામાં આજે આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ, જ્યારે ચાર આતંકવાદીઓ ઠાર મરાયા છે. અમારા આકાશવાણી સંવાદદાતાએ જણાવ્યું કે, આ અથડામણમાં એક નાગરિકને પણ ઇજા થવા પામી હતી. સુરક્ષા દળોને ડોડા જિલ્લામાં શિવગઢ-અસ્સાર વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓના છૂપાયેલા હોવાની માહિતી મળી હતી. જ...

August 14, 2024 8:21 PM

પશ્ચિમ બંગાળમાં તમામ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલોમાં તબીબોની હડતાળને પગલે આરોગ્ય સેવા ખોરવાતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો

પશ્ચિમ બંગાળમાં તમામ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલોમાં તબીબોની હડતાળને પગલે આરોગ્ય સેવા ખોરવાતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. કોલકાતા સહિત અન્ય રાજ્યોમાં રાજકીય પક્ષો, વિદ્યાર્થી સંગઠનો, સ્વયંસેવી સંસ્થાઓના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે કોલકાતાની આર. જી. કર મેડિકલ કૉલેજના એક મ...

August 14, 2024 8:19 PM

ભારત વિવિધતા અને બહુલતા સાથે એક સુમેળભર્યા રાષ્ટ્ર તરીકે આગળ વધી રહ્યું છે – રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ કહ્યું કે, ભારત વિવિધતા અને બહુલતા સાથે એક સુમેળભર્યા રાષ્ટ્ર તરીકે આગળ વધી રહ્યું છે, આવા સમયે સમાજને વિભાજીત કરતા વલણોને નકારવા જોઈએ. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશના સમાજિક જીવનના દરેક પાસાઓમાં સમાવેશી ભાવના વ્યાપેલી છે....

August 14, 2024 8:17 PM

આવતીકાલે 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા ખાતે તિરંગો લહેરાવી રાષ્ટ્રને સંબોધન કરશે

15 ઑગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતેથી તિરંગો લહેરાવશે અને રાષ્ટ્રજોગ સંબોધન કરશે.. આ કાર્યક્રમનું આકાશવાણીના વિવિધ કેન્દ્રો અને ઓનલાઇન ચેનલો પર સીધું પ્રસારણ કરાશે. વિવિધ ભારતી રાષ્ટ્રીય પ્રસારણ સેવા, વિવિધ ભારતી સ્ટેશન, સ્થાનિક રેડિયો સ્ટેશન, ...

August 14, 2024 8:14 PM

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સશસ્ત્ર દળોને સંબોધન કરતાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સૈન્યમાં યુવાનોના મહત્વ પર ભાર મૂકયો

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે, કેન્દ્ર સરકારે સંરક્ષણ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા માટે અનેક સુધારા કર્યા છે. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આકાશવાણી કેન્દ્રો પરથી સુરક્ષા દળોને કરેલા સંબોધનમાં શ્રી સિંહે કહ્યું કે, છેલ્લા દસ વર્ષોમાં છ લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ ઉપકરણો સ્વદેશી કંપનીઓ પાસેથી ખરીદ...

August 14, 2024 2:53 PM

ગયા વર્ષે 23 ઓગસ્ટના રોજ, ભારત ચંદ્ર પર ઉતરનાર ચોથો અને દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં પહોંચનાર પ્રથમ દેશ બન્યો હતો

ગયા વર્ષે 23 ઓગસ્ટના રોજ, ભારત ચંદ્ર પર ઉતરનાર ચોથો અને દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં પહોંચનાર પ્રથમ દેશ બન્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિના માનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 23 ઓગસ્ટને "રાષ્ટ્રીય અવકાશ દિવસ" જાહેર કર્યો. દેશ તેના પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી “ટચિંગ લાઇવ્સ વાઇલ ટચિંગ મૂન- ભારત ની અવકા...

August 14, 2024 2:47 PM

આગામી વર્ષ 2025માં હજ યાત્રા માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે

આગામી વર્ષ 2025માં હજ યાત્રા માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હજ યાત્રા પર જવા ઈચ્છતા લોકો 9 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ અને રાજ્ય મંત્રી જ્યોર્જ કુરિયને ગઈકાલે નવી દિલ્હીમાં અરજી પ્રક્રિયાની શરૂઆત કરી હતી. આ પ્રસંગે શ્રી રિજિજુએ સાઉદી અરે...

August 14, 2024 2:45 PM

સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટતા કરી છે કે રાજ્યો હવે ખનિજ અધિકારો પર બાકી વેરો વસૂલ કરી શકશે

સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટતા કરી છે કે રાજ્યો હવે ખનિજ અધિકારો પર બાકી વેરો વસૂલ કરી શકશે. સર્વોચ્ચ અદાલતે એ દલીલને નકારી કાઢી હતી કે તેનો 25 જુલાઈનો આદેશ રાજ્યોને ખનિજ અધિકારો પર કર વસૂલ કરવાની સત્તા આપતો હતો તે 1 એપ્રિલ, 2005 પહેલાંના ખનિજ અધિકારો પર લાગુ થશે નહીં. સર્વોચ્ચ અદાલતે 25 જુલાઈએ આદેશ આપ્યો...

August 14, 2024 2:44 PM

ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરામાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપની જીત માટે ત્રિપુરાના લોકોનો આભાર માન્યો

ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરામાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપની જીત માટે ત્રિપુરાના લોકોનો આભાર માન્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી શાહે કહ્યું, આ જીત ત્રિપુરાના લોકોની છે. તેમણે ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ રાજીવ ભટ્ટાચારજી અને પક્ષના કાર્યકરોને ભાજપ સરકારની વિ...

August 14, 2024 2:42 PM

ગૃહમંત્રી અમિત શાહે આજે હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને ત્રિરંગો ફરકાવ્યો હતો

ગૃહમંત્રી અમિત શાહે આજે હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને ત્રિરંગો ફરકાવ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી શાહે જણાવ્યું હતું કે, તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવીને તેમણે એવા નાયકોને યાદ કર્યા જેમણે દેશની આઝાદી માટે બલિદાન આપ્યું હતું. નાગરિકોમાં દેશભક્તિની ભાવનાને વેગ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.