રાષ્ટ્રીય

August 15, 2024 2:30 PM

આપણે એક સંકલ્પ લઈએ કે, આપણે ભારતને વિકસિત દેશ બનાવવામાં કોઈ કસર નહીં છોડીએ

આપણે એક સંકલ્પ લઈએ કે, આપણે ભારતને વિકસિત દેશ બનાવવામાં કોઈ કસર નહીં છોડીએ. કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ દિલ્હીમાં ભાજપ મુખ્યમથકમાં ધ્વજવંદન કર્યા બાદ આ મુજબ જણાવ્યું હતું. શ્રી નડ્ડાએ સંબોધનમાં કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી દેશને કરેલા સંબોધ...

August 15, 2024 2:27 PM

પશ્ચિમ બંગાળમાં મેડિકલ કોલેજના એક ડૉક્ટર સાથે થયેલ દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં સમાજના વિવિધ વર્ગના લોકો એ જાહેર પ્રદર્શન કર્યું

પશ્ચિમ બંગાળમાં મેડિકલ કોલેજના એક ડૉક્ટર સાથે થયેલ દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં સમાજના વિવિધ વર્ગના લોકો એ જાહેર પ્રદર્શન કર્યું હતું.. ગઈકાલે મધ્યરાત્રિએ મેડિકલ કોલેજની બહાર વિરોધ કરતાં લોકો ઉપર અસામાજિક તત્ત્વોએ હુમલો કર્યો હતો અને મેડિકલ કોલેજના ઘણા સાધનોને નુકશાન પહોંચાડ્યું હતું. સ્થિતિને કાબૂ...

August 15, 2024 2:26 PM

પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સહગલે આજે નવી દિલ્હીમાં દૂરદર્શન ભવનમાં 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સહગલે આજે નવી દિલ્હીમાં દૂરદર્શન ભવનમાં 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને આકાશવાણીના મહાનિર્દેશક મૌસુમી ચક્રવર્તીએ પણ નવી દિલ્હીમાં આકાશવાણી પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

August 15, 2024 2:18 PM

ઓડિશામાં મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભુવનેશ્વર ખાતે મહાત્મા ગાંધી માર્ગ પર આયોજિત રાજ્ય-સ્તરની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

ઓડિશામાં મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભુવનેશ્વર ખાતે મહાત્મા ગાંધી માર્ગ પર આયોજિત રાજ્ય-સ્તરની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. શ્રી માઝીએ ભારતની નોંધપાત્ર પ્રગતિ અને દેશના વિકાસમાં ઓડિશાની ઉભરતી ભૂમિકા પર ભાર મૂક્યો હતો આ પ્રસંગે રંગારંગ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.

August 15, 2024 2:12 PM

આસામમાં ઉત્સાહ સાથે આજે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

આસામમાં ઉત્સાહ સાથે આજે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ધ્વજવંદન બાદ સ્વાતંત્ર્ય દિવસ કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી હિમંત બિશ્વ સરમાએ કહ્યું, આસામ ખૂબ જ ઝડપથી વિકાસ પામતા પાંચ રાજ્યમાંથી એક છે અને સમગ્ર દેશમાં સતત વિકાસનો લક્ષ્યાંક હાંસલ કરવાની દિશામાં અગ્રણી રાજ્ય છે. તેમણે કહ્યું, વ...

August 15, 2024 2:05 PM

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ત્રિરંગો લહેરાવી દેશવાસીઓને રાષ્ટ્રહિત સર્વોપરીનો સંકલ્પ આપ્યો – ભારતના ઉજ્જવલ ભવિષ્ય માટેનો રોડમેપ રજૂ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 78મા સ્વાતંત્ર્ય પર્વની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. લાલ કિલ્લા પરથી દેશને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, આજે એ શુભ ક્ષણ છે, જ્યારે આપણે દેશની આઝાદી માટે પ્રાણની આહૂતિ આપનારા અને આજીવન સંઘર્ષ કરનારા લોકોને યાદ કરીએ. પ્રધાનમંત્રીએ ઉંમેર્યું, અમે કોઈ પણ રાજકીય મજબૂરીના કારણે ન...

August 14, 2024 8:41 PM

કેન્દ્ર સરકારે આવતીકાલે નવી દિલ્હીમાં આયોજીત સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે આયોજીત સમારોહમાં આમંત્રિત થવા માટે દેશભરમાંથી 6 હજાર જેટલા વિશેષ અતિથિઓને આમંત્રિત કર્યા

કેન્દ્ર સરકારે આવતીકાલે નવી દિલ્હીમાં આયોજીત સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે આયોજીત સમારોહમાં આમંત્રિત થવા માટે દેશભરમાંથી 6 હજાર જેટલા વિશેષ અતિથિઓને આમંત્રિત કર્યા છે. 24 જેટલી જુદી જુદી શ્રેણીઓમાં આ અતિથિઓને આમંત્રિત કરાયા છે, જેઓ દેશના વિવિધ સમુદાયોમાંથી આવે છે. આ યાદીમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ...

August 14, 2024 8:40 PM

સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસ, અગ્નિશમન દળ, હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધારણા કાર્યો સાથે જોડાયેલા 1 હજાર 37 જવાનોને શૌર્ય અને સેવા ચંદ્રકો આપવામાં આવ્યા

સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસ, અગ્નિશમન દળ, હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધારણા કાર્યો સાથે જોડાયેલા 1 હજાર 37 જવાનોને શૌર્ય અને સેવા ચંદ્રકો આપવામાં આવ્યા છે. તેલંગાણા પોલીસના હેડ કોન્સ્ટેબલ ચડુવુ યાદૈયાને વીરતા માટેનો રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરાયો હતો. ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે વીરતા મેડલ ...

August 14, 2024 8:31 PM

પંચાયતમાં મહિલાઓના નેતૃત્વ અને પડકારો સંદર્ભેની એક રાષ્ટ્રીય કાર્યશાળાનું નવી દિલ્હીમાં આયોજન કરાયું

પંચાયતમાં મહિલાઓના નેતૃત્વ અને પડકારો સંદર્ભેની એક રાષ્ટ્રીય કાર્યશાળાનું નવી દિલ્હીમાં આયોજન કરાયું હતું. આ કાર્યશાળામાં દેશભરમાંથી 160થી વધુ પંચાયત પ્રતનિધિઓ ભાગ લીધો હતો. પુડ્ડુચેરીના પૂર્વ ઉપરાજ્યપાલ કિરણ બેદીએ આ કાર્યશાળાને સંબોધન કર્યું હતું. તેમણે જમીની સ્તરે પંચાયતના વિવિધ મુદ્દાઓનો ઉલ્લેખ ક...

August 14, 2024 8:29 PM

ભારતીય તબીબી સંસોશન સંસ્થાન- ICMR અને પેનેસિયા બાયોટેક એ સાથે મળીને દેશની પ્રથમ ડેન્ગ્યૂ વેક્સિનનું ત્રીજું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યું

ભારતીય તબીબી સંસોશન સંસ્થાન- ICMR અને પેનેસિયા બાયોટેક એ સાથે મળીને દેશની પ્રથમ ડેન્ગ્યૂ વેક્સિનનું ત્રીજું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યું છે. આ ઐતિહાસિક પરીક્ષણમાં પેનેસિયા બાયોટેક દ્વારા વિકસીત પ્રથમ સ્વદેશી ટેટ્રાવૈલેંટ ડેંગ્યૂ વેક્સિન- ડેંગીઑલની અસરકારકતાનું મૂલ્યાંકન કરાશે. આ પરીક્ષણમાં ભાગ લેનારા ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.