રાષ્ટ્રીય

August 21, 2024 10:47 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પૉલેન્ડ અને યુક્રેનના ત્રણ દિવસીય પ્રવાસે રવાના થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પૉલેન્ડ અને યુક્રેનના ત્રણ દિવસીય પ્રવાસે રવાના થશે. પૉલેન્ડની રાજધાની વારસૉમાં શ્રી મોદીનું સ્વાગત કરાશે. તેઓ પૉલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક અને રાષ્ટ્રપતિ આંદ્રેજ ડૂડા સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી મોદી અહી ભારતીય સમુદાયના લોકો, વેપારીઓ પ્રતિનિધિઓ સાથે ચર્ચા ...

August 20, 2024 7:55 PM

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ-એઇમ્સે શંકાસ્પદ મન્કીપોક્સ વાઇરસ ધરાવતા દર્દીઓ માટે જરૂરી પગલાં અંગેની માર્ગદર્શિકા પ્રસિધ્ધ કરી

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ-એઇમ્સે શંકાસ્પદ મન્કીપોક્સ વાઇરસ ધરાવતા દર્દીઓ માટે જરૂરી પગલાં અંગેની માર્ગદર્શિકા પ્રસિધ્ધ કરી છે. એઇમ્સે જણાવ્યું છે કે, તાવ, ફોલ્લી અથવા તો મન્કીપોક્સનાં પુષ્ટિ થયેલા કેસોનાં સંપર્કમાં આવ્યા હોય તેવા દર્દીઓની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને મહત્વનાં લક્ષ...

August 20, 2024 7:52 PM

નાણાકીય વર્ષ 2023-2024માં દેશમાં 7.3 કરોડ ઈન્ટરનેટ ગ્રાહકો અને 7.7 કરોડ બ્રોડબેન્ડ ગ્રાહકો ઉમેરાયા

નાણાકીય વર્ષ 2023-2024માં દેશમાં 7.3 કરોડ ઈન્ટરનેટ ગ્રાહકો અને 7.7 કરોડ બ્રોડબેન્ડ ગ્રાહકો ઉમેરાયા છે. સંદેશાવ્યવહાર મંત્રાલયે જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન ઈન્ટરનેટ ગ્રાહકોની સંખ્યા 88 કરોડથી વધીને 95 કરોડ થઈ ગઈ છે. 2023-2024 દરમિયાન ટેલિકોમ સેક્ટરમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ટેલિકોમ રે...

August 20, 2024 7:52 PM

કશ્મીર ખીણમાં મંગળવારે ભૂકંપનાં સતત બે આંચકા અનુભવાયા

કશ્મીર ખીણમાં મંગળવારે ભૂકંપનાં સતત બે આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 અને 4.8 નોંધાઈ હતી. જોકે, આ ભૂકંપથી જાન-માલને નુકસાન થયાનાં કોઈ સમાચાર નથી. બંને ભૂકંપનાં કેન્દ્રબિંદુ બારામુલા જિલ્લામાં હતા. ઉલ્લેખનીય છે કે કાશ્મીર ખીણ ભૂકંપ સંભવિત ક્ષેત્રમાં સ્થિત છે. 8 ઓક્ટોબર 2005નાં...

August 20, 2024 7:50 PM

ભારત અને મલેશિયાએ શ્રમ અને રોજગાર, આયુર્વેદ, પરંપરાગત દવાઓ, ડિજિટલ ટેકનોલોજી, સંસ્કૃતિ, પર્યટન અને રમતગમત ક્ષેત્રોમાં સહકાર ક્ષેત્રે સમજૂતિપત્ર પર હસ્તાક્ષર કર્યા

ભારત અને મલેશિયાએ શ્રમ અને રોજગાર, આયુર્વેદ, પરંપરાગત દવાઓ, ડિજિટલ ટેકનોલોજી, સંસ્કૃતિ, પર્યટન અને રમતગમત ક્ષેત્રોમાં સહકાર ક્ષેત્રે સમજૂતિપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. બંને દેશોએ જાહેર વહીવટ, વહીવટી સુધારણા અને પરસ્પર સહયોગના ક્ષેત્રમાં પણ કરારો કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના મલેશિયા...

August 20, 2024 7:48 PM

ભારતીય કંપની ‘પેટ્રોનેટ LNG લિમિટેડ’ અને શ્રીલંકા સ્થિત ખાનગી કંપની વચ્ચે લિક્વિફાઈડ નેચરલ ગેસ-એલએનજીના માળખાકીય વિકાસ અને પુરવઠા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા

ભારતીય કંપની 'પેટ્રોનેટ LNG લિમિટેડ' અને શ્રીલંકા સ્થિત ખાનગી કંપની વચ્ચે કોલંબોમાં લિક્વિફાઈડ નેચરલ ગેસ-એલએનજીના માળખાકીય વિકાસ અને પુરવઠા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. શ્રીલંકાના ઉર્જા મંત્રી કંચના વિજેસેકારા અને ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર ડૉ. સત્યંજલ પાંડેએ નવી દિલ્હીમાં સમજૂતી...

August 20, 2024 7:46 PM

કેન્દ્રીય જાહેર સેવા આયોગ-યુપીએસસીએ લેટરલ એન્ટ્રી અંગેની જાહેરાત રદ કરી

કેન્દ્રીય જાહેર સેવા આયોગ-યુપીએસસીએ લેટરલ એન્ટ્રી અંગેની જાહેરાત રદ કરી છે. અગાઉ, સરકારે યુપીએસસીને લેટરલ એન્ટ્રી અંગેની જાહેરાત રદ કરવા નિર્દેશ આપ્યો હતો. યુપીએસસીએ તાજેતરમાં કેન્દ્રીય મંત્રાલયોમાં 45 સંયુક્ત સચિવો, નિયામકો અને નાયબ સચિવોની નિયુક્તિ માટેની જાહેરાત પ્રસિદ્ધ કરી હતી, જેની સામે વિરોધ ...

August 20, 2024 8:01 PM

મેડિકલ ક્ષેત્રના વ્યાવસાયિકોની સલામતી સુનિશ્ચિત કરવા સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રીય કાર્યદળની રચના કરી

સર્વોચ્ચ અદાલતે મેડિકલ ક્ષેત્રના વ્યાવસાયિકોની સલામતી સુનિશ્ચિત કરવા રાષ્ટ્રીય કાર્યદળની રચના કરી છે. કોલકતાની હોસ્પિટલમાં એક ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કેસની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડનાં વડપણ હેઠળની બેન્ચે ત્રણ સપ્તાહમાં વચગાળાનો અહેવાલ અને બે મહિનામાં અંતિમ અહેવાલ રજૂ કરવા...

August 20, 2024 2:39 PM

લાઈબેરિયાના ઉપરાષ્ટ્રપતિ જેરેમિયા કપાન કૉન્ગ 19મા C.I.I. ભારત-આફ્રિકા વેપારી સંમેલનમાં ભાગ લેવા ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા

લાઈબેરિયાના ઉપરાષ્ટ્રપતિ જેરેમિયા કપાન કૉન્ગ 19મા C.I.I. ભારત-આફ્રિકા વેપારી સંમેલનમાં ભાગ લેવા ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, લાઈબેરિયાના ઉપરાષ્ટ્રપતિના ભારત પ્રવાસથી બંને દેશ વચ્ચેના સંબંધ વધુ સુદ્રઢ થશે. તેમણે ઉપરાષ્ટ્રપતિ જેરેમિયા કપાન કૉન્ગ...

August 20, 2024 2:37 PM

ઝારખંડમાં, કોલકાતામાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં જુનિયર ડૉક્ટરોની અનિશ્ચિત હડતાળને કારણે રાજ્યભરની તબીબી સેવાઓને અસર થઈ

ઝારખંડમાં, કોલકાતામાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં જુનિયર ડૉક્ટરોની અનિશ્ચિત હડતાળને કારણે રાજ્યભરની તબીબી સેવાઓને અસર થઈ છે. અમારા સંવાદદાતા જણાવે છે કે અત્યાર સુધીમાં દસ હજારથી વધુ દર્દીઓ યોગ્ય સારવારથી વંચિત રહ્યા છે. રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (RIMS), રાંચીમાં ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.