રાષ્ટ્રીય

August 23, 2024 8:31 AM

પશ્ચિમ ભારત માટેની ખેલો ઇન્ડિયા અસ્મિતા વુશુ લીગનો આવતીકાલથી ઉત્તર પ્રદેશના મેરઠમાં પ્રારંભ થશે.

પશ્ચિમ ભારત માટેની ખેલો ઇન્ડિયા અસ્મિતા વુશુ લીગનો આવતીકાલથી ઉત્તર પ્રદેશના મેરઠમાં પ્રારંભ થશે. ચાર દિવસની આ લીગ 27 ઑગસ્ટ સુધી ચાલશે. જેમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિત પશ્ચિમ ભારતના વિવિધ રાજ્યોના મહિલા એથલિટ ભાગ લેશે. જેનું જીવંત પ્રસારણ ખેલો ઇન્ડિયા વિમન્સ લીગની યુટ્યૂબ ચે...

August 23, 2024 8:30 AM

ECBએ મહિલાઓ માટેની પ્રથમ ટેસ્ટ મેચ ભારત અને ઇંગ્લેન્ડ ટીમ વચ્ચે 2026માં ઇંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજવાની જાહેરાત કરી છે.

ઇગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બૉર્ડ – ECBએ મહિલાઓ માટેની પ્રથમ ટેસ્ટ મેચ ભારત અને ઇંગ્લેન્ડ ટીમ વચ્ચે 2026માં ઇંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજવાની જાહેરાત કરી છે. ગઈકાલે વેબસાઇટ પર એક સત્તાવાર નિવેદનમાં ECBના મુખ્ય કાર્યકારી અધિકારી રિચાર્ડ ગોલ્ડે પુષ્ટિ કરતા કહ્યું છે કે, તેઓ આનંદ અનુભવે છે...

August 23, 2024 8:26 AM

કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખ માંડવિયાએ ગત માસમાં ઇજિપ્તના કાહિરામાં વિશ્વ બોકિયા ચેલેન્જર સ્પર્ધામાં ભાગ લેનારા ભારતીય એથલિટ સાથે મુલાકાત કરી

કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખ માંડવિયાએ ગત માસમાં ઇજિપ્તના કાહિરામાં વિશ્વ બોકિયા ચેલેન્જર સ્પર્ધામાં ભાગ લેનારા ભારતીય એથલિટ સાથે મુલાકાત કરી હતી. ડૉક્ટર માંડવિયાએ એથલિટને તેમના સારા પ્રદર્શન બદલ શુભેચ્છા પણ પાઠવી હતી. ભારતે આ ચેમ્પિયનશીપમાં એક સુવર્ણ, બે રજત અને બે કાંસ્ય ચંદ્રક સહિત કુલ પાંચ ચંદ...

August 23, 2024 8:24 AM

સ્વીટ્ઝરલેન્ડના લુસાનેમાં આયોજીત ડાયમંડ લીગ ચેમ્પિયનશીપમાં નીરજ ચોપડા પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં બીજા સ્થાને રહ્યા.

સ્વીટ્ઝરલેન્ડના લુસાનેમાં આયોજીત ડાયમંડ લીગ ચેમ્પિયનશીપમાં નીરજ ચોપડા પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં બીજા સ્થાને રહ્યા.નીરજે આ સિઝનનો સર્વશ્રેષ્ઠ 89.48 મીટર સુધી ભાલો ફેંક્યો હતો.જ્યારે પીટર્સ એન્ડરસેન 90.61 મીટર સાથે પ્રથમ ક્રમાંકે રહ્યા હતા. નીરજ ચોપડા પાંચમી વાર ડાયમંડ લીગમાં ભાગ લઈ રહ્યા છે.

August 23, 2024 8:22 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની માસિક કડીનો આ 113મો એપિસોડ હશે. આ કાર્યક્રમ આપ આકાશવાણી, દુરદર્શન, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર સાંભળી શકશો. આ ઉપરાંત આકાશવાણીની અ...

August 23, 2024 8:21 AM

દેશભરમાં આજે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી

દેશભરમાં આજે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે મુખ્ય સમારોહનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રોબોટિક્સ ચેલેન્જ અને ભારતીય અંતરિક્ષ હેકેથૉનના વિજેતાઓનું સમ્માન કરશે.રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની આ વર્ષની થીમ છે – ચંદ્રમા...

August 23, 2024 8:19 AM

છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદને કારણે આવેલા પૂરને પગલે પશ્ચિમ નેપાળના કૈલાલી જિલ્લાના 500 પરિવારોને અસર થવા પામી છે.

છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદને કારણે આવેલા પૂરને પગલે પશ્ચિમ નેપાળના કૈલાલી જિલ્લાના 500 પરિવારોને અસર થવા પામી છે. પૂરને પગલે અંદાજે 1700 લોકોને અસર થવા પામી છે. કૈલાલી ગ્રામીણ નગર પાલિકા ઉપરાંત ભજનીસ ઘોડાઘોડી અને ગૌરી ગંગા નગર પાલિકા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત છે. નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલી...

August 23, 2024 8:18 AM

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે છે. તેઓ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓને સંબોધશે.આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી ખાતે ધર્મ ધમ્મ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં હજારી આપશે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે...

August 23, 2024 8:17 AM

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અમેરિકાના સંરક્ષણ મંત્રી લૉયડ ઑસ્ટિનના આમંત્રણ પર અમેરિકાના ચાર દિવસીય પ્રવાસે

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અમેરિકાના સંરક્ષણ મંત્રી લૉયડ ઑસ્ટિનના આમંત્રણ પર અમેરિકાના ચાર દિવસીય પ્રવાસે ગઈકાલે સાંજે વૉશિંગ્ટન પહોંચ્યા છે.આ પ્રવાસ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અમેરિકામાં તેમના સમકક્ષ સાથે દ્વીપક્ષીય બેઠક કરશે તેમજ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન સાથે પણ બેઠક કર...

August 23, 2024 8:14 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૉલેન્ડ અને યુક્રેન પ્રવાસના ત્રીજા દિવસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૉલેન્ડ અને યુક્રેન પ્રવાસના ત્રીજા દિવસે આજે યુક્રેનની રાજધાની કિવ પહોંચશે.પ્રવાસ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ દ્વીપક્ષીય સહકારને મજબૂત બનાવવા અને યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે વાતચીત કરશે. આ પૂર્વે ભારત અને પૉલેન્ડ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.