રાષ્ટ્રીય

September 5, 2024 2:48 PM

કેન્દ્રીય મંત્રાલયની ટીમ આજે આંધ્રપ્રદેશમાં પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે છે

કેન્દ્રીય મંત્રાલયની ટીમ આજે આંધ્રપ્રદેશમાં પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે છે. અધિક ગૃહ સચિવ સંજીવકુમાર જિંદાલના નેતૃત્વ હેઠળની આ ટીમ રાજ્યમાં ભારે વરસાદ અને પૂરને કારણે થયેલા વ્યાપક નુકસાનનું મૂલ્યાંકન કરશે. અગાઉ, ટીમે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. દરમિયાન આંધ્ર પ્રદેશમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં...

September 5, 2024 2:46 PM

કેન્દ્રિય ચૂંટણીપંચે લોકપ્રતિનિધિ ધારાની કલમ – 126-એ હેઠળ હરિયાણા તેમ જ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પરિણામ સુધી એક્ઝિટ પોલ હાથ ધરવા ઉપર પ્રતિબંધ મૂક્યો

કેન્દ્રિય ચૂંટણીપંચે લોકપ્રતિનિધિ ધારાની કલમ - 126-એ હેઠળ હરિયાણા તેમ જ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પરિણામ સુધી એક્ઝિટ પોલ હાથ ધરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આ અંગેના જાહેરનામામાં જણાવ્યા મુજબ, બંને વિધાનસભા ક્ષેત્રની ચૂંટણીના આરંભથી સંબંધિત બેઠકો માટેનું મતદાન પૂર્ણ થયા પછી અડધા કલાક સુધી એક્ઝિ...

September 5, 2024 2:44 PM

જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડતાં ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત

જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડતાં ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થઈ છે. આ તબક્કામાં જમ્મુ-કાશ્મીરમાં આગામી પહેલી ઓક્ટોબરે ચાલીસ બેઠક માટે મતદાન થશે. ત્રીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 12મી સપ્ટેમ્બર છે. બીજા દિવસે ઉમેદવારીપત્રોની ...

September 5, 2024 2:41 PM

ભારત-સાઉદી અરેબિયા સંરક્ષણ સહકારની સંયુક્ત કમિટીની 6 બેઠક રિયાધમાં યોજાઇ

ભારત-સાઉદી અરેબિયા સંરક્ષણ સહકારની સંયુક્ત કમિટીની 6 બેઠક રિયાધમાં યોજાઇ ગઈ. જેમાં ભારતના સશસ્ત્ર દળોના સંયુક્ત સચિવ અમિતાભ પ્રસાદ અને સાઉદી અરેબિયાના વ્યૂહાત્મક બાબતોના નાયબ સંરક્ષણમંત્રી મેજર જનરલ સલમાન બિન અવધ અલ-હરબીએ ઉચ્ચ સ્તરીય વાટાઘાટો કરી હતી. બંને દેશોના અધિકારીઓએ સંરક્ષણ સંબંધોની વ્યાપક સમ...

September 5, 2024 2:37 PM

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાતમી સપ્ટેમ્બરે ઉત્તરપ્રદેશના ગોરખપુર અને ચિત્રકૂટના એક દિવસના પ્રવાસે જશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાતમી સપ્ટેમ્બરે ઉત્તરપ્રદેશના ગોરખપુર અને ચિત્રકૂટના એક દિવસના પ્રવાસે જશે. શ્રીધનખડ ગોરખપુરમાં સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કરશે. પોતાના પ્રવાસ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ચિત્રકૂટના જગદગુરુ રામભદ્રાચાર્ય દિવ્યાંગ રાજ્ય વિશ્વવિદ્યાલયમાં “આધુનિક જીવનમાં ઋષિ પરંપરા” વિષય પર યોજાનારા બે દિ...

September 5, 2024 2:32 PM

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલો અમૃત ઉદ્યાન શિક્ષકો માટે ખુલ્લો રહેશે

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલો અમૃત ઉદ્યાન શિક્ષકો માટે ખુલ્લો રહેશે. રાષ્ટ્રપતિ સચિવાલયની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ ભવનના ગેટનંબર 35થી તેમાં અમૃત ઉદ્યાનમાં પ્રવેશ કરી શકાશે. મુલાકાતીઓની સુવિધા માટે, સેન્ટ્રલ સચિવાલય મેટ્રો સ્ટેશનથી ગેટ નંબર 35 સુધી નિઃશુલ્ક ...

September 5, 2024 2:31 PM

દેશમાં આજે શિક્ષક દિવસની ઉજવણી કરાઈ રહી છે

દેશમાં આજે શિક્ષક દિવસની ઉજવણી કરાઈ રહી છે. દેશના પહેલાં રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિ નિમિત્તે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે નવી દિલ્હીમાં ગુજરાતના 2 સહિત 82 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું...

September 5, 2024 2:21 PM

ભારત અને સિંગાપોર વચ્ચે આરોગ્ય અને દવાઓ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સહિત ચાર ક્ષેત્રમાં સમજૂતી કરાર થયા

ભારત અને સિંગાપોર વચ્ચે આજે આરોગ્ય અને દવાઓ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, ડિજિટલ તકનીકી અને ભારત-સિંગાપોર સેમિ-કન્ડક્ટર ઇકો-સિસ્ટમ ભાગીદારી એમ ચાર ક્ષેત્રમાં સમજૂતી કરાર થયા છે. બંને દેશ ભારતની એક્ટ ઇસ્ટ પૉલિસીને વધુ મજબૂત બનાવવા માટે વ્યાપક વ્હૂયાત્મક ભાગીદારી કરવા સંમત થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મો...

September 5, 2024 11:17 AM

વર્ષ 2030 સુધીમાં ભારતનો કાપડ ઉદ્યોગ 350 બિલિયન ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. – કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું છે કે વર્ષ 2030 સુધીમાં ભારતનો કાપડ ઉદ્યોગ 350 બિલિયન ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. અને આનાથી દેશમાં ત્રણ કરોડ પચાસ લાખ નોકરીઓનું સર્જન થશે. ભારત-ટેક્સ 2025 ની ઇવેન્ટ પહેલા, શ્રી સિંહે આશા વ્યક્ત કરી હતી કે ભારત તેની બ્રાન્ડ અને ટકાઉ ઇકો-ફ્રેન્ડલી ટેક્સટા...

September 5, 2024 11:09 AM

કેન્દ્રીય આંતર-મંત્રાલયની એક સમિતિ આજે આંધ્રપ્રદેશના પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેશે.

કેન્દ્રીય આંતર-મંત્રાલયની એક સમિતિ આજે આંધ્રપ્રદેશના કૃષ્ણા, એનટીઆર, ગુંટુર અને અન્ય પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિક સચિવ સંજીવ કુમાર જિંદાલના નેતૃત્વમાં આ ટીમ પૂરને કારણે થયેલા નુકસાનનું નિરીક્ષણ કરશે અને પીડિતો સાથે વાતચીત કરશે. દરમિયાન આંધ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.