રાષ્ટ્રીય

September 13, 2024 2:13 PM

સર્વોચ્ચ અદાલતે દિલ્હી શરાબ નીતિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સશર્ત જામીન આપ્યા

સર્વોચ્ચ અદાલતે આજે દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. કથિત દારૂ નીતિ કૌભાંડમાં CBI દ્વારા નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં જામીન સર્વોચ્ચ અદાલતે આપ્યા છે. મુખ્યમંત્રી કેજરીવાલને 10 લાખ રૂપિયાના બોન્ડ પર શરતી જામીન આપવામાં આવ્યા હતા....

September 13, 2024 9:41 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાત બાદ 35 ભારતીય નાગરિકોને રશિયન સેનામાંથી મુક્ત કરવામાં આવ્યા :વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાત બાદ 35 ભારતીય નાગરિકોને રશિયન સેનામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે લગભગ 50 ભારતીય નાગરિકો હજુ પણ રશિયન સેનામાં છે અને તેમને શક્ય તેટલી વહેલી તકે મુક્ત કરાવીને ભારત પરત લાવવા માટ...

September 13, 2024 9:40 AM

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંહ આજે ખાસ સ્વચ્છતા અભિયાન 4.0 ની પ્રગતિ પર નજર રાખવા માટે એક સમર્પિત ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરશે

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંહ આજે ખાસ સ્વચ્છતા અભિયાન 4.0 ની પ્રગતિ પર નજર રાખવા માટે એક સમર્પિત ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરશે. આ વિશેષ ઝુંબેશનો હેતુ કેન્દ્ર સરકારની તમામ કચેરીઓમાં સંતૃપ્તિનાં અભિગમ સાથે સ્વચ્છતાને સંસ્થાકીય બનાવવાનો છે. સરકારે સ્વચ્છતાને સંસ્થાકીય બનાવવા અને વિલંબ ઘટાડવા માટે દ...

September 13, 2024 9:34 AM

ભારત અને ચીન નિયંત્રણ રેખાનાં બાકીનાં વિસ્તારોમાંથી સંપૂર્ણપણે હટી જવાના પોતાનાં પ્રયત્નો બમણા કરવા અને તેની જરૂરિયાત પર કામ કરવા સંમત થયા

ભારત અને ચીન નિયંત્રણ રેખાનાં બાકીનાં વિસ્તારોમાંથી સંપૂર્ણપણે હટી જવાના પોતાનાં પ્રયત્નો બમણા કરવા અને તેની જરૂરિયાત પર કામ કરવા સંમત થયા છે. રશિયાનાં સેન્ટ પિટ્સબર્ગમાં ભારતના રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત ડોભાલ અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટ બ્યુરોના સભ્ય અને કેન્દ્રીય વિદેશી બાબતોનાં આયોગના...

September 13, 2024 9:33 AM

ભારતને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થંતંત્ર બનાવવામાં ઉડ્ડયન ક્ષેત્રએ મહત્વની ભૂમિકા ભજવી છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થંતંત્ર બનાવવામાં ઉડ્ડયન ક્ષેત્રએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ક્ષેત્ર દ્વારા સરકાર લોકો, સંસ્કૃતિ અને સમૃદ્ધિને જોડવાનું કામ કરી રહી છે. ગઈ કાલે નવી દિલ્હીમાં નાગરિક ઉડ્ડયન પર એશિયા-પેસિફિક મંત્રી સ્તરીય પરિષદને સંબોધતા, શ્...

September 13, 2024 9:32 AM

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષથી ઉંમરની વ્યક્તિને મફત વીમાનો લાભ એક સપ્તાહમાં અમલી બનશે

આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના- AB PMJAY હેઠળ આવરી લેવામાં આવેલા તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને યોજના હેઠળ એક નવું, વિશિષ્ટ કાર્ડ આપવામાં આવશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે કે 70 કે તેનાંથી વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરવા પાત્ર હશે. આ યોજના એક સપ્તાહમાં કાર્યરત થવાની ધા...

September 12, 2024 8:35 PM

ચીનમાં રમાઈ રહેલી પુરૂષોની હૉકી એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી સ્પર્ધાની સેમિ-ફાઈનલમાં ભારતે કૉરિયાને હરાવી સતત ચોથી વખત જીત નોંધાવી

ચીનના હુલનબર ખાતે રમાઈ રહેલી પુરૂષોની હૉકી એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી સ્પર્ધામાં ભારતે કૉરિયાને ત્રણ એકથી હરાવી સતત ચોથી જીત નોંધાવી છે. આ મેચમાં અરૈજીત સિંહ હુંડલ અને સ્કીપર હરમનપ્રીત સિંહે ગોલ કર્યા હતા. જ્યારે કૉરિયા તરફથી યાન્ગ જિહૂંએ એકમાત્ર ગોલ પેનલ્ટી કૉર્નર પર કર્યો હતો.ભારતે ગયા વર્ષના ઉપવિજેત...

September 12, 2024 8:32 PM

વિએતનામમાં યાગી વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 197 લોકોના મોત, 100થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ

વિએતનામમાં યાગી વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 197 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 100થી વધુ લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. વાવાઝોડાના કારણે છેલ્લા 6 દિવસમાં પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. આ વાવાઝોડાથી સૌથી વધુ નુકસાન ઉત્તર વિએતનામમાં થયું છે.યાગી વાવાઝોડું સાતમી સપ્ટેમ્બરે વિએતનામના ...

September 12, 2024 8:27 PM

કેરળમાં યોજાયેલા સંમેલનમાં બિનભાજપ શાસિત રાજ્યોના નાણામંત્રીઓએ રાજ્યોને મળતા કરનો હિસ્સો વધારવાની માગ કરી

બિનભાજપ શાસિત રાજ્યોના નાણામંત્રીઓનું એક દિવસનું સંમેલન આજે કેરળના તિરુવનંથપુરમ્ ખાતે યોજાયું હતું. સંમેલનમાં તેલંગાણા, કર્ણાટક, પંજાબ અને તમિલનાડુના મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન 16મા નાણાપંચ અને કેન્દ્ર તથા રાજ્ય સરકારો વચ્ચે નાણાકીય સંબંધો સાથે સંકળાયેલા અનેક મુદ્દા પર વિચાર કરવામાં આવ્યો હતો...

September 12, 2024 8:23 PM

ભારતીય સામ્યવાદી પક્ષ– માર્ક્સવાદીના મહાસચિવ સીતારામ યેચુરીનું નવી દિલ્હી ખાતે આજે 72 વર્ષની વયે નિધન

ભારતીય સામ્યવાદી પક્ષ – માર્ક્સવાદીના મહાસચિવ સીતારામ યેચુરીનું આજે 72 વર્ષની વયે નિધન થયું છે. લાંબા સમયથી બિમાર યેચુરીએ નવી દિલ્હીના એઈમ્સ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. માર્ક્સવાદી સામ્યવાદી પક્ષે એક નિવેદનમાં જણાવ્યું છે કે,શનિવારે તેમનો પાર્થિવ દેહ નવી દિલ્હીમાં આવેલા પાર્ટીના મુખ્યમથક એ.કે....

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.